Taarak Mehta Ka Ooltah Chashmah નો લોકપ્રિય ટપ્પૂ શો છોડશે! મેકર્સે મૌન તોડીને હકીકત જણાવી

જોકે, ભવ્યા ગાંધી પછી રાજ અનાદકત જ  તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપ્પૂની ભૂમિકા ભજવી રહ્યા છે, આ ભૂમિકામાં રાજ, પ્રશંસકોને ઘણા પસંદ પડી રહ્યા છે. એવામાં રાજને લઈને સામે આવેલા અહેવાલના કારણે ઘણા ફેન્સ નિરાશ થયા છે.

Taarak Mehta Ka Ooltah Chashmah નો લોકપ્રિય ટપ્પૂ શો છોડશે! મેકર્સે મૌન તોડીને હકીકત જણાવી

નવી દિલ્હી: લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)માં જેઠાલાલ, તારક મહેતા, દયા, બાપૂજી જેવા ઘણા કલાકારો છે જે લોકોના દિલોમાં રાજ કરે છે. પરંતુ આ તમામ પાત્રો વચ્ચે એક ધ્યાન ખેંચનાર પાત્ર છે ટપ્પૂ... જેની ટપ્પૂ સેના નાનપણથી લઈને જવાની સુધી આખી સોસાયટીમાં ધમાલ મચાવવા માટે જાણીતી છે. છેલ્લાં કેટલાક દિવસોથી અહેવાલ મળી રહ્યા છે કે શોનો ટપ્પૂ એટલે કે રાજ અનાદકત (Raj Anadkat) શો છોડી રહ્યો છે. આ અહેવાલને લઈને હવે મેકર્સે હકીકત જણાવી છે.

શોમાંથી જઈ રહ્યા નથી રાજ
જોકે, ભવ્યા ગાંધી પછી રાજ અનાદકત જ  તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપ્પૂની ભૂમિકા ભજવી રહ્યા છે, આ ભૂમિકામાં રાજ, પ્રશંસકોને ઘણા પસંદ પડી રહ્યા છે. એવામાં રાજને લઈને સામે આવેલા અહેવાલના કારણે ઘણા ફેન્સ નિરાશ થયા છે. હવે ફેન્સને રાહત આપવા માટે ખુદ મેકર્સ એ આ અહેવાલ પર મૌન તોડીને હકીકત જણાવી છે. અમારી સહયોગી વેબસાઈટ Bollywoodlife.comના અહેવાલ અનુસાર રાજ શોને છોડી રહ્યા નથી. 

મેકર્સ થયા અફવાહના કારણે નારાજ
આ રિપોર્ટનું માનીએ તો રાજ અનાદકત 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો છોડી રહ્યા નથી, કારણે એક સૂત્ર એ ખુલાસો કર્યો છે કે મેકર્સને મીડિયામાં ફેલાયેલી આ અફવાહના કારણે ઘણા ગુસ્સો આવ્યો છે. પરંતુ અત્યાર સુધી મેકર્સ આ અફવાહ પર કંઈ પણ ઓફિશિયલી બોલી રહ્યા નથી કારણ કે તેમને લાગે છે કે તેના પર સ્પષ્ટતા કરવાની કોઈ જરૂર જ નથી. પરંતુ હકીકત એ પણ છે કે રાજ અનાદકત જ શોમાં ટપ્પૂની ભૂમિકા નિભાવતા રહેશે.

મુનમુન દત્તાને લઈને પણ ઉડી હતી અફવાહ
આ સૂત્રએ જણાવ્યું છે કે, થોડાક સમય પહેલા બબીતાજી એટલે કે મુનમુન દત્તાને લઈને પણ આવા જ અહેવાલ સામે આવ્યા હતા કે 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' શો છોડી રહી છે. પરંતુ અત્યાર સુધી સળંગ મુનમુન શોમાં નજરે પડી રહી છે. ત્યારબાદ મીડિયામાં અહેવાલ આવ્યા કે રાજ અને મુનમુનની વચ્ચે અફેયર છે અને બન્ને જણાં એક બીજાની ઘણી નજીક છે. આ વાત પર રાજ અને મુનમુન ઘણા નારાજ થયા હતા. કારણ કે બન્ને જણાં નથી ઈચ્છતા કે તેમના વિશે આવી અફવાહો ફેલાવવામાં આવે, આ સંદર્ભે બન્ને જણાંએ તેમના પ્રોડક્શન હાઉસને પણ જાણકારી આપી હતી. પરંતુ હવે ચીજો ઘણી બલાઈ ચૂકી છે.. આવા અવસરો કલાકારોની જિંદગીમાં આવે છે પરંતુ આજ ચીજો સમયની સાથે બરાબર થઈ જાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news