ભાગ્યે જ જાહેરમાં બોલતા મનોજકુમારે કહી મોટી વાત, કંગના થઈ જશે ફુલીને ફાળકો

કંગનાને ઝાંસીની રાણીના રોલમાં ચમકાવતી ફિલ્મ શુક્રવારે રિલીઝ થવાની છે

ભાગ્યે જ જાહેરમાં બોલતા મનોજકુમારે કહી મોટી વાત, કંગના થઈ જશે ફુલીને ફાળકો

મુંબઈ : કંગના રનૌતને મુખ્ય રોલમાં ચમકાવતી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના જીવન પર આધારિત 'મણિકર્ણિકા' શુક્રવારે રિલીઝ થવાની છે. હાલમાં આ ફિલ્મનું મુંબઈમાં સ્ક્રિનિંગ રાખવામાં આવ્યું હતું. આ ફિલ્મના સ્ક્રિનિંગમાં ભારત કુમાર તરીકે ઓળખાતા મનોજ કુમાર પણ પહોંચ્યા હતા. તેમણે આ ફિલ્મ જોઈને ઝી ન્યૂઝ પાસે પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું છે. 

મનોજ કુમારે કહ્યું છે કે મણિકર્ણિકા ફિલ્મ બહુ સારી બની છે. આ ફિલ્મ સાથે ઇતિહાસના પાનામાં સંતાયેલું રાની લક્ષ્મીબાઈનું પાત્ર ફરી લોકો સામે આવી જશે. હર હર મહાદેવના જયઘોષ સાથે કંગના અહેસાસ કરાવે છે કે તે રાણી લક્ષ્મીબાઈનો રોલ કરવા માટે જ બની છે. મનોજ કુમારે કંગનાના વખાણ કરતા કહ્યું છે કે કંગના દિલથી આ પાત્ર જીવી છે અને તેણે આ પાત્રને બહુ સારી રીતે ન્યાય આપ્યો છે. 

કંગના રનૌતની ફિલ્મ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના જીવન પર આધારિત છે. તેણે આ ફિલ્મમાં માત્ર એક્ટિંગ નથી કરી પણ એનું ડિરેક્શન પણ કર્યું છે. આ ફિલ્મ હિન્દી અને અને તેલુગુ ભાષામાં 25 જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં કંગના સિવાય અતુલ કુલકર્ણી, જિશુ સેનગુપ્તા, સુરેશ ઓબેરોય, ડેની અને અંકિતા લોખંડે ખાસ રોલમાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news