Gujarat Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11 કેસ નોંધાયા, 31 જિલ્લામાં એકપણ નવો કેસ નહીં

ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ ઘટીને 162 થઈ ગયા છે. રાજ્યમાં એકપણ દર્દી વેન્ટીલેટર પર નથી. 

Gujarat Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11 કેસ નોંધાયા, 31 જિલ્લામાં એકપણ નવો કેસ નહીં

ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમણના 11 નવા કેસ સામે આવ્યા છે. રાહતની વાત છે કે આ દરમિયાન કોઈપણ મૃત્યુ નોંધાયું નથી. તો રાજ્યમાં કોરોનાની સારવાર બાદ વધુ પાંચ લોકો સાજા થયા છે. ગુજરાતમાં નવા કેસની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 12 લાખ 24 હજાર 127 થઈ ગઈ છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10942 લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતમાં કોરોનાની સારવાર બાદ 12 લાખ 13 હજાર 23 લોકો સાજા થઈ ચુક્યા છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં 10 કેસ સામે આવ્યા છે. તો વડોદરા શહેરમાં એક કેસ સામે આવ્યો છે. એટલે કે રાજ્યના 31 જિલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ ઘટીને 162 થઈ ગયા છે. તો કોઈપણ દર્દી વેન્ટીલેટર પર નથી. રાજ્યનો રિકવરી રેટ 99.09 ટકા છે. 

બીજીતરફ કોરોનાથી લોકોને રક્ષણ આપવા માટે સતત રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. રાજ્યમાં આજે સાંજે 5 કલાક સુધીમાં 49,140 વેક્સીનના ડોઝ આપવામાં આવ્યાં છે. આમ રાજ્યમાં અત્યાર સુધી કોરોના વેક્સીનના 10 કરોડ 66 લાખ 65 હજાર 928 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news