લોકડાઉને તોડી રિક્ષાચાલકોની કમર, હવે તેમની ડિમાન્ડ છે કે...

દેશમાં કોરોના વધી રહેલા આતંકના કારણે 14 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ સંજોગોમાં રોજનું કમાઈને જીવન પસાર કરતા વર્ગની હાલત કફોડી થઈ ગઈ છે.

લોકડાઉને તોડી રિક્ષાચાલકોની કમર, હવે તેમની ડિમાન્ડ છે કે...

આશકા જાની, અમદાવાદ : દેશમાં કોરોના વધી રહેલા આતંકના કારણે 14 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ સંજોગોમાં રોજનું કમાઈને જીવન પસાર કરતા વર્ગની હાલત કફોડી થઈ ગઈ છે. સમાજના આ વર્ગના લોકો અને ખાસ કરીને શ્રમિકોની મદદ માટે સરકારે અનેક પ્રયાસો પણ હાથ ધર્યા છે. 

આ પરિસ્થિતિમાં અમદાવાદ ગરવી ગુજરાત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા ગુજરાતના સીએમ વિજય રૂપાણીને પત્ર લખીને રિક્ષાચાલકોને આર્થિક મદદ કરવાની માગણી કરી છે. તેમણે કહ્યું છે કે લોકડાઉનના પગલે રિક્ષાચાલકોની આવક બંધ થઈ ગઇ છે જેના કારણે તેમને પરિવારનું ગુજરાન ચલાવવામાં પડી રહી છે જેના કારણે તેમને લોકડાઉન હોય ત્યાં સુધી યોગ્ય રકમ વળતર અને રાહત રૂપે ચકવવામાં આવે.

દેશમાં 14 એપ્રિલ સુધી લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે ત્યારે નોકરી અને ધંધા ઠપ થઈ જતા ગરીબો માટે કપરો કાળ ચાલી રહ્યો છે. આ સંજોગોમાં ગરીબોની મદદ કરવા માટે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં ખાસ પહેલ કરાઈ છે. ફુડેરા અને તેની સાથે સંકાળાયેલા લોકો દ્વારા અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં ફૂડ પેકેટ્સ તૈયાર કરીને  મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકલન કરી ગરીબોને મદદ કરાઈ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news