'દાદા'નો મોટો નિર્ણય; પૂરગ્રસ્ત વિસ્તારોના રેંકડી, નાના દુકાનદાર અને વેપારીઓને અપાશે આ સહાય

Gandhinagar News: લારી, રેકડી, નાની સ્થાયી કેબીન, મોટી કેબીન, નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન, મોટી દુકાન, નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન એટલે કે જે દુકાનનું પાકુ બાંધકામવાળુ સ્થાયી માળખુ ધરાવતા હોય તેવા અસરગ્રસ્ત લોકોને રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવશે.

'દાદા'નો મોટો નિર્ણય; પૂરગ્રસ્ત વિસ્તારોના રેંકડી, નાના દુકાનદાર અને વેપારીઓને અપાશે આ સહાય

ઝી બ્યુરો/ગાંધીનગર: પૂરગ્રસ્ત વિસ્તારોના નાના વેપારી માટે સરકારે કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લીધો છે. નાના વેપારીઓ માટે સરકાર સહાય જાહેર કરશે. આ અંગેનો જીઆર ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, જ્યારે મોટા દુકાનદારો માટે લોન સબસિડીની પણ જોગવાઈ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે હાલમાં પાક નુકસાનીનો સર્વે ચાલી રહ્યો છે.

નર્મદા, ભરૂચ અને વડોદરાના ખેડૂતોના પૂરથી મોટાપાયે નુકસાન થયું હતું. સર્વે થઈ ગયા પછી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે. આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કબિનેટની બેઠક મળી હતી, જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે, જે બેઠકમાં કેટલાક નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. પૂર વિસ્તારોમાં વેપારીઓને સહાય અપાશે. લોનમાં સબસીડીમાં રાજ્ય સરકાર સહાય કરશે તેમજ રેંકડી, નાના દૂકાનો સહીતના વ્યાપારીઓને રાજ્ય સરકાર સહાય આપશે. જે મુદ્દે બે દિવસમાં સત્તાવાર સરકાર જાહેરાત કરશે. જેમાં વરસાદથી થયેલા નુકશાન બાબતે વધુ છ જિલ્લામાં સહાય આપવામાં આવશે.

રેંકડી, નાના દુકાનદાર અને વેપારી માટે સહાય
લારી, રેકડી, નાની સ્થાયી કેબીન, મોટી કેબીન, નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન, મોટી દુકાન, નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન એટલે કે જે દુકાનનું પાકુ બાંધકામવાળુ સ્થાયી માળખુ ધરાવતા હોય તેવા અસરગ્રસ્ત લોકોને રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવશે જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. વધુમાં મંત્રીએ કહ્યું કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં મધ્યમ અને મોટા વ્યપાર સાથે સંકળાયેલા લોકોને જે નુકશાન થયું હોય તે પ્રત્યે પણ ઉદાર વલણ દાખવીને રાજ્ય સરકારે  બેંક લોન માટે વ્યાજની સબસિડીની સહાય આપવાનું નક્કી કર્યું છે.

અસરગ્રસ્ત વિસ્તારમાં સહાય
રાજ્યમાં 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં થયેલ ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત વિસ્તારમાં વેપાર, વાણિજ્ય અને આર્થિક પ્રવૃતિના એકમોને રાજ્ય સરકાર દ્વારા સહાય આપવાનુ રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. કેબિનેટ બેઠકમાં નાના અને મધ્યમ વેપારીઓ પ્રત્યે ઉદાર વલણ રાખીને રાજ્ય સરકારે આ સહાય આપવાનું નક્કી કર્યું હતુ.

કેશડોલ્સની ચુકવણી
ભારે વરસાદની પરિસ્થિતિથી અસરગ્રસ્ત નવ જિલ્લાઓ નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ,આણંદ, અરવલ્લી , બનાસકાંઠા, મહિસાગર જિલાલામાં આજદિન સુધીમાં અતિવૃષ્ટિને કારણે રાજ્યમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં રૂ. 77 લાખ 45 હજારથી વધુ રકમની અસરગ્રસ્તોને કેશડોલ્સની ચુકવણી કરાઇ છે. રાજ્યમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વરસાદથી નુકશાન પામેલ ઘરવખરી માટે રૂ. 4 કરોડ 96 લાખ 77 હજારથી વધુ રકમની ચુકવણી કરવામાં આવી હોવાનું મંત્રીએ કહ્યું હતુ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news