રાજ્યમાં ત્રણ સ્થળોએ સી-પ્લેન શરૂ કરવાની યોજના, AAIએ રાજ્ય સરકારને લખ્યો પત્ર

મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન અંતિમ દિવસે સાબરમતી નદીથી સી-પ્લેનમાં મુસાફરી કરી હતી. 

 

રાજ્યમાં ત્રણ સ્થળોએ સી-પ્લેન શરૂ કરવાની યોજના, AAIએ રાજ્ય સરકારને લખ્યો પત્ર

અમદાવાદઃ રાજ્યમાં 3 સ્થળે સી-પ્લેન યોજના શરૂ કરવાની વિચારણા તેજ થઈ છે. મોદી સરકારના સ્વપ્નની આ યોજનામાં સાબરમતી નદીથી ધરોઇ ડેમ, સાબરમતી નદીથી સરદાર સરોવર અને તાપી નદીથી સરદાર સરોવર સુધીના સ્થળોની સી-પ્લેન યોજના શરૂ કરવા વિચારણા ચાલી રહી છે. જે અંતર્ગત એરપોર્ટ ઓથોરીટીના ચેરમેને રાજ્ય સરકારને પત્ર લખ્યો છે. સમગ્ર પ્રોજેક્ટ માટે ખાસ ટીમ બનાવવામાં આવી છે. જેમાં DGCA અને AAIના અધિકારીઓ 18 જૂનથી 20 જુન દરમિયાન આ ત્રણેય સ્થળોની મુલાકાત લેશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news