'પોલીસ મારા ખિસ્સામાં છે' કહી ગુંડાગીરી કરતો રાણો રાણાની રીતે વાળો દેવાયત ક્યાં ખોવાણો? પોલીસ સામે સવાલ

ફરાર દેવાયત ખવડની પોલીસ સાથે સાંઠગાંઠ હોવાનો ઇજાગ્રસ્ત મયુરસિંહના પરિવારનો આક્ષેપ છે. પીડિત પરિવારે એવો પણ આક્ષેપ કર્યો છેકે, જીવલેણ હુમલો કર્યા બાદ વીડિયો સામે આવતા અને ફરિયાદ થતાં દેવાયત ખવડ ફરાર થઈ ગયો છે. પોલીસ પણ તેની તપાસમાં ખાસ રસ લેતી નથી. એક તરફ તે ઉચ્ચ પોલીસ અધિકારીના પુત્ર માટે બર્થ-ડે વિશ માટે વીડિયો બનાવીને મોકલે છે અને બીજી તરફ તેની તપાસ કરી રહેલી પોલીસને તે મળતો નથી ગજબની વાત છે.
 

  • પોતાને રાણો કહેતો દેવાયત મારામારી કરીને ક્યાં ખોવાણો?

  • ગામમાં નવા વીડિયો ફરે છે પણ પોલીસને નથી મળતો?

    તત્કાલીન પીઆઇના પુત્રને વિડીયો મોકલી બર્થ-ડે વિશ કર્યો 

    ''પોલીસ મારા ખિસ્સામાં'' આ દેવાયતના બોલ - પીડિત પરિવાર

Trending Photos

'પોલીસ મારા ખિસ્સામાં છે' કહી ગુંડાગીરી કરતો રાણો રાણાની રીતે વાળો દેવાયત ક્યાં ખોવાણો? પોલીસ સામે સવાલ

ગૌરવ દવે/રાજકોટ: સાહિત્યકાર તરીકે લોકો જેને સન્માન આપે છે એવા લોકો જ આજકાલ સામાન્ય લોકોને હેરાન પરેશાન કરતા હોવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે. છતાંય પોલીસ પણ તેમનું કંઈ બગાડી શકતી નથી. એક યુવક પર જાહેરમાં જીવલેણ હુમલો કરીને ફરાર થઈ જનારો રાણો રાણાની રીતે વાળો દેવાયત ખવડ તેનો મારામારીનો વીડિયો વાયરલ થયા બાદ છેલ્લાં કેટલાંક દિવસોથી ગાયબ છે. જોકે, હજુ તે પોલીસ અધિકારીઓના પરિવાર માટે બર્થ-ડે વિશ કરીને વીડિયો બનાવીને મોકલે છે પણ પોલીસ ગિરફ્તમાં આવતો નથી.

દેવાયત ખવડ અને તેના સાથીદારોએ મળીને એક યુવક પર અગંત અદાવત રાખીને જીવલેણ હુમલો કર્યો હતો. જોકે, આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ કલાકાર કલાકારી કરીને ફરાર થઈ ગયો છે. રાણો રાણાની રીતે...શબ્દ કહીને ફેમસ થનારો રાણો હાલ ક્યાં ખોવાણો છે એ મોટો પ્રશ્ન છે. ફરાર દેવાયત ખવડની પોલીસ સાથે સાંઠગાંઠ છે, ખવડ પોલીસને પૈસા ખવડાવીને ક્યાંક સંતાઈ રહ્યો હોવાનો ઇજાગ્રસ્ત મયુરસિંહના પરિવારનો આક્ષેપ છે. એક તરફ તે ઉચ્ચ પોલીસ અધિકારીના પુત્ર માટે બર્થ-ડે વિશ માટે વીડિયો બનાવીને મોકલે છે અને બીજી તરફ તેની તપાસ કરી રહેલી પોલીસને તે મળતો નથી ગજબની વાત છે.

