સોશિયલ મીડિયા પર ફરતો થયો સોસાયટીઓ માટે સરકારનો સંદેશ, જાણો હકિકત

આરોગ્યમંત્રી કિશોર કાનાનીના નામે ફરી રહેલા આ મેસેજમાં સોસાયટીને જવાબદારોને સ્વૈચ્છિક લોકડાઉન કરવાની અપીલ કરવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર ફરતો થયો સોસાયટીઓ માટે સરકારનો સંદેશ, જાણો હકિકત

હિતલ પારેખ, ગાંધીનગર: કોરોનાનાં કેસો વધતા સોશિયલ મીડિયા પર સોસાયટીના ચેરમેન, સેક્રેટરી, આગેવાનોને સંબોધીને એક મેસેજ ફરતો થયો છે. આરોગ્યમંત્રી કિશોર કાનાનીના નામે ફરી રહેલા આ મેસેજમાં સોસાયટીને જવાબદારોને સ્વૈચ્છિક લોકડાઉન કરવાની અપીલ કરવામાં આવી છે. ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરી ચેતવણી પણ આપવામાં આવી છે કે જો નિયમોનું પાલન નહીં કરીએ તો પરિસ્થિતિ બગડી શકે છે.

જો કે આ લોકડાઉનના સમયમાં ફરતો થયો હતો. તેને મોબાઇલ યુઝર્સ ફરી ફોરવર્ડ કરી રહ્યા છે. જોકે સરકાર તરફથી સોસાયટીના ચેરમેન સેક્રેટરીને આવો કોઇ મેસેજ અપાયો નથી. 

તમામ સોસાયટી ના પ્રમુખશ્રી/આગેવાનો/ચેરમેનશ્રી/સેક્રેટરી માટે સરકારશ્રીનો સંદેશ

તમામ સોસાયટીઓના ચેરમેન/સેક્રેટરી શ્રી ને  વિનમ્ર અપીલ કે સ્વૈચ્છિક રીતે પોતાની સોસાયટીને લોકડાઉન કરે તથા સરકારી આદેશોનું પાલન કરાવે ! , બહાર થી આવતા કોઇપણ તમારા સગાસંબંધી , મિત્રો ને તમારા ઘરે આવવાની સ્પષ્ટ ના પાડો , કોઇ વિદેશ થી સોસાયટી મા આવેલ હોય તો તેની જાણ પણ સરકાર શ્રી ને કરો, કોરોના કેટલો ગંભીર છે ધ્યાન રાખશો. 

સરકારી અધઁસરકારી સ્કુલો , જીમ ને ખાલી કરીને હોસ્પીટલ મા ફેરવવા ના આદેશ નીકળી ચુક્યા છે, એટલે સોસાયટી મા ક્રિકેટ રમતા , રાત્રે ગંજીપતે અથવા ગેમ રમતા,રાત્રી વોકીંગ કરતા કે પાડોશી ને ત્યાં મીટીંગો કરીને બેસતા લોકો ને સમજાવો અને ઘર મા જ પુરાઇ રહેવા સમજાવો, જો સોસાયટી ના આગેવાનો અને પ્રમુખશ્રીઑ કડક પગલાં લેશે તો સો ટકા પરિસ્થિતિ પર કાબુ લાવી શકશે, ક્યાંક એવું ના બને કે આગામી સમય માં તમારા જ પાડોશી કે સોસાયટી માં શંકાસ્પદ કેસ આવે અને મોડું થય જાય તો પ્રમુખ તરીકે આપને મળેલા હક અને ફરજો ધ્યાનમાં રાખીને સોસાયટી પાસે અમલ કરાવી આપની દેશ પ્રત્યેની ફરજ અદા કરવા નો આજ યોગ્ય સમય છે.

લાખો ની વસ્તી ધરાવતા શહેરો માં આપની શેરીઓ સુધી ફરજ પરના અધિકારીઓ ને આવવું પડે એ આપડા માટે શરમ જનક બાબત હોય, તો  જો ૫૬ ની છાતીવાળો આપણો વડાપ્રધાન જો ઘર મા રહેવાની સલાહ આપતા હોય તો સમજો કે પરિસ્થિતિ કેટલી ગંભીર છે, સોસાયટી ના ચેરમેન/ સેક્રેટરી એલટઁ થઇને યોગ્ય પગલા લેશો.... આભાર....

 લી...
        આપનો સહદયી
      કિશોર કાનાણી (કુમાર)
આરોગ્ય મંત્રી ગુજરાત સરકાર

ઉપરોક્ત મેસેજ દરેક મેસેજ ફરતો થયો છે. જોકે અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર તરફથી સોસાયટીના ચેરમેન સેક્રેટરીને આવો કોઇ મેસેજ અપાયો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news