હાઈટેક સુવિધાઓથી સજ્જ થશે ગુજરાતના આ 87 રેલવે સ્ટેશન, ઉત્તમ કનેક્ટિવિટીની સાથે હશે આવી સુવિધા

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગૃહમાં કહ્યું હતું કે તાજેતરમાં શરૂ કરાયેલી 'અમૃત ભારત સ્ટેશન યોજના' હેઠળ દેશમાં 1275 સ્ટેશનો વિકસાવવામાં આવી રહ્યા છે.

 હાઈટેક સુવિધાઓથી સજ્જ થશે ગુજરાતના આ 87 રેલવે સ્ટેશન, ઉત્તમ કનેક્ટિવિટીની સાથે હશે આવી સુવિધા

ઝી ન્યૂઝ/અમદાવાદ: રેલવેએ આપણા દેશમાં પરિવહનનું મુખ્ય માધ્યમ છે. રોજ કરોડો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. ભારતીય રેલ્વે મુસાફરોની મુસાફરીને સરળ બનાવવા માટે ટ્રેનોને વધુ આરામદાયક બનાવવા અને સમયાંતરે સ્ટેશનો વિકસાવવા પર પણ કામ કરી રહી છે.

આવી સ્થિતિમાં હવે ભારતીય રેલ્વેએ દેશના કુલ 1275 રેલ્વે સ્ટેશનોની કાયાપલટની તૈયારીઓ શરૂ કરી દિધી છે. તાજેતરમાં રેલવે સ્ટેશનોના વિકાસ માટે 'અમૃત ભારત સ્ટેશન યોજના' શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ, લાંબા ગાળાની વિચારસરણી સાથે, રોજના ધોરણે રેલવે સ્ટેશનોના વિકાસની કલ્પના કરવામાં આવી છે.

થોડા સમય પહેલા, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગૃહમાં કહ્યું હતું કે તાજેતરમાં શરૂ કરાયેલી 'અમૃત ભારત સ્ટેશન યોજના' હેઠળ દેશમાં 1275 સ્ટેશનો વિકસાવવામાં આવી રહ્યા છે. જેમાં ઉત્તર પ્રદેશના સૌથી વધુ 149, મહારાષ્ટ્રના 123, પશ્ચિમ બંગાળના 94 અને ગુજરાતના 87 સ્ટેશનોને નવજીવન આપવામાં આવશે.

કેટલી બદલાશે સ્ટેશનોની સ્થિતી
આ યોજના રેલવે સ્ટેશનોના આધુનિકીકરણ માટે શરૂ કરવામાં આવી છે. યોજના હેઠળ, સ્ટેશનોના ઓપરેશનલ વિસ્તારો, વેઇટિંગ રૂમ, શૌચાલય, લિફ્ટ/એસ્કેલેટર, સ્વચ્છતા, ફ્રી વાઇ-ફાઇ, વન સ્ટેશન-વન પ્રોડક્ટ માટે કિઓસ્ક, વધુ સારી પેસેન્જર માહિતી સિસ્ટમ, એક્ઝિક્યુટિવ લોન્જ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. રેલવે સ્ટેશનને સમગ્ર શહેરમાંથી મધ્યમાં લાવવા માટે બંને છેડેથી પ્રવેશની વ્યવસ્થા કરવામાં આવશે. દિવ્યાંગો માટે વધુ સારી સુવિધા, બેલાસ્ટલેસ ટ્રેક અને રૂફ પ્લાઝા વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

ગુજરાતના આ રેલવે સ્ટેશનોની થશે કાયાપલટ
ગુજરાતમાં કુલ 87 રેલ્વે સ્ટેશનોનું આધુનિકરણ કરવામાં આવશે. આ સ્ટેશનોમાં અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, અસારવા, બારડોલી, ભચાઉ, ભક્તિનગર, ભાણવડ, ભરૂચ, ભાટિયા, ભાવનગર, ભેસ્તાન, ભીલડી, બીલીમોરા (એન.જી.), બીલીમોરા જંકશન, બોટાદ જંકશન, ચાંદલોડિયા, ચોરવાડ રોડ, ડભોઈ જંકશન, દાહોદનો સમાવેશ થાય છે. ડાકોર, દેરોલ, ધ્રાંગધ્રા, દ્વારકા, ગાંધીધામ, ગોધરા જંકશન, ગોંડલ, હાપા, હિંમતનગર, જામ જોધપુર, જામનગર, જામવંતાલી, જૂનાગઢ, કલોલ, કનાલુસ જંકશન, કરમસદ, કેશોદ, ખંભાળિયા, કીમ, કોસંબા જંકશન, લખતર, લીંબડી, લીમખેડા, મહેમદાવાદ અને ખેડા રોડ, મહેસાણા, મહુવા, મણીનગર, મીઠાપુર, મિયાગામ કરજણ, મોરબી, નડિયાદ, નવસારી, નવા ભુજ, ઓખા, પડધરી, પાલનપુર, પાલિતાણા, પાટણ, પોરબંદર, પ્રતાપનગર, રાજકોટ, રાજુલા જંકશન, સાબરમતી (બીજી) & એમજી), સચિન, સામખીયાળી, સંજાણ, સાવરકુંડલા, સાયન, સિદ્ધપુર, સિહોર જંકશન, સોમનાથ, સોનગઢ, સુરત, સુરેન્દ્રનગર, થાન, ઉધના, ઉધવાડા, ઉમરગાંવ રોડ, ઊંઝા, ઉતરન, વડોદરા, વાપી, વટવા, વેરાવળ, વિરમગામ, વિશ્વામિત્રી જંકશન, વાંકાનેરનો સમાવેશ થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news