ફરી ધૂમ મચાવવા આવી રહ્યા છે ગુજ્જુભાઈ, ક્યારે ? જાણવા કરો ક્લિક...

સિદ્ધાર્થ રાંદેરિયાએ ફેસબુક પર આ જાહેરાત કરી છે

ફરી ધૂમ મચાવવા આવી રહ્યા છે ગુજ્જુભાઈ, ક્યારે ? જાણવા કરો ક્લિક...

મુંબઈ : સુપરહિટ ગુજરાતી એક્ટર સિદ્ધાર્થ રાંદેરિયાનો આગવો ચાહકવર્ગ છે. તેમની ગુજ્જુભાઈ ધ ગ્રેટ અને ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ જેવી ગુજરાતી ફિલ્મોએ દર્શકોને પેટ પકડીને હસાવ્યા હતા. આ સિરિઝના તેમના નાટકો પણ સુપરહિટ સાબિત થયા છે. ગુજ્જુભાઈ સિરિઝની બે ફિલ્મોના પગલે સિદ્ધાર્થ રાંદેરિયા અને જિમિત ત્રિવેદીની જોડીએ લોકોના દિલમાં પોતાનું ખાસ સ્થાન બનાવી લીધું છે. હાલમાં રિલીઝ થયેલી નટસમ્રાટ અને ચાલ જીવી લઈએમાં તેમની એક્ટિંગના જબરદસ્ત વખાણ થયા છે. 

હાલમાં ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડને 365 દિવસ પૂરા થવા પર શનિવારે સિદ્ધાર્થ રાંદેરિયાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો મૂકીને ચાહકો સાથે ખુશી શેર કરી હતી. તેમાં ફિલ્મનો એક ડાયલોગ બોલીને તેમણે ઓડિયન્સનો આભાર માન્યો હતો. તેમણે આ મેસેજમાં ગુજ્જુભાઈ સિરીઝની આગામી ફિલ્મની પણ જાહેરાત કરી છે.

સિદ્ધાર્થ રાંદેરિયાનો જન્મ 17 ડિસેમ્બર, 1955ના રોજ મુંબઈમાં ગુજરાતી લેખક અને નાટ્ય કલાકાર મધુકર રાંદેરિયાને ત્યાં થયો હતો. તેમનો પુત્ર ઇશાન રાંદેરિયા પણ નાટક અને સિનેમા સાથે જોડાયેલ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news