મોંઘા પેટ્રોલ-ડીઝલમાંથી મળશે છુટકારો, ફ્લેક્સ ફ્યૂલર વડે દોડશે કાર, જલદી જાહેર થશે આદેશ

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી (Nitin Gadkari) એ શુક્રવારે કહ્યું કે તે આગામી ત્રણ ચાર મહિનામાં એક આદેશ જાહેર કરશે. જેના હેઠળ કાર નિર્માતાઓ માટે વાહનોમાં 'ફ્લેક્સ ફ્યૂલ એન્જીન' (Flex Fuel Engine in India) લગાવવું ફરજિયાત કરી દેવામાં આવશે.

મોંઘા પેટ્રોલ-ડીઝલમાંથી મળશે છુટકારો, ફ્લેક્સ ફ્યૂલર વડે દોડશે કાર, જલદી જાહેર થશે આદેશ

પુણે: કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી (Nitin Gadkari) એ શુક્રવારે કહ્યું કે તે આગામી ત્રણ ચાર મહિનામાં એક આદેશ જાહેર કરશે. જેના હેઠળ કાર નિર્માતાઓ માટે વાહનોમાં 'ફ્લેક્સ ફ્યૂલ એન્જીન' (Flex Fuel Engine in India) લગાવવું ફરજિયાત કરી દેવામાં આવશે. નિતિન ગડકરીએ કહ્યું કે તે ઇચ્છે છે કે દેશ સ્થાનિક સ્તર ઉત્પાદિત એથેનોલ (Ethanol) ને અપનાવવા તરફ વધે અને પેટ્રોલ અને ડીઝલની ખપતમાંથી છુટકારો મળે. 

'જ્યાં સુધી ફ્લેક્સ એન્જીન નહી, વ્હીકલ કંપનીઓ સાથે વાત નહી'
કેન્દ્રીય માર્ગ પરિવર્ગન તથા રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) પુણેમાં એક ફ્લાઇઓવરનો શિલાન્યાસ રાખવા માટે આયોજિત કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે 'હું આગામી ત્રણથી ચાર મહિનામાં એક આદેશ જાહેર કરવા જઇ રહ્યો છું. જેમાં બીએમડબ્લ્યૂ, મર્સિડિઝથી માંડીને ટાટા અને મહિંદ્રા જેવી કાર નિર્માતા કંપનીઓને ફ્લેક્સ એન્જીન (Flex Fuel Engine) બનાવવા માટે કહેવામાં આવશે. નીતિન ગડકરી (Nitin Gadkari)એ કહ્યું કે તેમણે બજાજ અને ટીવીએસ કંપનીઓને પોતાના વાહનોમાં ફ્લેક્સ એન્જીન લગાવવા માટે કહ્યું છે અને એ પણ નિર્દેશ આપવામાં આવ્યા છે કે કે જ્યાં સુધી આમ કરતા નથી, ત્યાં સુધી તેમને સંપર્ક ન કરે. 

પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ બંધ થશે?
'ફ્લેક્સ ફ્યૂલ' (Flex Fuel) અથવા લચીલું ઇંધણ, ગૈસોલીન અને મેથેનોલ અથવા ઇથેનોલ (Ethanol) ના કોમ્બિનેશનથી બનેલું એક વૈકલ્પિક ઇંધણ છે. નિતિન ગડકરીએ કહ્યું 'મારી એક ઇચ્છા છે, હું મારા જીવનકાળમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગને અટકાવવા માંગુ છું અને આપણા ખેડૂત ઇથેનોલના રૂપમાં તેનો વિકલ્પ આપી શકીએ છીએ. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ પુણેમાં ઇથેનોલ પંપનું ઉદઘાટન કર્યું હતું. 

પશ્વિમી મહારાષ્ટ્રમાં ઇથેનોલ પંપ થશે સ્થાપિત
આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવાર પણ હાજર હતા. પવાર સાથે ગડકરીએ કહ્યું, 'હું તમને (અજિત પવાર) પુણે સાથે-સાથે પશ્વિમી મહારાષ્ટ્રના જિલ્લામાં ઘણા ઇથેનોલ પંપ સ્થાપિત કરવા માટે કહેવા માંગુ છું કારણ કે તેનાથી ખેડૂતો અને ખાંડ ઉદ્યોગને મદદ મળશે. પૂણે ખૂબ ભીડભાડ વાળા શહેર થઇ ગયા છે અને તેના ડિસેંટ્રલાઇજેશનની જરૂર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news