GUJARAT CORONA UPDATE: નવા 24 કેસ, 53 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી

રાજ્યમાં કોરોનાના નવા 24 કેસ આવ્યા છે. તો બીજી તરફ 53 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યા છે. તો બીજી તરપ 12,12,357 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.07 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 1,59,743 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 

GUJARAT CORONA UPDATE: નવા 24 કેસ, 53 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા 24 કેસ આવ્યા છે. તો બીજી તરફ 53 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યા છે. તો બીજી તરપ 12,12,357 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.07 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 1,59,743 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 414 એક્ટિવ કેસ છે. જે પૈકી 06 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 408 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 12,12,357 નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. 10939 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. આજે રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનમાં 14, વડોદરા કોર્પોરેશમાં 3, ગાંધીનગર કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશન 2, વડોદરા 2 અને પાટણમાં 1 કેસ નોંધાયો છે. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારે ઉંમરના 3131 નાગરિકોને રસીનો પ્રથમ, 21706 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-17 વર્ષના નાગરિકો પૈકી 1209 ને પ્રથમ અને 14575 ને રસીનો બીજો ડોઝ અપાયો છે. 7917 નાગરિકોને  પ્રીકોર્શન ડોઝ અને 12-14 વર્ષના નાગરિકો 111205 ને રસીનો પ્રથમ ડોઝ અપાયો છે. આ પ્રકારે આઝના દિવસમાં કુલ 1,59,743 ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં રસીના કુલ 10,45,58,501 ડોઝ અપાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news