Dakor Temple: ડાકોર મંદિરમાં સન્મુખ દર્શન મામલે મોટા સમાચાર, આ 4 શ્રેણીમાં આવતા લોકોને નિ:શુલ્ક દર્શનનો મળશે લાભ

Dakor Temple : ડાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાનના સન્મુખ દર્શન કરવા માટે રૂપિયા લેવાની જાહેરાત વચ્ચે મંદિર ટ્રસ્ટે આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે, આ નિયમમાં કેટલાક લોકોને છુટછાટ મળશે. ગર્ભવતિ મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, શારીરિક અશક્ત અને દિવ્યાંગો મંદિરે દર્શન માટે જશે તો તેમને એકપણ રૂપિયા લીધા વગર સન્મુખ દર્શનનો લાભ આપવામાં આવશે.

Dakor Temple: ડાકોર મંદિરમાં સન્મુખ દર્શન મામલે મોટા સમાચાર, આ 4 શ્રેણીમાં આવતા લોકોને નિ:શુલ્ક દર્શનનો મળશે લાભ

ખેડાઃ ખેડા જિલ્લાના જગપ્રસિદ્ધ ડાકોરના રણછોડરાય મંદિરમાં VIP દર્શન મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. મંદિર ટ્રસ્ટે આપેલી જાણકારી પ્રમાણે ગુરુવારથી ડાકોરમાં દરેક સિનિયર સિટીજન ફ્રીમાં સન્મુખ દર્શન કરી શકશે. આ સાથે ગર્ભવતી મહિલાઓ અને  તમામ દિવ્યાંગોને સન્મુખ દર્શનનો નિ:શુલ્ક લાભ મળશે. આ ઉપરાંત ડાકોર અને ઠાસરાના તમામ સ્થાનિકોને પણ ભગવાનનાં સન્મુખ દર્શનનો લાભ આપવાનો નિર્ણય લેવાયો છે. જેઓ રજિસ્ટ્રેશન કરાવી ભગવાનના સન્મુખ દર્શનનો લાભ લઈ શકે છે. ભગવાન રણછોડરાય મંદિર ટ્રસ્ટ દ્વારા આ જાહેરાતથી વિવાદોનો અંત આવ્યો છે.

કોણ કરી શકશે ફ્રીમાં સન્મુખ દર્શન

(અ) તમામ વરિષ્ઠ નાગરિક (સીનિયર સીટીઝન) (શારીરિક રીતે અનફીટ)

(બ) શારીરિક અશક્ત તથા દિવ્યાંગો

(ક) ગર્ભવતી માતા - બહેનો

(ડ) ડાકોર-ઠાસરા ઉમરેઠ વિસ્તારના ભાવિક ભક્તો

— Zee 24 Kalak (@Zee24Kalak) August 30, 2023

4 શ્રેણીમાં આપી છૂટ
તો મોટી ખબર એ છે કે આ 4 શ્રેણીમાં આવતા લોકોને ભગવાનનાં સન્મુખ દર્શન કરવા માટે એક પણ રૂપિયો ખર્ચ કરવો નહીં પડે. પરંતુ બાકીના લોકો માટે 500 રૂપિયા અને 250 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. જે 4 શ્રેણીમાં છૂટ આપી છે તે સિવાયના પુરુષોને 500 રૂપિયામાં તો મહિલાઓને 250 રૂપિયામાં  સન્મુખ દર્શનનો લાભ મળશે. મંદિર ટ્રસ્ટે જાહેરાત કરી છે કે ભક્તોની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી આ વ્યવસ્થા હેઠળ જે પણ રકમ એકત્રિત થશે તે ભક્તોની સુવિધા માટે વપરાશે. 

શું હતો મામલો
ટેમ્પલ કમિટીએ સર્વાનુંમતે કેટલાક નિર્ણયો લીધા. જેમાં હવેથી ડાકોર મંદિરમાં ભક્તોને સન્મુખ દર્શનની સુવિધા આપવામાં આવશે. પ્રારંભિક તબક્કે વીઆઈપી દર્શન માટે કાઉન્ટર પર જ ચાર્જ ચૂકવી મંજૂરી મેળવી શકાશે. ભવિષ્યમાં આ માટે મંદિર દ્વારા ઓનલાઈન બુકિંગની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જાહેર થયાના પ્રથમ દિવસે ગુરુવારે જ 7 દર્શનાર્થીઓ 500 રૂપિયા અને 3 વ્યક્તિ 250 રૂપિયા ચાર્જ ચૂકવી  સન્મુખ દર્શન કર્યા હતા.હાલ પૂરતું ઓફલાઇન ઓફિસમાં રજિસ્ટ્રેશન કરાવી દર્શન કરી શકશે. મંદિરના મેનેજર તથા સેવક ટ્રસ્ટીને સન્મુખ દર્શન કરાવવા આવશ્યક નિયમો બનાવવાની સત્તા આપવામાં આવે છે. વિશિષ્ટ વ્યક્તિઓને સન્મુખ દર્શન કરવાની વ્યવસ્થા પણ મંદિરના મેનેજર તથા સેવક ટ્રસ્ટીના નિર્ણયોને આધીન રહેશે. આ સન્મુખ દર્શન છે ક્યાંય કોઈ પણ પ્રકારના VIP દર્શન નથી

દર્શન મામલે થયો હતો વિરોધ

ડાકોરમાં સન્મુખ દર્શન માટે રૂ.500 અને રૂ.250 નક્કી કરવામાં આવતાં ભક્તો-સેવકો નારાજ જોવા મળ્યા છે.  હિન્દુ સંગઠનના યુવાનો અને ઠાસરા તાલુકાના સરપંચ એસોસિએશનના સરપંચો મંદિરમાં વિરોધ પ્રકટ કરવા પહોંચ્યા હતાં. તેઓએ ‘ભગવાન તો પ્રેમના ભૂખ્યા તમે પૈસાના ભૂખ્યા’ ના નારા સાથે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. ઉગ્ર વિરોધ સાથે મંદિરના મેનેજરને આવેદન પત્ર આપવામાં આવ્યું. સાથે જ આવેદનમાં શનિવારે સાંજે છ વાગ્યા સુધીમાં નિર્ણય પાછો નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. એસોસિયેશનના સરપંચો અને યુવાનો દ્વારા આ નિર્ણયને મનસ્વી નિર્ણય ગણાવવામાં આવ્યો હતો. તો બીજી તરફ, ડાકોરમાં vip દર્શનને લઈને હોબાળો થયો હતો. મંદિર પરિસરમાં આવેદન પત્ર આપવા આવેલા લોકોને કર્મચારી દ્વારા બહાર કાઢવામાં આવતા હોબાળો મચ્યો હતો. આ બાદ આવેદનપત્ર આપવા આવેલા લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટના બાદ મંદિર ટ્રસ્ટ કમિટી દ્વારા કેટલાક મહત્વના નિર્ણયો જાહેર કરાયા છે. જેમાં ડાકોર, ઠાસરા અને ઉમરેઠની સ્થાનિક પ્રજાએ ભગવાનના સન્મુખ દર્શન માટે એક પણ રૂપિયાનો ચાર્જ આપવો નહીં પડે....

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news