દીકરાની લાશના ટુકડા કરનાર પિતાએ કહ્યું, મને અફસોસ નથી, મેં એ કર્યું જે એ મારી સાથે કરવા માંગતો હતો

વાસણા અને એલિસ બ્રિજ વિસ્તારમાં મળી આવેલા માનવ અંગોની હત્યાના ગુનામાં મોટો ખુલાસો થયો છે. આ મર્ડર મિસ્ટરીમાં પિતાએ જ પોતાના સગા દીકરાની હત્યા કરી. લાશના ટુકડા કરી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફેંકી દીધા હતા. ક્રાઈમ બ્રાન્ચે હત્યારા પિતાની ધરપકડ કરી છે. જોકે પિતાને પુત્રની હત્યાનો સહેજ પણ પસ્તાવો નથી. હત્યા પાછળનું કારણ સાંભળી તમે પણ ચોંકી જશો.
દીકરાની લાશના ટુકડા કરનાર પિતાએ કહ્યું, મને અફસોસ નથી, મેં એ કર્યું જે એ મારી સાથે કરવા માંગતો હતો

ઉદય રંજન/અમદાવાદ :વાસણા અને એલિસ બ્રિજ વિસ્તારમાં મળી આવેલા માનવ અંગોની હત્યાના ગુનામાં મોટો ખુલાસો થયો છે. આ મર્ડર મિસ્ટરીમાં પિતાએ જ પોતાના સગા દીકરાની હત્યા કરી. લાશના ટુકડા કરી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફેંકી દીધા હતા. ક્રાઈમ બ્રાન્ચે હત્યારા પિતાની ધરપકડ કરી છે. જોકે પિતાને પુત્રની હત્યાનો સહેજ પણ પસ્તાવો નથી. હત્યા પાછળનું કારણ સાંભળી તમે પણ ચોંકી જશો.

હત્યારો પિતા નેપાળ ભાગવાની ફિરાકમાં હતો 
કોઈપણ જંગલી ઘોડાને કાબુ કરનાર પુત્ર જ બેકાબુ બનતા પિતાએ જ આવા પુત્રની કરપીણ હત્યા કરી. અમદાવાદમાં 17 જુલાઈની તારીખે રાતે પિતા નિલેશ જોશીએ પોતાના 21 વર્ષિય પુત્ર સ્વયંમની કરપીણ હત્યા કરી. હત્યાના પુરાવાનો નાશ કરવાના ઈરાદે મૃતદેહના ટુકડા કરી વાસણા, એલિસબ્રિજ અને જીએમડીસી મેદાન ખાતે નાંખી દીધા હતા. જોકે હત્યારો પિતા નિલેશ જોશી નેપાળ ભાગે તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે તેને રાજસ્થાન ખાતેથી ઝડપી લીધો અને હત્યાની અધુરી કડીઓ જોડાઈ ગઈ. 

પુત્રની હત્યા કરી પિતા કાલુપુર મંદિરે દર્શને ગયો હતો
પુત્ર સ્વયમની હત્યા કરી નિલેશ જોષી દેશ છોડી દેવાની ફિરાકમાં હોવાનું સામે આવ્યુ છે. જોકે હત્યાના ઘટના ક્રમ પર નજર કરીએ તો, 17 તારીખે મોડી રાતે દારુના નશામાં રહેલા સ્વંયમે પોતાના પિતા પર હુમલો કર્યો. જે હુમલામાં નિલેશ જોશીએ સ્વયંમને ગુપ્ત ભાગે લાત મારતા તે ઢળી પડ્યો અને બાદમાં તેના માથામા પાંચ છ વાર દસ્તો મારતા તેનું મોત નિપજ્યુ હતું. 18 તારીખે સવારે નિલેશ જોશીએ વહેલી સવારે કાલુપુર મંદિરે દર્શન કરવા ગયો હતો. બાદમાં કાલુપુર માર્કેટમાંથી ઈલેક્ટ્રિક કટર અને પ્લાસ્ટિકની બેગ ખરીદી ઘરે આવ્યો હતો. જે કટર વડે સ્વંયમના મૃતદેહના માથુ- ધડ અને હાથ-પગ ના ટુકડા કરી 18 તારીખે જ શહેરના અલગ અલગ વિસ્તારમા તેનો નિકાલ કર્યો હોવાની કબુલાત આરોપી પિતાએ કરી છે.

