Anupama 26 April Spoiler: અનુજ માટે ષડયંત્ર રચશે માયા, દીકરી પાંખી બનશે હતાશ અનુપમાની ઢાલ!

Anupama: અનુપમામાં હવે જોવા મળશે કે અનુપમા તેની માતાની આગળ દર્દ વ્યક્ત કરે છે. તે કહે છે કે મને આશા હતી કે અનુજ મને મળશે. ઓફિસમાં મારી નજર ફક્ત તેમને શોધતી હતી. પરંતુ એવું બન્યું નહીં. મારા અનુજ મને મળ્યા વગર જતા રહ્યા. 

Anupama 26 April Spoiler: અનુજ માટે ષડયંત્ર રચશે માયા, દીકરી પાંખી બનશે હતાશ અનુપમાની ઢાલ!

Anupama Upcoming Twist 26 April: રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટારર અનુપમા હાલના દિવસોમાં અનેક એવોર્ડ જીતી રહ્યો છે અને સાથે સાથે ટીઆરપીમાં પણ નંબર વન પર છે. જો કે શોમાં હાલ જે ટ્રેક છે તેમાં અનુજ અને અનુપમા સાથે નથી. જેને લઈને દર્શકોની નારાજગી વધી રહી છે. હાલમાં શોમાં જોવા મળ્યું કે અંકુશ અનુ અને અનુજને ભેગા કરવા માટે મથે છે. પરંતુ જ્યારે અનુપમા કેબિનમાં પગ મૂકે છે ત્યારે અનુજ ત્યાંથી જતો રહ્યો હોય છે. પરંતુ અનુપમાને વિશ્વાસ છે કે અનુજ જો તેના ઘર સુધી આવ્યો છે તો જલદી તેના જીવનમાં પણ પાછો ફરશે. જો કે ગૌરવ ખન્ના અભિનિત સિરિયલ અનુપમામાં આ ટ્વીસ્ટ અહીં જ પૂરો નથી થતો. 

ષડયંત્ર રચશે બરખા અને માયા
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટારર અનુપમામાં જોવા મળશે કે બરખા માયાને ફોન પર જણાવશે કે અનુજ અને અનુપમા એકબીજાને મળી શક્યા નથી. બરખા માયાના દિમાગમાં ભરી દેશે કે અનુજ અનુપમાને એટલા માટે નથી મળ્યો કારણ કે તે હવે અનુપમાને પ્રેમ કરતો નથી અને તેને હવે માયા અને નાની અનુની આદત પડી ગઈ છે. બરખા માયાને સલાહ આપે છે કે અનુજ અનુપમામાં અંતર આવી ગયું છે હવે બસ તેમને અલગ કરવાના છે. 

અનુપમા સ્પોઈરનો વીડિયો

બરખાનો ક્લાસ લગાવશે પાખી
શોમાં હવે જોવા મળશે કે બરખા અંકુશને અનુજ અને અનુપમાને મિલાવવા બદલ વઢશે. ત્યારે ત્યાં પાંખી આવી જશે અને કહેશે કે અનુજ અને અનુપમા એકદિવસ ચોક્કસ આવશે અને જે દિવસે આવશે તે દિવસે તમારો સામાન આ ઘરમાંથી હું પોતે ફેંકીશ. પાખીની આ વાત પર અધિક ગુસ્સો કરે છે પરંતુ તે તેને પણ ચૂપ કરાવી દે છે. આ સાથે જ તે બરખાને ચેતવણી આપે છે કે જ્યાં સુધી અનુ-અનુજ આ ઘરમાં નથી ત્યાં સુધી તેમની ચીજોની રખેવાળી તે પોતે કરશે. 

અનુજની હરકતથી અનુપમાનું દિલ તૂટ્યું
અનુપમામાં હવે જોવા મળશે કે અનુપમા તેની માતાની આગળ દર્દ વ્યક્ત કરે છે. તે કહે છે કે મને આશા હતી કે અનુજ મને મળશે. ઓફિસમાં મારી નજર ફક્ત તેમને શોધતી હતી. પરંતુ એવું બન્યું નહીં. મારા અનુજ મને મળ્યા વગર જતા રહ્યા. 

અનુજને પોતાનો બનાવવાની કોશિશ કરશે માયા
અનુપમામાં એન્ટરટેઈનમેન્ટનો ડોઝ અહીં જ પૂરો થતો નથી. શોમાં જલદી જોવા મળશે કે અનુજના આવતા જ માયાના ચહેરા પર ખુશી છવાઈ જશે. તે અનુજને પોતાનો બનાવવા માટે ષડયંત્ર રચશે અને મનમાં વિચારશે કે હવે તમે ફક્ત મારા છો. તમને મારા થતા કોઈ રોકી શકશે નહીં. જો કે શોમાં એ જોવું રસપ્રદ રહેશે કે અનુજ અને અનુપમાને દૂર કરવા માટે માયાનું આગાળનું પગલું શું હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news