વિધાતાએ વિધિના કેવા લેખ લખ્યા! કડીના પાટીદાર યુવકનું જન્મદિને હાર્ટ એટેકથી મોત થયું

નસીબમાં મોત લખાયું હોય તો તે ગમે ત્યાંથી આવે છે. પરંતું મહેસાણાના કડીના યુવકને તેના જન્મદિવસે જ મોત મળ્યું. કડીના યુવકને જન્મ દિવસે જ હૃદય રોગનો હુમલો આવ્યો હતો. નોકરીમાં કામ કરતા સમયે 26 વર્ષીય યુવક ઢળી પડ્યો હતો. જેથી પરિવારમાં માતમનો માહોલ છવાયો છે. 

વિધાતાએ વિધિના કેવા લેખ લખ્યા! કડીના પાટીદાર યુવકનું જન્મદિને હાર્ટ એટેકથી મોત થયું

Heart Attack Death : નસીબમાં મોત લખાયું હોય તો તે ગમે ત્યાંથી આવે છે. પરંતું મહેસાણાના કડીના યુવકને તેના જન્મદિવસે જ મોત મળ્યું. કડીના યુવકને જન્મ દિવસે જ હૃદય રોગનો હુમલો આવ્યો હતો. નોકરીમાં કામ કરતા સમયે 26 વર્ષીય યુવક ઢળી પડ્યો હતો. જેથી પરિવારમાં માતમનો માહોલ છવાયો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, કડીનો રહેવાસી કુંજ પટેલનો 26 મો જન્મદિવસ હતો. પાટીદાર પરિવારમાં દીકરાનો જન્મ હોઈ પરિવાર સવારથી જ ખૂબ ખુશ હતો. પરંતું પરિવારની જન્મદિવસની ખુશીઓ એકાએક છીનવાઈ ગઈ હતી. 26 વર્ષીય કુંજ પટેલને ખાત્રજ સ્થિત કંપનીમાં કામ કરતા સમયે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. તે ત્યાં જ ઢળી પડ્યો હતો. પરંતુ તબીબો પણ તેનો જીવ બચાવી શક્યા ન હતા. સારવાર મળે તે પહેલા જ પાટીદાર યુવક મોતને ભેટ્યો હતો. આમ, પાટીદાર પરિવારપરિવારની જન્મ દિવસની ખુશી શોકમાં પલટાઈ હતી.

દર 7 મિનિટે એક ગુજરાતીને આવી રહ્યો છે હાર્ટ એટેક
ગુજરાતમાં ચિંતાજનક રીતે હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે. સૌથી ડરામણી માહિતી એ છે કે, રાજ્યમાં દર 7 મિનિટે એક વ્યક્તિ હાર્ટ એટેકનો ભોગ બની રહી છે. જી હા, 108 ઈમરજન્સીના આંકડામાં આ મોટો ખુલાસો થયો છે. આંકડા કહે છે કે, ગુજરાતમાં દર 7 મિનિટે હૃદયરોગનો એક વ્યક્તિ ભોગ બને છે. એટલે કે, હાર્ટ એટેક તો કોરોના કરતા પણ ખતરનાક કહી શકાય. ગુજરાતીઓએ કોરોનાથી નહિ, પરંતું હાર્ટ એટેકથી સાવચેત રહેવાની જરૂરી છે. હાર્ટ એટેક માટે લાઈફસ્ટાઈલ, ફાસ્ટફૂડ, માનસિક તણાવ જવાબદાર છે. 

હાર્ટ એટેકમાં રાજકોટ ટોચ પર 
108 ઈમરજન્સીના આંકડા અનુસાર, વર્ષ 2023માં રાજ્યમાં હૃદયરોગના કુલ 72 હજાર 573 કેસ નોંધાયા છે. જેમાં સુરત-વડોદરામાં 31 ટકા, રાજકોટમાં 42 ટકા અને અમદાવાદમાં 28 ટકા કેસ વધારો થયો છે. 42 ટકાના વધારા સાથે રાજકોટ ટોચ પર છે. સતત વધી રહેલાં હાર્ટ એટેકની ઘટના સામે ચિંતા વ્યક્ત કરવાનો સમય આવી ગયો છે. લોકોને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા ડૉક્ટર્સ સૂચના આપી રહ્યાં છે. 

  • 2018માં 53,700 હૃદય રોગના કેસ નોંધાયા
  • 2019માં 63,628 હૃદય રોગના કેસ નોંધાયા
  • 2020માં 44,797 હૃદય રોગના કેસ નોંધાયા
  • 2021મા 42,555 હૃદય રોગના કેસ નોંધાયા
  • 2022માં 56,277 હૃદય રોગના કેસ નોંધાયા
  • 2023માં 72,573 હૃદય રોગના કેસ નોંધાયા

ગુજરાતમાં હૃદય રોગની બીમારીમાં છેલ્લા એક વર્ષમાં સતત વધારો થયો છે. હજારો લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું સામે આવ્યું છે. 108એ તાજેતરમાં જ હૃદય રોગના આંકડા જાહેર કર્યા છે. 108એ વર્ષ 2023માં 72 હજાર 573 હૃદય રોગને લગતી ઈમરજન્સી હેન્ડલ કરી. છેલ્લા છ વર્ષ એટલે કે વર્ષ 2018થી વર્ષ 2023માં સુધી કેટલા કેસ નોંધાયા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news