ગુજરાતમાં શું ફરી શક્તિશાળી 'તૌકતે' વાવાઝોડા જેવો છે ખતરો? ચક્રવાત સર્જાશે તો આ વિસ્તારોનું આવી બનશે!

Gujarat Weather Forecast : ગુજરાતના લોકો પર ફરી ઉભુ થયું વાવાઝોડાનું સંકટ... 7થી 11 જૂન વચ્ચે ફૂંકાશે ભારે પવનો... અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન ઉભુ થતાં ગાજવીજ અને ભારે પવન સાથે આવશે વરસાદ... 

ગુજરાતમાં શું ફરી શક્તિશાળી 'તૌકતે' વાવાઝોડા જેવો છે ખતરો? ચક્રવાત સર્જાશે તો આ વિસ્તારોનું આવી બનશે!

Gujarat Weather Forecast: ગુજરાતમાં ફરી એકવાર ચક્રવાત આવી રહ્યું છે. જેમાં વીજળીના કડાકાભડાકા સાથે ફરીથી વરસાદ આવશે. આ કારણે લોકોને ગરમીમાંથી મુક્તિ મળશે. અરબી સમુદ્રમાં 6 થી 9 જુનમાં ચક્રવાત ત્રાટકવાની સંભાવના છે. ત્યારે ગુજરતભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી પાંચ દિવસ 50 કિમીની ગતિએ પવન ફૂંકાઈ શકે છે.

ફરી એકવાર ગુજરાતની ધરતી પર આકાશથી તોળાઈ રહ્યું છે મોટો સંકટ. ઉનાળા અને ચોમાસાની સિઝનની સંતાકુકડી વચ્ચે ગુજરાતના માથે આવીને ઉભું છે વાવાઝોડાનું જોખમ. અરબી સમુદ્રમાં તો વાવાઝોડું સક્રિય થવાનું છે, પરંતુ બંગાળની ખાડીમાં પણ વધુ એક વાવાઝોડું સક્રિય થવાનું અનુમાન છે. બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં કોઈપણ સિસ્ટમ સક્રિય થાય તો તેની ગુજરાતના વાતાવરણ ઉપર અસર જોવા મળતી હોય છે. અરબ સાગરનું તાપમાન ઊંચું હોવાના કારણે વાવઝોડું સક્રિય થશે.

વાવઝોડું મજબૂત બનવાની શકયતા રહેશે. આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું, આગામી 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે. 15થી 17 જૂને દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે. 22થી 25 જૂને અન્ય વિસ્તારમાં ચોમાસું બેસી શકે છે. પિયતની સુવિધા હોય તેઓ વાવણી કરી શકે છે.

આ પાંચ દિવસ ક્યા ક્યા વરસાદ પડશે

  • 2-3 જૂન - બનાસકાંઠા, સાબરકાંઠા
  • 3 જુન - બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડ, નનવસારી, દમણ
  • 4 જૂન - સૌરાષ્ટ્ર-કચ્છમાં 50 કિમી ઝડપે પવન ફૂંકાઈ શકે છે
  • 5 જુન - બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદ

Rajkot: આ છે વિશ્વની સૌથી સૂક્ષ્મ હનુમાન ચાલીસા, રચના જોઈ ધીરેન્દ્ર શાસ્ત્રી થયા ખુશ

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ આવી રહેલા વાવાઝોડાના સંકટ વિશે જણાવ્યું કે, આગામી 5 દિવસ ગુજરાતનું વાતાવરણ સુક્કું રહેશે. કેટલાક સ્થળો પર લોકલ કનેક્ટિવ એક્ટિવિટીની સંભાવનાં છે. તો અમદાવાદમાં આજે સાંજે વરસાદની સંભાવનાં છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. આવામાં ગુજરાતમાં વાવાઝોડું આવે તેવી સંભાવનાઓ બની છે.

વાવાઝોડું ક્યારે આવશે તે વિશે તેમણે કહ્યું કે, અરબી સમુદ્રમાં સર્કયુલેશન બનવાનું છે. દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રના 5 તારીખે સાયક્લોનિક સરક્યુંકેશન બનશે. 7 જૂન આસપાસ સાયક્લોનિક સરક્યુલેસન લો પ્રેશર બની શકે છે. આ કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવશે. જૂન મહિનાની 7 થી 11 વચ્ચે ભારે વરસાદની સંભાવના છે. વાવાઝોડાની અસરને પગલે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદની વકી છે. અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી જઈ શકે છે. 

