LRD ભરતી આંદોલનનો સુખદ અંત, 20 ટકા વેઈટિંગ લિસ્ટ જાહેર કરશે સરકાર

LRD recruitment 2022 : ઉમેદવારોના હિતમાં વેઈટિંગ લિસ્ટ બનાવાશે. રવિવાર બપોર સુધીમાં ઑફિશિયલ GRD થઈ જવાની જાહેરાત કરી. તેમજ ગૃહરાજ્ય મંત્રીએ LRD ઉમેદવારોની બાધાના પારણાં કરાવ્યા

LRD ભરતી આંદોલનનો સુખદ અંત, 20 ટકા વેઈટિંગ લિસ્ટ જાહેર કરશે સરકાર
  • લોક રક્ષક ભરતી માટે સરકાર 20 ટકા વેઈટિંગ લિસ્ટ બનશે
  • LRD ઉમેદવારો સાથેની મુલાકાત બાદ ગૃહ રાજ્યમંત્રીની જાહેરાત
  • રવિવાર પહેલા જાહેર થશે પરિપત્ર

ગૌરવ પટેલ/ગાંધીનગર :રાજ્યમાં લાંબા સમયથી ચાલી રહેલા આંદોલનનો સુખદ અંત આવ્યો છે. 20 ટકા વેઈટિંગ લિસ્ટ રિ-ઓપન કરવાની ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જાહેરાત કરાઈ છે. હવે ઉમેદવારોના હિતમાં વેઈટિંગ લિસ્ટ બનાવાશે. રવિવાર બપોર સુધીમાં ઑફિશિયલ GRD થઈ જવાની જાહેરાત કરી. તેમજ ગૃહરાજ્ય મંત્રીએ LRD ઉમેદવારોની બાધાના પારણાં કરાવ્યા. આ જાહેરાત સાથે જ ઉમેદવારો અને ગૃહમંત્રીએ એકબીજાનુ મોઢું મીઠું કરાવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, ગૃહરાજ્ય મંત્રી દ્વારા બપોરે 12.39 કલાકે એટલે કે વિજય મુહૂર્તમાં આ જાહેરાત કરવામાં આવી હતી. 

લોકરક્ષક ભરતી લિસ્ટ ઓપરેટ કરવા બાબતે ગૃહરાજ્ય મંત્રીએ કહ્યુ કે, 2018 માં કુલ 12198 જગ્યા ભરતી માટે પ્રક્રિયા હાથ ધરાઇ હતી. 2020 માં પરિણામ જાહેર થયું હતું. ત્યારે વેઇટીંગ લિસ્ટ ન હતું. ઉમેદવારોની લાગણી અને માંગણી હેઠવ વેઇટીંગ લિસ્ટનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી યુવાનોને રોજગાર મળશે. પોલીસ અને પબ્લિકના રેશિયોમાં ઘટાડો થશે. 

તેમણે વધુમાં જણાવ્યુ કે, ભરતી પરીક્ષામાં સતત વધી રહેલા ગુનાઓને બનતા અટકાવવા માટે અને કાયદો વ્યવસ્થા સાચવવા પહેલી વાર વેઇટીંગ લીસ્ટ ૨૦ ટકા કરવામાં આવ્યું છે.  આ નિર્ણયથી વય મર્યાદા વટાવી ચુકેલા ઉમેદવારોને સરકારી નોકરીની તક મળશે.  પોલીસ બેડામાં વધારે ઉમેદવારો મળશે. પરમ દિવસ બપોર સુધી પરિપત્ર કરવામાં આવશે.જો કોઇ ઉમેદવાર પર આંદોલન દરમિયાન કોઇ નાના મોટા કેસ દાખલ થયા હશે તો કાયદાની જોગવાઇમાં રહી બનતી પુરતી મદદ સરકાર દ્વારા યુવાનોને કરવામાં આવશે. સરકારે એલઆરડી ઉમેદવારોને વાયદો આપ્યો હતો એ પુર્ણ કર્યો છે. પુરુષની ભરતીમાં ૨૦ ટકા વેઇટીંગ લિસ્ટ ઓપરેટ થશે. મહિલા ઉમેદવારોનું વેઇટીંગ લિસ્ટ ક્લીયર કરી દેવામાં આવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, એસઆરડી આંદોલન બાબતે યુવાનોએ એનક પ્રકારની બાધા રાખી. જયદિપ સિંહ નામના ઉમેદવારે ચાની બાધા લીધી હતી, તો એક યુવાને ચપ્પલ પહેરવાની બાધા રાખી હતી, ત્યારે જયદિપસિંહને ગૃહરાજ્ય મંત્રીએ ચા પીવડાવી બાધા છોડાવી હતી. ઉમેદવારને ચાના પારણા કરાવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news