Holi 2023: 7 કે 8 માર્ચ ક્યારે થશે હોળીકા દહન? તિથિ ક્ષતિ થતાં બે પુનમ હોવાથી ભદ્રકાળનો છે સાયો!

અંબાજી મંદિરમાં 06.30 કલાકે થતી આરતી પણ હોળી પ્રગટાવ્યા બાદ 07.30 કલાકે કરવામાં આવશે.જ્યારે અંબાજી મંદિર પુનમની આરતી 7 માર્ચે સવારે 6.00 કલાકે કરવામાં આવશે આમ આવખતે અંબાજી આવતા યાત્રીકો ના બે પુનમની આરતીનો લાભ મળશે.

Holi 2023: 7 કે 8 માર્ચ ક્યારે થશે હોળીકા દહન? તિથિ ક્ષતિ થતાં બે પુનમ હોવાથી ભદ્રકાળનો છે સાયો!

પરખ અગ્રવાલ/બનાસકાંઠા: હોળી આમ તો ફાગળ સુદ પુર્ણીમાનાં દિવસે પ્રગટાવવામાં આવે છે. પણ આ વખતે કેલેન્ડરમાં તિથી અને ક્ષતી થતા બે પુનમ એટલે કે તારીખ 06 અને 07 માર્ચે છે. જેમાં ફાગણ સુદ પુર્ણીમા 07 માર્ચે બપોરે પુર્ણ થઇ જતી હોવાથી ને સાથે હોળીકા દહન સંધ્યાકાળે કરવામાં આવતી હોવાથી આ વખતે અંબાજીમાં હોળી ફાગળ સુદ પુર્ણીમાનાં આગલા દિવસે 06 માર્ચે સાંજનાં 07.00 કલાકે પ્રગટાવવામાં આવશે.

અંબાજી મંદિરમાં 06.30 કલાકે થતી આરતી પણ હોળી પ્રગટાવ્યા બાદ 07.30 કલાકે કરવામાં આવશે.જ્યારે અંબાજી મંદિર પુનમની આરતી 7 માર્ચે સવારે 6.00 કલાકે કરવામાં આવશે આમ આવખતે અંબાજી આવતા યાત્રીકો ના બે પુનમની આરતીનો લાભ મળશે.

અંબાજીમાં હોળી વર્ષોથી ગુજરાતી પ્રાથમિક શાળાનાં મેદાનમાં પ્રગટાવવામાં આવે છે, પણ આ વખતે કેટલાંક લોકો દ્વારા હોળી ત્યાં ન પ્રગટાવી અન્ય સ્થળે ખસેડવાની વહેતી થયેલી વાતને લઇ ઠાકોર સમાજમાં રોષની લાંગણી ફેલાઇ હતી. પણ આ વખતે હોળી જ્યાં વર્ષોથી પ્રગટાવવામાં આવે છે. ત્યાં જ પ્રગટાવવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.

હોલિકા દહનની પૂજા સમગ્રી
હોલિકા દહનની પૂજા સમગ્રી પાણી, અક્ષત, ગંડ, ફૂલ, માળા, રોલી, કાચું સૂતર, ગોળ, આખી હળદર, મૂંગ, બતાશે, ગુલાલ, નારિયેળ, ઘઉંની બુટ્ટી અને જો શક્ય હોય તો ગાયના છાણા, ગૌમૂત્ર.

પૂજા વિધિ
પૂજા વિધિ સૌ પ્રથમ સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. ત્યારબાદ પૂજાની તમામ સામગ્રી પૂર્વ કે ઉત્તર દિશામાં મુખ રાખીને થાળીમાં રાખો. પછી ભગવાન ગણેશ, મા દુર્ગા, હનુમાનજી, ભગવાન નરસિંહ, ભગવાન ગિરિરાજ અને રાધા-રાધીને યાદ કરો. પછી પૂજાની થાળી તેમને અર્પણ કરો અને તમારા અને તમારા પરિવાર માટે સુખ અને શાંતિ માટે પ્રાર્થના કરો. ત્યારબાદ હોલિકા યવાણીના લાકડા પર અક્ષત, ધૂપ, ફૂલ, મગની દાળ, હળદરના ટુકડા, નારિયેળ અને ગાયના છાણથી બનેલી માળા અર્પણ કરો. અને પછી તેને આગ લગાડો અને તેની આસપાસ પરિક્રમાં કરો. હોલિકા અગ્નિમાં જળ અર્પણ કરો. આરતી કરો અને અગ્નિને નમન કરો.

