બિનસચિવાલય ક્લાર્ક પેપરકાંડમાં કોંગ્રેસના કાર્યકર્તાનો મોટો ખુલાસો, 3 વ્યક્તિઓને પેપર ફોડીને મોકલ્યું હતું

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા (BinSachivalay Clerk Exam) માં પેપર લીક (Paper leak) ને કારણે વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું હતું, ત્યારે આ મામલે તાપસનો દોર શરૂ થતાં પેપર લીકમાં સંડોવાયેલ કેટલાક આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. તો કેટલાક આરોપીના નામ બહાર આવતા જ તેઓ ફરાર થઈ ગયા છે. જેમાં પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પંચાસર ગામના તલાટી કમ મંત્રી પ્રવીણદાન ગઢવીનું નામ પણ પેપરલીકમાં બહાર આવવું છે. મૂળ અમદાવાદનો રહેવાસી અને હાલમાં તલાટી તરીકે ફરજ બજાવતો પ્રવીણદાન ગઢવીને પોલીસ શોધવા નીકળી તો જાણવા મળ્યું કે તે છેલ્લા 15 દિવસથી ફરજ પર ગેરહાજર છે અને ભૂગર્ભમાં ઉતરી ગયો છે.  
બિનસચિવાલય ક્લાર્ક પેપરકાંડમાં કોંગ્રેસના કાર્યકર્તાનો મોટો ખુલાસો, 3 વ્યક્તિઓને પેપર ફોડીને મોકલ્યું હતું

પ્રેમલ ત્રિવેદી/પાટણ :બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા (BinSachivalay Clerk Exam) માં પેપર લીક (Paper leak) ને કારણે વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું હતું, ત્યારે આ મામલે તાપસનો દોર શરૂ થતાં પેપર લીકમાં સંડોવાયેલ કેટલાક આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. તો કેટલાક આરોપીના નામ બહાર આવતા જ તેઓ ફરાર થઈ ગયા છે. જેમાં પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પંચાસર ગામના તલાટી કમ મંત્રી પ્રવીણદાન ગઢવીનું નામ પણ પેપરલીકમાં બહાર આવવું છે. મૂળ અમદાવાદનો રહેવાસી અને હાલમાં તલાટી તરીકે ફરજ બજાવતો પ્રવીણદાન ગઢવીને પોલીસ શોધવા નીકળી તો જાણવા મળ્યું કે તે છેલ્લા 15 દિવસથી ફરજ પર ગેરહાજર છે અને ભૂગર્ભમાં ઉતરી ગયો છે.  

ત્રણ વ્યક્તિઓને પેપર ફોડીને મોકલ્યું હતું
બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાના પેપરફોડ કાંડના આરોપી અને કોંગ્રેસના કાર્યકર્તા લખવિંદરસિંહની પૂછપરછમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે તેણે ત્રણ વ્યક્તિઓને પેપર ફોડીને મોકલ્યું હતું. પોલીસને તેના પુરાવા પણ હાથ લાગ્યા છે. યુવરાજ સિંહ મોરી, મહાવીરસિંહ અને ફેનીલ નામના ત્રણ યુવકોને પેપર ફોડીને મોકલવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે એમ.એસ. પબ્લિક સ્કૂલના અન્ય કર્મચારીઓની ભૂમિકાની તપાસ કરવામાં આવશે. વધુમાં ઘટસ્ફોટ થયો છે કે, આરોપી રામ ગઢવીએ દિપક નામના આરોપીનો મોબાઈલ ગુમ કરી દીધો છે. પેપરફોડના તમામ આરોપીઓના મોબાઈલ કોલ ડિટેલની પણ તપાસ કરવામાં આવશે.

મુખ્ય આરોપી તલાટી 15 દિવસથી ઓફિસ નથી આવતો
શંખેશ્વરના પંચાસર ગામના તલાટી તરીકે ફરજ બજાવતો પ્રવીણદાન ગઢવી રજાની પરમિશન લીધા વગર જ છેલ્લા 15 દિવસથી ભૂગર્ભમાં ઉતરી ગયો છે. જોકે પેપરલીક કૌભાંડનું પાટણ કનેક્શન ખૂલતા જિલ્લા વિકાસ અધિકારી (DDO)એ પ્રવીણદાન ગઢવી સામે કાર્યવાહી શરુ કરી છે. પ્રવીણદાન ગઢવી છેલ્લા 13 ડિસેમ્બરથી ગાયબ છે. જેની જાણ પણ કોઈને કરાઈ નથી.

બિનસચિવાલય મુદ્દે રાજકારણ શરૂ
બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ અને પેપર ફૂટવા મામલે ખૂબ હોબાળો થયો. અંતે આરોપીઓ તો સકંજામાં આવ્યા પણ આ સમગ્ર કાંડમાં કોંગ્રેસની સંડોવણીનો આરોપ થતાં રાજકારણ શરુ થયુ છે. મુખ્ય આરોપી હજુ પોલીસ પકડની બહાર છે અને કોંગ્રેસ પોતાના બચાવમાં લાગી છે. અને સરકાર સતત પ્રહારોનો મારો ચલાવી રહી છે. હાલ તો પેપરકાંડના તમામ આરોપીઓ 3 જાન્યુઆરી સુધી રિમાન્ડ પર ધકેલાયા છે તેમની પૂછપરછમાં જ વધુ વિગતો ખૂલશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news