No description available.

પુત્રની હત્યાનો કોઈ પસ્તાવો નથી - પિતા 
ક્રાઈમ બ્રાન્ચે હત્યારા પિતાને હત્યા વિશે પૂછપરછ કરતા આરોપીને પોતાના જ પુત્રની હત્યાનો કોઈ પસ્તાવો ન હતો તેવુ જણાવ્યું. પરંતુ આરોપીએ કહ્યું કે, પુત્રએ મારી જિંદગી બરબાદ કરી નાંખી છે. જ્યારે તે નશો કરી ઘરે આવતો ત્યારે તે ધમકી આપતો હતો કે તારી લાશના ટુકડા કરી નાંખી દઈશ. માટે પુત્ર જે કરવાનો હતો તે જ ઘટનાને પિતાએ અંજામ આપી. હત્યા બાદ પિતાએ જ તેના ટુકડા કરી અલગ અલગ જગ્યાએ નાંખી દીધા હતા. સાથે જ હત્યા બાદ નિલેશે પોતાની પત્નીને ફોન કરી દીકરાની હત્યા વિશે માહિતી આપી હતી. જેથી પત્નીએ હવે ક્યારેય વાત નહિ કરે તેવું કહી દુઃખ વ્યક્ત કરી નારાજગી દર્શાવી. તે બાદ દીકરીનો ફોન આવ્યો કે તમે ગોરખપુર થઈ નેપાળ અને ત્યાંથી દુબઈ થઈ જર્મની આવી જાઓ. માટે જ હત્યારો પિતા સુરતથી ટ્રેનમાં બેસી દેશ છોડી દેવા માટે નીકળ્યો હતો. 

No description available.

સ્વંયમ જંગલી ઘોડાને પણ કાબૂ કરી શક્તો, પણ દારૂનું વ્યસન ન છોડી શક્યો 
મૃતક સ્વયંમ અંગે પૂછપરછ કરતા સામે આવ્યુ કે, તે ઘોડેસવારમાં ગુજરાતમાં પ્રથમ નંબર લાવ્યો હતો. તે કોઈપણ જંગલી ઘોડાને કાબુ કરી શક્તો હતો. પરંતુ તે આ જીત પચાવી ન શક્યો અને નશાના રવાડે ચઢી ગયો. ઉગ્ર સ્વભાવને તે કાબુ ન કરી શક્યો અને 17 તારીખે વહેલી સવારે તેણે 4 વાગે પિતા પાસે જમવાનુ માંગતા પિતા પુત્ર વચ્ચે મારામારી થઈ હતી, અને તે મારામારી હત્યામાં પરિણમી હતી. સાથે જ મૃતક સ્વયંમ 10 ધોરણ જ ભણ્યો હતો. પરંતુ તેના પિતા 65 વર્ષે પણ સંસ્કૃતમાં માસ્ટર્સમાં અભ્યાસ કરતા હતા. તે બાબતે પણ પિતા પુત્ર વચ્ચે તકરારો થતી હોવાનુ સામે આવ્યુ છે. ત્યારે હવે આરોપીની તપાસમાં શુ નવા ખુલાસા થાય છે તે જોવું રહ્યું. મૃતકની માતા અને બહેન જર્મનીમાં રહે છે, જ્યારે પિતા જેલના સળિયા પાછળ ધકેલાઈ જતા આ કેસમાં અંતિમવિધિ પોલીસ તરફથી કરવાની તૈયારી શહેર પોલીસ તરફથી દર્શાવવામાં આવી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news