ગુજરાત માટે કેમ જોખમી છે અરબી સમુદ્રમાં થતી હલચલ?
હાલ ભરઉનાળે જે પ્રકારે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે એ એક ગંભીર બાબત છે. ગુજરાતના માટે મસમોટા વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે. જે અરબી સમુદ્રમાં થતી હલચલને કારણે છે. બંગાળની ખાડીમાં પણ વધુ એક વાવાઝોડું સક્રિય થવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ જણાવે છેકે, થોડા જ ટાઈમમાં અરબી સમુદ્રમાં ભયંકર વાવાઝોડું સક્રિય થશે. બીજી તરફ બંગાળના ઉપસાગરમાં પણ વાવઝોડું સક્રિય થવાનું અનુમાન છે. આ બંને વાવાઝોડાની સીધી અસર ગુજરાત પર જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંધ થઈ જશે.

ક્યારે સક્રિય થશે વાવાઝોડુ?
આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં 3થી 7 જૂન વચ્ચે વાવઝોડું સક્રિય થઈ શકે છે. એટલું જ નહીં બંગાળની ખાડીમાં 7થી 10 જૂન આસપાસ વાવાઝોડું સક્રિય થઈ શકે છે.

એક સાથે બબ્બે વાવાઝોડાનું જોખમઃ
વાવઝોડું મૃગશીર્ષ નક્ષત્રમાં જોર પકડશે. બે વાવાઝોડા સક્રિય થવાનું કારણ છે હવાનું દબાણ. આવું ક્યારે બન્યું નથી, પહેલી વખત આવું બનશે અને વિશિષ્ટ સ્થિતિ જોવા મળશે. અરબી સમુદ્રમાં 3થી 7 જૂન વચ્ચે વાવઝોડું સક્રિય થશે અને બંગાળની ખાડીમાં 7થી 10 જૂન આસપાસ વાવાઝોડું સક્રિય થશે. વાવઝોડું મૃગશીર્ષ નક્ષત્રમાં જોર પકડશે. બે વાવાઝોડા સક્રિય થવાનું કારણ છે હવાનું દબાણ. આવું ક્યારે બન્યું નથી, પહેલી વખત આવું બનશે અને વિશિષ્ટ સ્થિતિ જોવા મળશે.

ગુજરાતમાં ક્યાં-ક્યાં પડી શકે છે વરસાદઃ
ગુજરાતમાં વાવઝોડાના કારણે 7થી 11 જૂન વચ્ચે વરસાદ આવવાની શક્યતા રહેશે. 8થી 10 જૂનમાં ભારે વરસાદ થવાની શકયતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે.  ચક્રવાતનો માર્ગ ઓમાન તરફનો હોય અથવા સૌરાષ્ટ્ર તરફનો પણ હોઇ શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થતો હોય છે. ચક્રવાત બન્યા પછી ગુજરાત તરફનો માર્ગ હશે તો રોહિણી નક્ષત્ર ઉતરતા સારો વરસાદ થશે. ઓમાન તરફ જશે તો પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ થવાની શક્યતા રહેશે.

ક્યા-ક્યા રાજ્યોમાં થશે વાવાઝોડાની અસર?
આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું અનુસાર, અરબ સાગરનું વાવાઝોડું દક્ષિણ ભારત, કેરળ, કર્ણાટક, મુંબઇ અને ગુજરાતમાં ભારે વરસાદ લાવી શકે છે. હવામાન વિભાગે ચોમાસાની આગાહી વિશે કહ્યું કે, ચોમાસુ હાલ ભારતમાં આગળ વધી રહ્યું છે. ચોમાસું હાલ લક્ષદ્વીપ અને માલદીવ પાસે પહોંચ્યુ છે અને જલ્દી જ કેરળ પહોંચી જશે. કેરળ બાદ મહારાષ્ટ્ર અને ત્યાર બાદ ગુજરાતમાં પહોંચશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news