Gujarati Election 2022: પાટિલ સાથે બેઠક બાદ પણ ન માન્યા મધુ શ્રીવાસ્તવ, કહ્યું- હું અપક્ષ લડીશ

Gujarat Vidhansabha Election 2022: મધુ શ્રીવાસ્તવે અપક્ષ લડવાની જાહેરાત કરી દીધી છે. આજે પાટિલ સાથે બેઠક બાદ પણ તેઓ માન્યા નથી. તેમણે કીધુ કે હું મધુ શ્રીવાસ્તવ છું, બીજા ભલે માન્યા પણ હું માનવાનો નથી. 

Gujarati Election 2022: પાટિલ સાથે બેઠક બાદ પણ ન માન્યા મધુ શ્રીવાસ્તવ, કહ્યું- હું અપક્ષ લડીશ

રવિ અગ્રવાલ, વડોદરાઃ ગુજરાતમાં ચૂંટણીની (Gujarat Vidhansabha Election 2022) જોરશોરથી તૈયારી ચાલી રહી છે. પ્રથમ તબક્કાના મતદાન માટે તો દરેક ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી દીધી છે. તો કેટલીક જગ્યાએ ટિકિટ ન મળવા પાર્ટીઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે વડોદરામાં ભારતીય જનતા પાર્ટીએ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપી હતી. હવે મધુ શ્રીવાસ્તવે ભાજપ સામે બળવો કરી દીધો છે. 

મધુ શ્રીવાસ્તવને મનાવવામાં ભાજપ નિષ્ફળ
છ વખત ધારાસભ્ય રહેલા અને વડોદરાના બાહુબલી નેતા મધુ શ્રીવાસ્તવને આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી નથી. ભાજપની યાદી જાહેર થવાની સાથે મધુ શ્રીવાસ્તવે બળવો શરૂ કરી દીધો હતો. તેમને મનાવવાના અનેક પ્રયાસો થયાં પરંતુ પાર્ટીને સફળતા મળી નહીં. મધુ શ્રીવાસ્તવ અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી ચુક્યા છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) November 16, 2022

આજે પાટિલ સાથે કરી બેઠક
મધુ શ્રીવાસ્તવને મનાવવા માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ તેમની સાથે વડોદરા એરપોર્ટ પર બેઠક કરી હતી. નારાજ મધુ શ્રીવાસ્તવને મનાવવા માટે પાટીલે તેમને એરપોર્ટ બોલાવ્યા હતા. બંને વચ્ચે એક કલાકથી વધુ સમય બેઠક ચાલી હતી. પરંતુ પાટીલનો આ પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો છે. 

બેઠક બાદ આપ્યું નિવેદન
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ સાથે બેઠક બાદ મધુ શ્રીવાસ્તવે પોતાના તેવર જાળવી રાખ્યા છે. તેમણે કહ્યું કે સતીષ નિશાળિયા ભલે માન્યા, પરંતુ હું મધુ શ્રીવાસ્તવ છું. તેમણે કહ્યું કે, હું અપક્ષ ચૂંટણી લડવાનો છું અને આવતીકાલે ફોર્મ ભરીશ. નોંધનીય છે કે વડોદરામાં ટિકિટની જાહેરાત બાદ ભાજપના ત્રણ નેતાઓ નારાજ થઈ ગયા હતા. જેમાંથી માત્ર સતીષ નિશાળિયા માની ગયા છે. 

હવે અપક્ષ લડશે મધુ શ્રીવાસ્તવ
મધુ શ્રીવાસ્તવને આ વખતે ભાજપે વાઘોડિયા બેઠક પરથી ટિકિટ આપી નથી. પરંતુ છ વખતથી ધારાસભ્ય રહેલા શ્રીવાસ્તવે પાર્ટી સામે બળવો કરી દીધો છે. હવે મધુ શ્રીવાસ્તવ અપક્ષ તરીકે ચૂંટણી લડવાના છે. આ સાથે દિનેશ પટેલ પણ અપક્ષ તરીકે મેદાનમાં ઉતરશે. એટલે કહી શકાય કે ભાજપ આ બંને નેતાઓને મનાવી શક્યું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news