મામકાંઓ પર સરકાર બગડી, ગૃહવિભાગે લીધો એવો નિર્ણય કે ગોઠિયાઓ રહેશે IPSથી જોજનો દૂર

ચાલ સાથે મળીને ભાગબટાઈ કરીશું....એવી નીતિ હવે નહીં ચાલે. ગુજરાત સરકાર દ્વારા આ અંગે મોટો નિર્ણય લેવામાં આવે છે. જે અંતર્ગત આઇપીએસ અધિકારીઓ પોતાના માનીતા અધિકારીઓને હવે સાથે નહી લઈ જઈ શકે. ગૃહ વિભાગે આવા અધિકારીઓની માહિતી એકઠી કરવાનું શરુ કર્યુ છે.

મામકાંઓ પર સરકાર બગડી, ગૃહવિભાગે લીધો એવો નિર્ણય કે ગોઠિયાઓ રહેશે IPSથી જોજનો દૂર

હિતલ પારેખ, ગાંધીનગરઃ ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં જો સૌથી વધારે કોઈ વિભાગ ચર્ચામાં રહેતા હોય તો એ છે ગૃહવિભાગ. લો એન્ડ ઓર્ડરની વાત હોય કે પછી ભ્રષ્ટાચારની વાત હોય આ વિભાગનું નામ કોઈકને કોઈક રીતે ચર્ચામાં આવી જાય છે. આંદોલનકારીઓને હટાવવા હોય કે પછી વિપક્ષના દેખાવોને રોકવા હોય સરકાર હંમેશા ગૃહ વિભાગને આ અંગેની જવાબદારી સોંપતી હોય છે. ગૃહ વિભાગ દ્વારા પોલીસ દળને આ અંગે જવાબદારીઓ સોંપવમાં આવે છે. એજ કારણ છેકે, આ વિભાગમાં ભ્રષ્ટાચાર પણ એ હદે વ્યાપેલો છે. વખતો વખત તેની ફરિયાદો પણ સામે આવતી રહે છે. ત્યારે સરકારે હવે મામકાઓ પર લાલ આંખ કરી છે. 

ચાલ સાથે મળીને ભાગબટાઈ કરીશું....એવી નીતિ હવે નહીં ચાલે. ગુજરાત સરકાર દ્વારા આ અંગે મોટો નિર્ણય લેવામાં આવે છે. જે અંતર્ગત આઇપીએસ અધિકારીઓ પોતાના માનીતા અધિકારીઓને હવે સાથે નહી લઈ જઈ શકે. ગૃહ વિભાગે આવા અધિકારીઓની માહિતી એકઠી કરવાનું શરુ કર્યુ છે. ઘણા અધિકારીઓ બદલી સમયે પીઆઈ કક્ષાના અધિકારીઓને જે તે જગ્યાએ લઈ જતા હોય છે સાથે, પણ હવે એ પ્રકારની ગોઠવણો નહીં ચાલે.

ગૃહ વિભાગ દ્વારા કડક હાથે આ અંગે કામ લેવામાં આવી રહ્યું છે. તેના માટે ઉચ્ચસ્તરે વિશેષ તપાસ પણ કરવામાં આવી રહી છે. ખાસ કરીને ક્યા અધિકારી કોને બદલી વાળા જીલ્લાઓમા સાથે લઈ જાય છે તેની માહિતી એકત્ર થઈ રહી છે. આગામી દિવસોમાં આવા અધિકારીઓ અને માનીતા અધિકારીઓને અલગ કરવામાં આવશે. વિભાગની છબિને સ્વચ્છ કરવા માટે હાલ આ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છેકે, અગાઉ સરકારે પોતો ગૃહમાં એક સવાલના જવાબમાં જણાવ્યું હતુંકે, ગુજરાતમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર ગૃહ વિભાગ અને મહેસૂલ વિભાગમાં થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news