GUJARAT CORONA UPDATE: નવા 35 કેસ, 16 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી

રાજ્યમાં આજે કોરોનાના નવા 35 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 16 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,12,992 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્ય સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજના દિવસમાં કુલ 37,995 રસીના ડોઝ અપાયા છે. 
GUJARAT CORONA UPDATE: નવા 35 કેસ, 16 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી

ગાંધીનગર : રાજ્યમાં આજે કોરોનાના નવા 35 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 16 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,12,992 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્ય સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજના દિવસમાં કુલ 37,995 રસીના ડોઝ અપાયા છે. 

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 148 એક્ટિવ કેસ છે. જે પૈકી એક નાગરિક વેન્ટીલેટર પર નથી. જ્યારે 148 દર્દી સ્ટેબલ છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 12,12,992 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 10,942 નાગરિકોના મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે એક પણ નાગરિકનું મોત નથી નિપજ્યું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો ગાંધીનગર કોર્પોરેશન 18, અમદાવાદ કોર્પોરેશનમાં 9, અને વડોદરા કોર્પોરેશન 4, ગાંધીનગર, જામનગર, કચ્છ અને મહેસાણામાં 1-1 નાગરિકના કેસ પોઝિટિવ આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news