રોહિણી નક્ષત્ર બેસી ગયા બાદ ગુજરાતમાં પાકે છે આ કેરી, જાણો શું છે નક્ષત્ર અને કેરીને સંબંધ?

વલસાડ જિલ્લામાં રોહિણી નક્ષત્ર બેસતાની સાથે જ વલસાડી હાફૂસ કેરીની સીઝન શરૂ થઈ હોય છે. આથી જિલ્લાના કેરી બજારો ધમધમતા થયા છે. જોકે ગયા વર્ષની સરખામણીમાં આ વખતે કેરીનું ઉત્પાદન પણ ઓછું છે અને ખેડૂતોને ભાવ પણ ઓછો મળી રહ્યો હોવાથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. 

રોહિણી નક્ષત્ર બેસી ગયા બાદ ગુજરાતમાં પાકે છે આ કેરી, જાણો શું છે નક્ષત્ર અને કેરીને સંબંધ?

નિલેશ જોશી/વાપી: કેરીઓના વાડીઓના પ્રદેશ વલસાડ જિલ્લામાં રોહિણી નક્ષત્ર બેસતાની સાથે જ વલસાડી હાફૂસ કેરીની સીઝન શરૂ થઈ હોય છે. આથી જિલ્લાના કેરી બજારો ધમધમતા થયા છે. જોકે ગયા વર્ષની સરખામણીમાં આ વખતે કેરીનું ઉત્પાદન પણ ઓછું છે અને ખેડૂતોને ભાવ પણ ઓછો મળી રહ્યો હોવાથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. 

વલસાડ જિલ્લામાં અંદાજે 35 હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં આંબાવાડીઓ આવેલી છે. દર વર્ષે જિલ્લામાં હજારો ટન કેરીનું ઉત્પાદન થાય છે અને વલસાડી આફૂસ અને કેસર સહિતની કેરી સ્વાદ માટે જગવિખ્યાત છે. આથી વલસાડની કેરીઓ ગુજરાત ઉપરાંત દેશ અને દુનિયાના અન્ય દેશોમાં પણ એક્સપોર્ટ કરવામાં આવે છે. વલસાડ જિલ્લામાં સામાન્ય રીતે કેરીની સીઝન રોહિણી નક્ષત્ર પછીથી શરૂ થતી હોય છે. 

આથી હવેથી વિધિવત રીતે જિલ્લાના કેરી બજારો ધમધમતા થયા છે. જોકે આ ગયા વર્ષની સરખામણીમાં આ વખતે જિલ્લામાં કેરીનું ઉત્પાદન ઓછું છે. ખેડૂતોના મતે આ વખતે માંડ 20 થી 25% જ કેરીનો પાક છે. આથી ઓછા ઉત્પાદન અને ખેતીમાં મોંઘા ભાવના દવા ખાતર અને મજૂરીને કારણે આ વખતે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.

વધુમાં ઓછું ઉત્પાદન હોવા છતાં પણ બજારમાં ખેડૂતોને કેરીનો પોષણક્ષમ ભાવ મળતો નથી. આથી ખેડૂતો નારાજ છે. તો બજારમાં વેપારીઓ પણ આ વખતે ઉત્પાદન ઓછું હોવાથી આ વખતે વલસાડ જિલ્લામાં કેરીની સીઝન માં ઓછા ઉત્પાદન અને ઓછા વેપારને કારણે વેપારીઓ પણ પરેશાન છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news