બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષા News

બિનસચિવાલય ક્લાર્ક પેપરકાંડમાં કોંગ્રેસના કાર્યકર્તાનો મોટો ખુલાસો, 3 વ્યક
Dec 27,2019, 9:08 AM IST
બિન સચિવાલય પેપરલીક મામલો: અમદાવાદની આ સ્કૂલમાં ફૂટ્યું પેપર
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત 17 નવેમ્બરે લેવાયેલી બિન સચિવાલય ક્લાર્ક-3ની ભરતી પરીક્ષાને 16 ડિસેમ્બરે રાજ્ય સરકારે રદ કરી હતી. જો કે આ મામલે આજે પોલીસે પાંચ શખ્સોની ધરપકડ કરી છે. આ અંગે રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાએ જણાવ્યું કે, પ્રવીણદાન ગઢવી પેપરલીક કાંડનો મુખ્ય સૂત્રધાર છે. વોટ્સએપ અને ટેલિગ્રામ પર પેપર મોકલવામાં આવ્યું હતું. તેમજ સ્કૂલના પ્રિન્સિપાલ વિજયસિંહ વાઘેલાની પણ સંડોવણી છે અને દાણીલીમડાની એક સ્કૂલમાંથી પેપરલીક થયું હતું. લખવિંદર સિંહ નામનો આરોપી કોંગ્રેસનો કાર્યકર છે. સ્કૂલ સંચાલકો મારફતે આખું કૌભાંડ થયું છે. આ સ્કૂલ સામે તપાસ ચાલુ કરવામાં આવી છે. ફખરુદ્દીન નામના શખ્સે પેપરના ફોટોઝ પાડ્યા હતા.
Dec 25,2019, 23:50 PM IST
બિનસચિવાલય પરીક્ષાના કૌભાંડ બાદ સરકારે લીધો બોધપાઠ, બોર્ડ પરીક્ષા માટે ખાસ
Dec 17,2019, 12:21 PM IST
binsachivalay exam શરૂ થયાના 54 મિનીટ પહેલા પેપર વોટ્સએપમાં ફરતુ થયું હતું
બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા (binsachivalay exam) માં ગેરરીતિ મામલે રચાયેલી SIT મુખ્યમંત્રી સમક્ષ રિપોર્ટ રજૂ કરશે. ત્યારે ગઈકાલે સીટની મળેલી આ બેઠકમાં FSLના નિષ્ણાતો પણ હાજર રહ્યા. જેના રિપોર્ટ મુજબ, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાતોએ બિન સચિવાલય ક્લર્કની પરીક્ષામાં થયેલી ચોરીનાં સીસીટીવી ફૂટેજ તપાસ્યાં તેમાં ચોંકાવનારાં તથ્યો સામે આવ્યાં છે. સાથે જ પેપર લીક થયું હોવાના મોબાઈલ ડેટાના પુરાવાની ચકાસણી કરવામાં આવી તેમાં પણ ચોંકાવનારી માહિતી સામે આવી છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના રિપોર્ટમાં વિદ્યાર્થીઓએ આપેલા પેપર લીકના પુરાવા અને સીસીટીવી ફૂટેજમાં તથ્ય હોવાનો મત વ્યક્ત થયો છે. SITની ટીમ આવતીકાલે મુખ્યમંત્રીને આ રિપોર્ટ સોંપે તેવી સંભાવના છે. રિપોર્ટ મળ્યા પછી જ સીએમ રૂપાણી રિપોર્ટના આધારે અંતિમ નિર્ણય લેશે. જોકે બેઠક પછી સીટના વડા કમલ દયાનીએ કોઈ પણ નિવેદન આપવાનું ટાળ્યું છે અને માત્ર એટલુ જ જણાવ્યુ છે કે પરીક્ષા સંદર્ભે તપાસ ચાલુ છે.
Dec 15,2019, 11:32 AM IST
બિનસચિવાલય પરીક્ષા આંદોલન : ગાયબ થઈ ગયા નેતાઓ, ગણ્યાગાંઠ્યા વિદ્યાર્થીઓ બચ
ચાર દિવસ પહેલા શરૂ થયેલું બિનસચિવાલય પરીક્ષા (binsachivalay exam) રદ કરોનું આંદોલન ધીરે ધીરે રાજકીય સ્વરૂપ પકડાતુ ગયું. ચાર દિવસ પહેલા હજ્જારો વિદ્યાર્થીઓ ગાંધીનગર પહોંચ્યા હતા, અને પરીક્ષા રદ કરોની ગુહાર સરકાર સામે લગાવી હતી. હવે આ આંદોલન એટલું ઢીલુ પડ્યું છે કે, ગાંધીનગરમાં હવે માત્ર ગણતરીના વિદ્યાર્થીઓ જ શનિવારની સવારે જોવા મળ્યા. આંદોલનમાં જોડાયેલા નેતાઓ પણ ક્યાંક ગાયબ થઈ ગયા છે. હાલ આંદોલન (save Gujrat students) ના લેટેસ્ટ અપડેટની વાત કરીએ તો, સ્થળ પર 35 જેટલા પરિક્ષાર્થીઓ જ હાજર જોવા મળી રહ્યાં છે. તો બીજી તરફ, કોંગ્રેસે (Congress) 5 ધારાસભ્યો રોજ ઉપવાસમાં જોડાશે તેવી વાત કરી હતી, ત્યારે આજે માત્ર ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત જ આંદોલનમાં જોવા મળ્યા હતા. 
