અમદાવાદ : મજૂરી કરાવીને બાળકોને રૂપિયા ઉઘરાવવાનો ટાર્ગેટ આપનાર સ્વામી નિત્યાનંદ સામે ગુનો નોંધાયો

અમદાવાદ (Ahmedabad) ના નિત્યાનંદ (Nithyananda) આશ્રમ વિવાદ માં અંતે પરિવારે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં અપહરણ અને ગોંધી રાખવાની ફરિયાદ નોંધાવી છે. બે સગીર બાળકી સાથે ગેરવર્તણૂંક અને શોષણ અંગે FIR નોંધવામાં આવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. નંદિતા ઉપરાંત તત્વપ્રિયા નામની મોટી યુવતી ગુમ થવા અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. બે સગીરાઓ ગુમ (Missing) થવા અંગે બે અલગ અલગ ફરિયાદ અને અરજી દાખલ કરવામાં આવી છે. 

અમદાવાદ : મજૂરી કરાવીને બાળકોને રૂપિયા ઉઘરાવવાનો ટાર્ગેટ આપનાર સ્વામી નિત્યાનંદ સામે ગુનો નોંધાયો

અમદાવાદ :અમદાવાદ (Ahmedabad) ના નિત્યાનંદ (Nithyananda) આશ્રમ વિવાદ માં અંતે પરિવારે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં અપહરણ અને ગોંધી રાખવાની ફરિયાદ નોંધાવી છે. બે સગીર બાળકી સાથે ગેરવર્તણૂંક અને શોષણ અંગે FIR નોંધવામાં આવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. નંદિતા ઉપરાંત તત્વપ્રિયા નામની મોટી યુવતી ગુમ થવા અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. બે સગીરાઓ ગુમ (Missing) થવા અંગે બે અલગ અલગ ફરિયાદ અને અરજી દાખલ કરવામાં આવી છે. 

સગીરાએ ફેસબુક પર વીડિયો મૂક્યો હતો
આશ્રમમાં રહેતા બાળકોએ આક્ષેપ કર્યો છે કે, આશ્રમમાં બાળમજૂરી, બાળશોષણ, ગેરવર્તન અને ડોનેશન ભેગા કરવાના ટાર્ગેર આપવામાં આવતા હતા. સગીરાનો આક્ષેપ છે કે ડૉનેશન માટે 1 કરોડ થી 7 કરોડ ઉઘરાવવાના ટાર્ગેટ આપવામાં આવતા હતા અને અન્ય બાળકો પણ અમારી જેમ આશ્રમ બહાર આવવા માંગે છે. સ્વામી નિત્યાનંદ આશ્રમના સંચાલક પ્રાણપ્રિયા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. સગીરાએ ફેસબુકમાં વીડિયો મૂક્યો હતો અને આખો મામલો સામે આવ્યો હતો. આ વીડિયો સગીરાના માતાપિતાએ જોયો હતો અને તાત્કાલિક ગુજરાત દોડી આવ્યા હતા. તો બીજી તરફ ગુમ યુવતીના પિતાનું નિવેદન છે કે, પોલીસનું કામગીરીથી હું ખુશ છું. મેં પોલીસ ફરિયાદ નોંધાવી છે અને મને આશ્રમથી વારંવાર ધમકી મળી રહી છે. હજુ પણ હજુ પણ બે છોકરીઓ ગૂમ છે.

હાઈકોર્ટમાં યુવતીઓ ગુમ થવા મામલે હેબિયર્સ કોપર્સ દાખલ કરાશે
હીરાપુર ગામમાં સ્વામી નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગોંધી રાખી તેમની પાસે બાળ મજૂરી કરાવવા મામલે સ્વામી નિત્યાનંદ અને હીરાપુર આશ્રમની બે સેવિકા પ્રાણપ્રિયા અને પ્રિયતત્ત્વા સામે અપહરણ, માર મારવો અને બાળ મજૂરીના કાયદા હેઠળ ગુનો વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાઈ છે. સોમવારે ગુજરાત હાઈકોર્ટમાં યુવતીઓ ગુમ થવા મામલે હેબિયર્સ કોપર્સ દાખલ કરવામાં આવશે. સ્વામી નિત્યાનંદના યોગિની સર્વાજ્ઞ પીઠમ નામના આશ્રમમાં તામલિનાડુના એક પરિવારનાં ચાર બાળકોને ગોંધી રાખવાના મામલે શુક્રવાર રાતથી હાઈવોલ્ટેજ ડ્રામા શરૂ થયો હતો. 

બાળ મજૂરી કરાવી રૂપિયા ઉઘરાવવાના ટાર્ગેટ અપાતા 
ગુમ થનાર યુવતીના પિતાની ફરિયાદ મુજબ, 1 નવેમ્બર પહેલા સ્વામી નિત્યાનંદ, હીરાપુર આશ્રમની સેવિકા પ્રાણપ્રિયા અને પ્રિયતતવાએ તેમજ આશ્રમના અન્ય માણસોએ બે દીકરી અને દીકરાને આશ્રમમાં સ્વામી નિત્યાનંદની પ્રસિદ્ધિ માટે અલગ અલગ ટાર્ગેટ આપી બાળમજૂરી કરાવવામાં આવે છે. ગાળો બોલી અને શિક્ષા તરીકે માર મારતા હતા. બે દીકરી અને દીકરો મળી ન શકે તે માટે તેમને અપહરણ કરી આશ્રમથી 7 કિમી દૂર હાથીજણ સર્કલ પાસે આવેલા પુષ્પક સિટી નામના મકાનમાં બે અઠવાડિયા જેટલા સમય માટે ગોંધી રાખ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news