Gujarat Corona: ચૂંટણી પૂરી થતાં જ મહાનગરોમાં વધી ગયા કેસ, જુઓ છેલ્લા 24 કલાકના આંકડા

રાજ્યમાં કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણનું પ્રમાણ દિવસેને દિવસે ઘટી રહ્યુ છે. આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 315 દર્દીઓ (Corona Patient) નોંધાયા હતા. તેની સામે 272 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે

Gujarat Corona: ચૂંટણી પૂરી થતાં જ મહાનગરોમાં વધી ગયા કેસ, જુઓ છેલ્લા 24 કલાકના આંકડા

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણનું પ્રમાણ દિવસેને દિવસે ઘટી રહ્યુ છે. આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 315 દર્દીઓ (Corona Patient) નોંધાયા હતા. તેની સામે 272 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે. જો કે રાજ્યમાં અત્યાર સુધીના કુલ રિકવર દર્દીઓ 2,61,281 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,406 પર પહોંચ્યો છે.

હાલમાં ગુજરાતના પડોશી રાજ્યો જેવા કે, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં કોવિડ-19 ના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. જેને ધ્યાને લઇને રાજ્ય સરકારે સડક પરિવહન માર્ગે બોર્ડર (Road Transport Border) ચેકપોસ્ટ ઊભી કરી આ રાજ્યોમાંથી આવતાં તમામ યાત્રિકોનું સ્ક્રીનીંગ (Screening) હાથ ધરવાનું નક્કી કર્યું છે. વધુમાં અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર અને રાજકોટ જેવા મહાનગરપાલિકા (Corporation) વિસ્તારમાં રેલ્વે સ્ટેશનો ઉપર સ્ક્રીનીંગ હાથ ધરવામાં આવશે અને રાજ્યના તમામ એરપોર્ટ ઉપર દેશ-વિદેશથી આવતા તમામ યાત્રિકોનું સ્ક્રીનીંગ હાથ ધરાશે.

અત્યાર સુધીમાં કુલ 8,13,582 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 67,300 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની અસરકારક અને પરિણામલક્ષી કામગીરીના પરિણામે કોરોના કેસો કાબુમાં જોવા મળી રહ્યા છે. રાજ્યમાં આજે અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, ડાંગ, બોટાદ, છોટા ઉદેપુર, પાટણ, પોરબંદર, સુરેન્દ્રનગર અને વલસાડ એમ કુલ 10 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

રાજ્યમાં કોવિડ-19ના 315 દર્દીઓ નોંધાયા છે. અને રાજ્યભરમાંથી 272 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ 97.70 ટકા જેટલો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 2,61,281 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1,732 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 30 છે. જ્યારે 1,702 લોકો સ્ટેબલ છે. 2,61,281 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 4,406 લોકોનાં મોત નિપજ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news