Dec 7,2019, 11:02 AM IST
binsachivalay exam: NSUIનું રાજ્યભરની કોલેજ બંધનું એલાન
બિનસચિવાલય પરીક્ષા (બિનસચિવાલય) રદ્દ કરવાની માંગ સાથે ચાલુ થયેલુ આંદોલન એક પ્રકારે હવે રાજકીય રંગ પકડવા લાગ્યું છે. ગોપાલ ઇટાલિયા, હાર્દિક પટેલ, પરેશ ધાનાણી, અમિત ચાવડા સહિતનાં નેતાઓ હવે આંદોલનમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસના ધારાસભ્યો પણ હવે આંદોલન સ્થળે બેસી વિરોધ કરી રહ્યા છે. ગાંધીનગરનાં સ્થાનિક કોંગ્રેસી આગેવાનો પણ ધીરે ધીરે એકત્ર થવા લાગ્યા છે. જેથી એક તબક્કા સાવ તુટી ચૂકેલું લાગતું આંદોલન પાછુ જામવા લાગ્યું છે. વિદ્યાર્થીઓ ફરી એકવાર એકત્ર થવા લાગ્યા છે. અનેક વિદ્યાર્થીઓએ પ્રતીક ઉપવાસ શરૂ કરી દીધા છે. આ વિદ્યાર્થીઓને હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીએ ટેકો પણ જાહેર કર્યો છે. તેઓ હવે પરીક્ષા રદ્દ કરવાની માંગ સાથે ફરી એકવાર ધરણા પર બેસી ગયા છે. આ ઉપરાંત તમામ વિદ્યાર્થીઓને 9 ડિસેમ્બરે વિધાનસભા કૂચ કરવા માટેનું પણ આવહાન કર્યું છે. તો બીજી તરફ, NSUIએ આજે રાજ્યભરની કોલેજો બંધનું એલાન કર્યું છે. બિનસચિવાલય પરીક્ષા રદ કરવાની માંગ સાથે NSUIએ બંધના એલાનની જાહેરાત કરી છે. જેને લઈને હવે તમામ કાર્યકરો રાજ્યભરમાં કોલેજોને બંધ કરાવવા નીકળી પડ્યા છે. તો અનેક કોલેજોએ હોબાળો ન થાય તે ડરથી અગાઉથી શૈક્ષણિક કાર્ય બંધ રાખ્યું છે.
Dec 7,2019, 10:33 AM IST
BinSachivalay Exam: કોંગ્રેસના 5 ધારાસભ્યો રોજ પરીક્ષાર્થીઓને સમર્થન આપવા
બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા (binsachivalay exam) માં વિદ્યાર્થીઓના આંદોલનમાં હવે પાછલા બારણેથી કોંગ્રેસે એન્ટ્રી કરી છે. ગઈકાલે આ આંદોલનમાં અનેક મતમતાંતરો હતા, પરંતુ તેના બાદ કોંગ્રેસે આંદોલનને ખુલ્લુ સમર્થન આપ્યું હતું. બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાના પરીક્ષાર્થીઓ પરીક્ષા રદ કરવાની માંગ સાથે ઉપવાસ પર ઉતર્યા હતા. રાજ્યના પ્રત્યેક જિલ્લામાંથી આંદોલન છાવણીમાં હાજર રહેલ એક-એક વિદ્યાર્થી પ્રતિક ઉપવાસ કરશે. આજે અલગ-અલગ જિલ્લાના 13 જેટલા પરીક્ષાર્થીઓ ઉપવાસ પર બેસ્યા છે. જેમનું સમર્થન હાર્દિક પટેલે ઉપવાસ કરી પોતાનું સમર્થન આપ્યું, તો વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ પરીક્ષાર્થીઓના સમર્થનમાં આવ્યા હતા. આ સિવાય કોંગ્રેસના પાંચ ધારાસભ્યો રોજ પરીક્ષાર્થીઓ સાથે તેમની માંગણીને સમર્થન આપવા માટે હાજર રહેશે. રોજ 33 જિલ્લાના 33 પ્રતિનિધિઓ ઉપવાસ પર બેસશે તેવું કોંગ્રેસ દ્વારા જણાવાયુ છે. 
Dec 6,2019, 13:51 PM IST

Trending news