જીવના જોખમે મુસાફરી, વતન જવા નીકળેલા લોકોથી ખીચોખીચ ભરાઈ અંત્યોદય ટ્રેન

Train Update : સુરતના ઉધના રેલવે સ્ટેશન પર લોકોની ભારે ભીડ....ઉનાળુ વેકેશનને કારણે મોટી સંખ્યામાં પરપ્રાંતિયો વતન જવા માટે નીકળ્યા....અનેક લોકોને ટ્રેનમાં જગ્યા ન મળતા ફર્યા પરત....

જીવના જોખમે મુસાફરી, વતન જવા નીકળેલા લોકોથી ખીચોખીચ ભરાઈ અંત્યોદય ટ્રેન

Surat News પ્રશાંત ઢીવરે/સુરત : ઉનાળાના વેકેશનમાં પરપ્રાંતીઓ પોતાના વતન જવા માટે દોડ લગાવી રહ્યા છે ત્યારે ઉધના રેલવે સ્ટેશન ખાતેથી અઠવાડિય એક જ વખત ઉત્તર પ્રદેશ ઉપડતી અંત્યોદય ટ્રેનમાં લોકોની ભીડ ઉમટી પડી છે. ટ્રેનની કેપેસિટી કરતાં વધુ પ્રમાણમાં લોકો ગીચોગીચ ભરીને જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે. ટ્રેનની 2500 લોકોની કેપેસિટી છે 5 હજારથી  વધુ લોકો આ ટ્રેનમાં જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશ જતી અંત્યોદય ટ્રેનની હાલત જોઈને તમને પણ પરસેવો છૂટી જશે. તમામ અનરિઝર્વ્ડ કોચમાં પગ મુકવાની પણ જગ્યા નથી. ઉત્તર ભારતીયો દ્વારા અનેક વખત ટ્રેન વધારવાની માંગ કરાઈ છે.

સુરતમાં રોજગારી અર્થે આવેલા યુપી-બિહારના લોકોને ઉનાળાના વેકેશનમાં પોતાના રાજ્યોમાં જવા માટે ટ્રેનના અભાવે પશુઓની જેમ લડતા-લડતા ગામ જવું પડે છે. ઉત્તર પ્રદેશ જતી અંત્યોદય ટ્રેનની હાલત જોઈને તમને પણ પરસેવો છૂટી જશે. તમામ અનરિઝર્વ્ડ કોચમાં પગ મુકવાની પણ જગ્યા નથી.અંત્યોદય ટ્રેનમાં તમામ 22 અનરિઝર્વ કોચ છે. અઠવાડિયામાં એકવાર આ ટ્રેન ઉત્તર પ્રદેશ જવા માટે ઉધના રેલવે સ્ટેશનથી ઉપડે છે. સીટ મેળવવા માટે લોકો કલાકો સુધી પ્લેટફોર્મ પર બેસી રહે છે અને ટ્રેન આવે તો તરત જ આંખના પલકારામાં ટ્રેન મુસાફરોથી ભરાઈ જાય છે. ટ્રેનની સીટો ત્રણ ઘણા મુસાફરો જોવા મળે છે. કોચના દરવાજામાં પણ લોકો તેમના બાળકો સાથે ઉભા હોય છે.

ટ્રેનની તસવીરો પરથી ખ્યાલ આવે છે કે ટ્રેનના દરવાજામાં ઉભેલા મુસાફરો માટે આ મુસાફરી કેટલી જોખમી છે. મુસાફરોથી ભરેલી ટ્રેનમાં દરવાજા સુધી મુસાફરીથી ભરેલી જોવા મળશે. એક તરફ કાળઝાળ ગરમીમાં આ ભરચક ટ્રેનમાં મુસાફરોની હાલત કફોડી બની છે.જે ટ્રેનમાં એટલા બધા મુસાફરો હોય છે કે પગ મુકવાની પણ જગ્યા નથી, આવી ટ્રેનમાં લગભગ 24 કલાકની મુસાફરી મુસાફરો કેવી રીતે કરશે, આ સૌથી મોટી સમસ્યા છે. અન્ય  ટ્રેનોમાં રિઝર્વેશન તેમને મળતી નથી. બીજી બાજુ આ ટ્રેન માટે પણ તેમને પ્લેટફોર્મ પરથી ટિકિટ મેળવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે

હાલ શાળાઓમાં કોલેજોમાં વેકેશન પડી ગયું છે અને લગ્ન સિઝન પણ શરૂ થઈ ગઈ છે. વેકેશન ની મજા માંડવા લોકો પોતાના વતન જવા માટે દોડ લગાવી રહ્યા છે.  સુરતના ઉદ્યોગમાં લાખોની સંખ્યામાં યુપી બિહારના શ્રમિકો રોજગારી માટે આવે છે અને જ્યારે પણ શાળાઓના વેકેશનમાં તેવો પોતાના વતન જતા હોય છે પરંતુ ટ્રેનની અછતના કારણે દર વર્ષે તેમને હાલાકી નો સામનો કરવો પડતો હોય છે. રવિવારે, અનરિઝર્વ્ડ અંત્યોદય ટ્રેન ઉધના અને જયનગર વચ્ચે નીકળી હતી, જેને પકડવા માટે હજારો મુસાફરો એકઠા થયા હતા. ઉનાળાની રજાઓમાં તાપ્તી ગંગા સહિત અન્ય ટ્રેનોમાં ટિકિટ ઉપલબ્ધ ન હતી, જેના કારણે આ અનરિઝર્વ્ડ અંત્યોદય ટ્રેનમાં ભારે ભીડ જોવા મળી હતી.

આ ટ્રેનની ક્ષમતા બે હજાર મુસાફરોને લઈ જવાની છે. કેપેસિટી કરતા મોટી સંખ્યામાં લોકો વેકેશનની મજા માણવા પોતાના વતન  દોડ લગાવી રહ્યા છે. જ્યારે ટ્રેનમાં યોગ્ય જગ્યા મળી રહે તે માટે ટ્રેનના સમય કરતા 4 કલાક પહેલા જ સ્ટેશન પર આવી પહોંચતા હોય છે. લગભગ ત્રણ હજારથી વધુ મુસાફરો ઉધના સ્ટેશને પહોંચ્યા ટ્રેનમાં દેખાતા ભીડ પરથી  કહી શકાય છે.આખી ટ્રેન ખીચોખીચ ભરાઈ ગઈ હતી. અને પ્રવેશવાની કોઈ જગ્યા નહોતી, જેના કારણે આ ટ્રેનમાં સવાર મુસાફરોએ ગેટ બંધ કરી દીધા હતા. જેથી કરીને અન્ય મુસાફરો બળજબરીથી પ્રવેશ ન કરે. આ દરમિયાન 400 થી 500 મુસાફરો હતા જેઓ આ ટ્રેનમાં મુસાફરી કરી શક્યા ન હતા અને પરત ફરવું પડ્યું હતું

ગયા વર્ષની દિવાળીની જેમ, RPFએ પ્લેટફોર્મ બે અને ત્રણ પર ડઝનબંધ જવાનોને તૈનાત કર્યા હતા. જેથી મુસાફરો ટ્રેક પર ન આવે અને શેડ પર ચઢી ન જાય, જેથી મુસાફરો પ્લેટફોર્મની પીળી લાઇનની અંદર ઉભા રહે. ઉધના - જયનગર અંત્યોદય અનરિઝર્વ્ડ ટ્રેન સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ છે, જેમાં મુસાફરોએ જનરલ ટિકિટ લઈને મુસાફરી કરવી પડે છે. તેમાં કુલ 18 કોચ જોડવામાં આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news