લોક સાહિત્યકાર દેવાયત ખવડ સાત દિવસથી પોલીસથી નાસતો ફરે છે. જોકે રાજકોટના તત્કાલીન પીઆઇના પુત્રને વિડીયો મેસેજ દ્વારા બર્થ-ડે વિશ કરતા નવો વિવાદ શરૂ થયો છે. આજે ઇજાગ્રસ્ત મયુરસિંહ રાણાના પરિવારજનો દ્વારા પત્રકાર પરિષદ કરી પોલીસ તપાસ સામે સવાલો ઉઠાવ્યા હતા. ગત 7 ડીસેમ્બરના રાજકોટના સર્વેશ્વર ચોક નજીક લોક સાહિત્યકાર દેવાયત ખવડે બિલ્ડર મયુરસિંહ રાણા પર પાઇપ વડે હુમલો કર્યો હતી. રાજકોટ એ-ડિવિઝન પોલીસે હત્યાના પ્રયાસની કલમ હેઠળ દેવાયત ખવડ સહિત 3 શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. સાત દિવસ વીતી ગયા છતાં દેવાયત ખવડની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી નથી.

ત્યારે આજે ઇજાગ્રસ્ત મયુરસિંહ રાણાના કૌટુંબિક ભાઈ પ્રદીપસિંહ ઝાલાએ પત્રકાર પરિષદ કરી હતી. જેમાં પોલીસ કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા હતા. પ્રદીપસિંહ ઝાલાએ કહ્યું હતું કે, મોડી રાત સુધી દેવાયત ખવડના ઘરે પોલીસની PCR વાન અને જીપ ઉભી રહેતી હતી. ફૂલ સાઉન્ડ ડાયરાઓ ઘરે કરતો હતો. જેને કારણે સોસાયટીના લોકો પણ ત્રાસી ગયા છે. એટલું જ નહીં દેવાયત ખવડની પોલીસ સાથે સાંઠગાંઠ હોવાથી પોલીસ કાર્યવાહી ન કરતી હોવાનો આરોપ લગાવ્યો હતો. ''પોલીસ મારા ખિસ્સામાં છે'' તેવા શબ્દો દેવાયત ખવડ સોસાયટીમાં અવાર નવાર બોલતો હતો. 

લોકો બર્થ-ડેની શુભેચ્છા આપતા દેવાયત ખવડનું પોલીસને કેમ લોકેશન મળતું નથી ?
લોક સાહિત્યકાર દેવાયત ખવડ જાણીતો ચહેરો છે ડાયરામાં ''રાણો રાણાની રીતે'' શબ્દ થી ખૂબ જ પ્રચલિત છે. પરંતુ સાત દિવસ થી પોલીસ થી ફરાર છે. રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઇ કે. એ. વાળા કે જે હાલ મોરબી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા છે. જેના પુત્રના બર્થ ડેના દિવસે દેવાયત ખવડે શુભેચ્છા આપતો વિડીયો મેસેજ કે. એ. વાળાને મોકલ્યો હતો. પીઆઇ દેવાયત ફરાર હોવાનું જાણતા હોવા છતાં વોટ્સએપ સ્ટેટ્સમાં મુક્યો હતો અને નવો વિવાદ શરૂ થયો છે.

આરોપીની દેવાયત ખવડ સાત દિવસ થી પોલીસ શોધખોળ કરે છે તે પોલીસ વિભાગના જ પીઆઇના સંપર્કમાં છે. છતાં પોલીસ શોધખોળ કરી શકતી નથી. પીઆઇ કે. એ. વાળા સાથે દેવાયત ખવડને ખૂબ જ નિકટ સબંધ છે. અગાઉ પણ દેવાયત ખવડે કરેલી માથાકૂટમાં પીઆઇ સમાધાન કરાવવા વચ્ચે આવ્યા હતા. ત્યારે શું પોલીસ જ દેવાયત ખવડને આગોતરા જામીન લેવા સલાહ આપી રહી છે તેવા સવાલો ઉઠી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news