ગુજરાતના મહેસુલ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ આનંદો! બદલીઓને લઈ કર્યો મોટો નિર્ણય

મહેસુલ વિભાગે તમામ કલેકટરોને સૂચના આપી છે કે 4 વર્ષથી વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા વર્ગ 3ના કર્મચારીઓની બદલી કરવી. જેના કારણે નાયબ મામલતદાર, મહેસુલી કારકુન અને મહેસુલી તલાટીની બદલીઓના એંધાણ વર્તાઈ રહ્યા છે.

ગુજરાતના મહેસુલ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ આનંદો! બદલીઓને લઈ કર્યો મોટો નિર્ણય

ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતમાં મહેસુલ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. મહેસુલ વિભાગે તમામ કલેકટરોને સૂચના આપી છે કે 4 વર્ષથી વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા વર્ગ 3ના કર્મચારીઓની બદલી કરવી. જેના કારણે નાયબ મામલતદાર, મહેસુલી કારકુન અને મહેસુલી તલાટીની બદલીઓના એંધાણ વર્તાઈ રહ્યા છે.

No description available.

મહેસુલ વિભાગે પરિપત્ર કર્યો
મહેસુલ વિભાગે આ સંદર્ભે એક પરિપત્ર પણ જાહેર કર્યો છે, જેમાં જણાવ્યું છે કે, આપના જિલ્લાના મહેકમ હસ્તકના મહેસુલ વિભાગ હસ્તકના બિનરાજપત્રિત વર્ગ-3 સંવર્ગના કર્મચારીઓ કે ચાર વર્ષથી વધુ સમયથી કોઈ એક જ જગ્યા/ એક જ કચેરીમાં ફરજ બજાવી રહ્યાં હોય તેવા તમામ નાયબ મામલતદાર, મહેસુલી કારકુન અને મહેસુલી તલાટી વર્ગ-3 સંવર્ગના કર્મચારીઓની બદલી કરવાની કાર્યવાહી તાત્કાલિક હાથ ધરી તે અંગેનો અહેવાલ ન-શાખાના મેઈલમાં કરવો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news