STમાં મુસાફરી કરતા લોકો માટે ખુશખબર! CM ભૂપેન્દ્ર પટેલ 151 લક્ઝરી ST બસની શરૂઆત કરાવશે

STમાં મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર મળી રહ્યા છે. આવતીકાલે CMના હસ્તે નવી 151 બસનો પ્રારંભ થશે. ગાંધીનગરથી CM ભૂપેન્દ્ર પટેલ 151 લક્ઝરી ST બસની શરૂઆત કરાવશે. રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી.

STમાં મુસાફરી કરતા લોકો માટે ખુશખબર! CM ભૂપેન્દ્ર પટેલ 151 લક્ઝરી ST બસની શરૂઆત કરાવશે

ઝી ન્યૂઝ/ગાંધીનગર: ગુજરાત રાજ્યની પરિવહન વ્યવસ્થા સુદ્રઢ અને સરળ બનાવવા નાગરિકોના હિતમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી 151 જેટલી નવીન લક્ઝરી એસ.ટી. બસોને લીલી ઝંડી આપી સેવાનો પ્રારંભ કરાવશે. આ સાથે જ નાગરિકોની સુવિધાઓમાં મુકવાનો મહત્વનો નિર્ણય કરાયો છે.

STમાં મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર મળી રહ્યા છે. આવતીકાલે CMના હસ્તે નવી 151 બસનો પ્રારંભ થશે. ગાંધીનગરથી CM ભૂપેન્દ્ર પટેલ 151 લક્ઝરી ST બસની શરૂઆત કરાવશે. રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી.

રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2021-22માં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને 500 સુપર એક્સપ્રેસ, 300 લક્ઝરી તેમજ 200 સ્લીપર કોચ એમ કુલ 1000 નવા વાહન ખરીદવા રૂ. 310 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ 500 સુપર એક્સપ્રેસ વાહનો પૈકી 151 નવા સુપર એક્સપ્રેસ વાહનો હાલમાં તૈયાર થઇ ગયા છે. જયારે બાકીના વાહનો તબક્કાવાર તૈયાર થઈ રહ્યા છે. તૈયાર થયેલ બસો નિગમના તમામ જિલ્લાઓમાં ફાળવવામાં આવશે.

આ 151 નવી સુપર એક્સપ્રેસ બસમાં 52 મુસાફર માટે આરામદાયક સિવિધા માટે ૩x૨ હાઈબેક શીટ, ઈન-સાઈડ આકર્ષક દેખાવ માટે ACP શીટ, ગ્રેબરેલ પાઇપ અને કંડકટર પાર્ટીશન,બાહ્ય આકર્ષક દેખાવ માટે ફ્રન્ટ અને રિયરમાં FRP શો, VLT અને પેનીક બટન, રિવર્સ પાર્કિંગ સેન્સર, સિલિકોન બેઝ મેટિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે.

રાજય સરકાર દ્વારા એસ.ટી નિગમને દર વર્ષે બજેટમાં નવા વાહનો ખરીદવા માટે માતબર ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેથી નિગમ દ્વારા દર વર્ષે પ્રજાની સેવામાં નવા વાહનો મૂકવામાં આવે છે. નવા વાહનો સંચાલનમાં મૂકાતા તેટલી સંખ્યામાં આયુમર્યાદા પૂર્ણ કરેલ બિનઉપયોગી વાહનો દૂર કરવામાં આવે છે.

પર્યાવરણના જતનની સાથે સાથે નાગરિકોની યાતાયાત સુવિધાઓમાં વધારો થાય તે આશયથી રાજ્ય સરકાર દ્વારા ત્રણ નવી LNG બસ નાગરિકોની સેવાઓમાં ઉપલબ્ધ બનાવવાનો નિર્ણય કર્યો છે. નિગમ દ્વારા ત્રણ ડિઝલ બસને LNG બસમાં કન્વર્ટ કરવામાં આવી છે. જેના પરિણામે પ્રદૂષણમાં ઘટાડો થશે અને પર્યાવરણનું જતન થશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news