નર્ક જેવી સ્થિતીમાં યુવતીને પરિવારે ગોંધી રાખી, સામાજિક સંસ્થા પહોંચી તો જે સામે આવ્યું તે કાચા પોચા લોકો વાંચી થથરી જશે

સભ્ય સમાજને શરમાવે તેવી ઘટના ફરી રાજકોટમાં બની છે. શહેરના સાધુ વાસવાણી રોડ પર એક 25 વર્ષીય યુવતીને તેના જ પરિવારે ગોંધી રાખી હતી. જેને સામાજિક સંસ્થાએ છોડાવી હતી. સાથી સેવા ગ્રુપ પાસે યુવતીની સારવાર માટે તેની માતાએ મદદ માંગી હતી. જેના કારણે સંસ્થા દ્રારા તેની સ્થિતિ જોવા તેના ઘરે પહોંચ્યા ત્યારે ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ યુવતી નર્કાગાર સ્થિતિમાં હતી. યુવતીને મરણ શૈયા હોય તે રીતે ઘરમાં રાખી હતી. જે સ્થળે આ યુવતીને રાખી હતી ત્યાં ખૂબ જ ગંદકી હતી. યુરીનની કોથળીઓ ભરેલી હતી. 
નર્ક જેવી સ્થિતીમાં યુવતીને પરિવારે ગોંધી રાખી, સામાજિક સંસ્થા પહોંચી તો જે સામે આવ્યું તે કાચા પોચા લોકો વાંચી થથરી જશે

રક્ષિત પંડ્યા/રાજકોટ : સભ્ય સમાજને શરમાવે તેવી ઘટના ફરી રાજકોટમાં બની છે. શહેરના સાધુ વાસવાણી રોડ પર એક 25 વર્ષીય યુવતીને તેના જ પરિવારે ગોંધી રાખી હતી. જેને સામાજિક સંસ્થાએ છોડાવી હતી. સાથી સેવા ગ્રુપ પાસે યુવતીની સારવાર માટે તેની માતાએ મદદ માંગી હતી. જેના કારણે સંસ્થા દ્રારા તેની સ્થિતિ જોવા તેના ઘરે પહોંચ્યા ત્યારે ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ યુવતી નર્કાગાર સ્થિતિમાં હતી. યુવતીને મરણ શૈયા હોય તે રીતે ઘરમાં રાખી હતી. જે સ્થળે આ યુવતીને રાખી હતી ત્યાં ખૂબ જ ગંદકી હતી. યુરીનની કોથળીઓ ભરેલી હતી. 

આ સ્થિતિ જોઇને સંસ્થા તેને હોસ્પિટલ ખસેડવા જતા હતા. જો કે પરિવારજનો સહમત ન હતા. અંતે સામાજિક સંસ્થાએ પોલીસને સાથે રાખીને યુવતીને સારવાર માટે ખસેડી છે. સામાજિક સંસ્થાના કહેવા પ્રમાણે યુવતી છેલ્લા ત્રણ દિવસથી કોમોમાં હતી એટલુ જ નહિ ડોક્ટરોના કહેવા પ્રમાણે આઠ દિવસથી તેને પાણી પણ આપવામાં આવ્યુ નથી. જેના પગલે સંસ્થા દ્વારા યુવતીને સારવાર માટે પોલીસને સાથે રાખીને તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. 

સંસ્થાની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી.  આ યુવતીના પરિવારજનો યુવતીની સારવાર માટે  તૈયાર ન હતા પરંતુ તેના રૂપિયા અનેક લોકો પાસે મેળવતા હતા. હાલમાં આ સંસ્થા દ્રારા પોલીસનો સંપર્ક કરવામાં  આવ્યો છે. આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. બીજી તરફ યુવતીના પરિવારજનો સામાજિક સંસ્થાના લોકોને ધમકાવતા હોવાનો આક્ષેપ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ જ સંસ્થા દ્વારા અગાઉ બે ભાઇ અને એક બહેનને ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જે મેલી વિદ્યાનાં વહેમના કારણે વર્ષોથી ઘરમાં પુરાયેલા રહ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news