કોઈના 10 મહિને તો કોઈના 12 મહિને, થોડા મહિનાઓમાં જ તૂટ્યા આ સિતારાઓના લગ્ન

બોલીવુડમાં ઘણીવાર સિતારાઓના અફેર અને બ્રેકઅપની ખબર આવે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા સિતારા છે જેમના લગ્ન ટૂંકા ગાળામાં જ તૂટી ગયા. રેખાએ દિલ્લીના બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે વર્ષ 1990માં લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન બાદ મુકેશ ડિપ્રેશનમાં રહેવા લાગ્યા હતા. લગ્નના 12 મહિના બાદ મુકેશે આત્મહત્યા કરી હતી. 

કોઈના 10 મહિને તો કોઈના 12 મહિને, થોડા મહિનાઓમાં જ તૂટ્યા આ સિતારાઓના લગ્ન

બોલીવુડમાં ઘણીવાર સિતારાઓના અફેર અને બ્રેકઅપની ખબર આવે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા સિતારા છે જેમના લગ્ન ટૂંકા ગાળામાં જ તૂટી ગયા. આજે અમે તમને એવા સિતારાઓના વિશે જણાવીશું કે, જેમના લગ્ન લાંબા સમય સુધી ટકી ન શક્યા.

1. રેખા અને મુકેશ અગ્રવાલઃ
બોલીવુડ અદાકારા રેખાએ દિલ્લીના બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે વર્ષ 1990માં લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન બાદ મુકેશ ડિપ્રેશનમાં રહેવા લાગ્યા હતા. લગ્નના 12 મહિના બાદ મુકેશે આત્મહત્યા કરી હતી. જણાવી દઈએ કે, રેખાના જ દુપટ્ટાથી ગળેફાંસો ખાઈ લીધો. પતિના મૃત્યુ બાદ રેખાએ બીજા લગ્ન ન કર્યા. જો કે, રેખાએ આ વિશે ક્યારેય કોઈ વાત નથી કરી.

2. કરણસિંહ ગ્રોવર-શ્રદ્ધા નિગમઃ
અભિનેતા કરણ સિંહ ગ્રોવર તેની પત્ની બિપાશા બાસુ સાથે ખૂબ જ ખુશ છે. જોકે કરણના આ ત્રીજા લગ્ન છે. કરણે પહેલાં શ્રદ્ધા નિગમ સાથે લગ્ન કર્યા અને 10 મહિના પછી જ બંને અલગ થઈ ગયા હતા. શ્રદ્ધાએ કરણ સિંહ ગ્રોવરથી છૂટાછેડા માટે અરજી કરી હતી જ્યારે તેને ખબર પડી કે તેના પતિનું એક મહિલા ડાન્સ કોરિયોગ્રાફર સાથે અફેર છે. જણાવી દઈએ કે, કરણ સિંહ અને શ્રદ્ધા નિગમ આજે તેમના જીવનમાં ખુશ છે.

3. મલ્લિકા શેરાવત અને કરણસિંહ ગિલઃ
બોલીવુડની જાણીતી અભિનેત્રી મલ્લિકા શેરાવતે ક્યારેય પોતાના લગ્ન વિશે કોઈને વાત કરી નથી. તેમના લગ્નના અમુક ફોટા સામે આવ્યા બાદ જાણવા મળ્યું છે કે, અભિનેત્રી બોલીવુડમાં આવ્યા પહેલાં લગ્ન કરી ચૂકી હતી. જાણકારી મુજબ, મલ્લિકાના પહેલાં લગ્ન પાયલટ કરણસિંહ ગિલ સાથે થયા હતા. પરંતુ લગ્ન બાદ મલ્લિકાએ પોતાના કરિયરને પસંદ કર્યું અને પતિથી અલગ થઈ ગઈ. 

4. સારા ખાન અને અલી મર્ચેંટઃ
ટીવીની મશહૂર એક્ટ્રેસ સારા ખાન જ્યારે બિગ બોસની સિઝન-4માં આવી હતી. તેમને બિગ બોસના જ ઘરમાં બોયફ્રેંડ અલી મર્ચેંટ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના બે મહિના બાદ જ તે બંનેએ છુટાછેડા લઈ લીધા હતા. જાણકારી મુજબ બિગ બોસ શોના મેકર્સે આ બંનેને શોમાં લગ્ન કરવા માટે 50 લાખ રૂપિયા આપ્યા હતા. જો કે, ચેનલે આ ખબરને ખોટી ગણાવી હતી. 

5. પુલકિત અને શ્વેતા રોહિરાઃ
પુલકિત અને શ્વેતા રોહિરાની જોડી ચર્ચામાં રહી હતી. લગ્ન બાદ આ બંનેની વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. એક સમય એવો પણ આવ્યો જ્યારે બંને અલગ થઈ થયા. બંનેના લગ્ન માત્ર 12 મહિના સુધી ચાલ્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news