GUJARAT CORONA UPDATE: CM ભુપેન્દ્ર પટેલ સહિત નવા 529 કેસ, 408 દર્દી સાજા થયા

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના કુલ 529 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 408 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,17,623 દર્દીઓએ કેરેનાને મ્હાત આપી છે. જો કે સતત વધી રહેલા કોરોનાના કેસના પગલે રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર ઘટીને 98.87 ટકાએ પહોંચી ચુક્યો છે. જો કે બીજી તરફ કોરોના રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ 59,218 ડોઝ અપાઇ ચુક્યાં છે. 

GUJARAT CORONA UPDATE: CM ભુપેન્દ્ર પટેલ સહિત નવા 529 કેસ, 408 દર્દી સાજા થયા

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના કુલ 529 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 408 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,17,623 દર્દીઓએ કેરેનાને મ્હાત આપી છે. જો કે સતત વધી રહેલા કોરોનાના કેસના પગલે રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર ઘટીને 98.87 ટકાએ પહોંચી ચુક્યો છે. જો કે બીજી તરફ કોરોના રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ 59,218 ડોઝ અપાઇ ચુક્યાં છે. 

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કોરોનાના કુલ 2914 એક્ટિવ કેસ છે. જે પૈકી 02 નાગરિકો વેન્ટિલેટર પર  છે. 2912 નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત 12,17,623 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. આ ઉપરાંત કોરોનાને કારણે કુલ 10,946 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 220, સુરત કોર્પોરેશનમાં 79, વડોદરા કોર્પોરેશનમાં 53,  સુરત 20, વલસાડ 20, કચ્છ 13, નવસારી 13, મહેસાણા-રાજકોટ કોર્પોરેશન 12-12, ભરૂચ-ગાંધીનગર કોર્પોરેશન 10-10, ગાંધીનગર 8, જામનગર કોર્પોરેશન 7, અમદાવાદ-વડોદરા 6, આણંદ-પાટણ 5, ભાવનગર કોર્પોરેશન 4, દાહોદ, પંચમહાલ અને સાબરકાંઠા 3-3, અમરેલી, બનાસકાંઠા, દેવભુમિ દ્વારકા, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગરમાં 2-2, ભાવનગર, ગીરસોમનાથ, જામનગર, રાજકોટ અને ખેડામાં 1-1 કેસ સહિત કુલ 529 નવા કેસ નોંધાયા છે. 

બીજી તરફ કોરોનાના રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1638 ને રસીનો પ્રથમ, 11735 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 529 ને રસીનો પ્રથમ તથા, 4968 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 23467 ને પ્રીકોર્શન ડોઝ અપાયા હતા. 12-14 વર્ષના નાગરિકો પૈકી 8631 ને રસીનો પ્રથમ અને 8250 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 59,218 ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 11,13,61,977 ડોઝ અપાઇ ચુક્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news