શું કરવુ અને શું ના કરવુ?
હોલિકા દહન દરમિયાન વ્યક્તિએ સૂવું ન જોઈએ. ભગવાનનું ધ્યાન કરો. લડાઇ-ઝઘડા ના કરવા હોલિકા દહનની રાત્રે કોઈ એકાંત સ્થાન કે સ્મશાનગૃહમાં ન જશો. હોલિકા દહનની રાત્રે પતિ-પત્નીએ બ્રહ્મચર્ય પાળવું જોઈએ. હોલિકા દહનના બીજા દિવસે સ્મશાનની ભસ્મ કપાળ પર લગાવવાથી વ્યક્તિ રોગોથી મુક્ત થઈ જાય છે.

હિન્દુ ધર્મમાં રંગ અને ઉમંગનો તહેવાર હોળીનું ખુબ મહત્વ છે. પંચાગ મુજબ ફાગણ માસની પૂર્ણિમાના દિવસે હોળી ઉજવવામાં આવે છે. આ વર્ષે હોળીની તારીખને લઈને લોકોમાં મૂંઝવણ છે. આવો જાણીએ હોલિકા દહનની તારીખ અને ક્યારે ધૂળેટી રમાશે. પંચાંગ જોઈએ તો ફાગણ મહિનાની પૂર્ણિમાની તિથિ 6 માર્ચ 2023ના રોજ સાંજે 04.17 કલાકે શરૂ થશે, બીજા દિવસે 7 માર્ચ 2023ના રોજ સાંજે 06.09 કલાકે સમાપ્ત થશે. હોલિકા દહન આ વર્ષે 7 માર્ચ 2023ના રોજ છે. આ દિવસે હોલિકા દહનનો શુભ સમય 06:31 થી 08:58 સુધીનો રહેશે. 

આ વર્ષે રંગવાલી હોળી 8 માર્ચ 2023ના રોજ રમાશે. રંગવાલી હોળીને ધુળેટી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર ભાઈચારા અને સમાનતાનું પ્રતિક છે. આ દિવસે ફરિયાદોને બાજુ પર રાખીને, દરેક વ્યક્તિ એકબીજાને રંગો લગાવે છે અને હોળીની શુભેચ્છા પાઠવે છે. હોલિકા દહનના દિવસે, તેની વિધિવત પૂજા કરવામાં આવે છે અને હોલિકાની આસપાસ ત્રણ કે સાત પરિક્રમા કરવામાં આવે છે. હોલિકા દહનનો તહેવાર અનિષ્ટ પર સારાની જીતનું પ્રતિક છે.

દર વર્ષે હોળીના થોડા દિવસો પહેલાં, મથુરા અને બ્રજમાં લઠ્ઠમાર હોળી રમવામાં આવે છે. લઠમાર હોળી વિશ્વ પ્રસિદ્ધ છે. આ વખતે 28 ફેબ્રુઆરી 2023ના રોજ લઠમાર હોળી રમાશે. દ્વાપર યુગમાં રાધા-કૃષ્ણ લઠમાર હોળી રમતા હતા, આ પરંપરાનું આજ સુધી પાલન કરવામાં આવે છે. આમાં ગોપીઓ (સ્ત્રીઓ) નંદગાંવથી આવતા ગોવાળો (પુરુષો)ને લાકડીઓ વડે માર મારે છે અને પુરુષો ઢાલની મદદથી ભાગવાનો પ્રયાસ કરે છે.

હોળીનું ધાર્મિક મહત્વ
હિન્દુ ધર્મની માન્યતા મુજબ હોળીનો સંબંધ હોલિકા અને પ્રહલાદની કથા સાથે છે. એવી માન્યતા છે કે આ દિવસે જ્યારે ભગવાન શ્રી વિષ્ણુના પરમ ભક્તને બાળીને ખતમ કરવા માટે હોલિકા અગ્નિમાં બેઠી તો શ્રી હરિની કૃપાથી પ્રહલાદને કઈ થયું નહીં અને તે બચી ગયો પરંતુ હોલિકા તે જ આગમાં બળીને ભસ્મ થઈ ગઈ. હિન્દુ માન્યતા મુજબ પૌરાણિક કાળમાં હોળીના 8 દિવસ પહેલા જ પ્રહલાદને યાતનાઓ આપવાનું શરૂ કર્યું હતું. આથી હોલિકા દહનના આઠ દિવસ પહેલા હોળાષ્ટક લાગે છે. જેમાં કોઈ પણ શુભ કાર્ય કરવાની મનાઈ હોય છે.  આ ઉપરાંત જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ આઠ દિવસ દરમિયાન બધા જ ગ્રહ અસ્ત અને રુદ્ર અવસ્થામાં હોય છે. તેથી તેઓ અશુભ ફળ પ્રદાન કરે છે. આજ કારણ છે કે આ આઠ દિવસ દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવાની મનાઈ હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news