સ્વચ્છ સુરતમાં રસ્તા પર લોહીની નદીઓ વહાવે છે સિટી બસના ડ્રાઈવરો, એક જ પરિવારના 3ને અડફેટે લીધા, એકનું મોત

Surat City Bus Accident : સુરતમાં સિટી બસનો ફરી કહેર જોવા મળ્યો ... ખજોદ વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ લોકોને અડફેટે લીધા... બસની અડફેટે યુવકનું ઘટનાસ્થળે મોત.... બે લોકો થયા ઈજાગ્રસ્ત....

સ્વચ્છ સુરતમાં રસ્તા પર લોહીની નદીઓ વહાવે છે સિટી બસના ડ્રાઈવરો, એક જ પરિવારના 3ને અડફેટે લીધા, એકનું મોત

Surat News : સ્વચ્છતા સર્વેક્ષણમાં હાલમા જ સુરતને દેશના સૌથી સ્વચ્છ શહેરનું બિરુદ મળ્યું છે. પરંતું સ્વચ્છ શહેરના રસ્તાઓ પર સિટી બસના ડ્રાઈવરો લોહીની નદીઓ વહાવી રહ્યાં છે. સુરતની સિટી બસ ફરી કાળમુખી બની છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત બ્લ્યુ સીટી બસના ચાલકે ફરી એક વખત ગમખ્વાર અકસ્માત સર્જ્યો છે. આજે સવારે એક જ પરિવારના ત્રણ લોકોને સિટી બસે અડફેટે લીધા હતા, જેમાં એકનું મોત નિપજ્યું છે.

સુરતના ખજોદ વિસ્તારમાં સિટી બસ ફરી કાળમુખી બની હતી. રસ્તા પરથી પસાર થતા એક જ પરિવારના ત્રણ લોકોને અડફટે લીધા હતા. જેમાં એક યુવકનું મોત નીપજ્યું છે. બસ ચાલાક અકસ્માત સર્જી બસ મૂકી ફરાર થયો હતો. હાલ સચિન GIDC પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં બસ ચાલકો નો કહેર અટકવાનું નામ નાથી લેતો. હજી ગત અઠવાડિયે સુરતમાં બેફામ દોડતી પાલિકા સંચાલિત બ્લ્યુ સીટી બસની અડફેટે પરિવારના આશાસ્પદ ધોરણ -11 ના વિધાર્થીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. તો તે પહેલા સુરતમાં બસ ચાલકની ભૂલને કારણે એક મહિલાને ઈજા પહોંચી હતી. 

મજુરી કામે જતા યુવકનું મોત, ભાઈ-બહેન બચી ગયા 
આજે વહેલી સવારે એક જ પરિવારના બે ભાઈ અને બહેન મજૂરી કામ માટે નીકળ્યા હતા. પરંતું એક ભાઈને સિટી બસે અડફેટે લીધો હતો. જેથી તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. તો બીજા ભાઈ અને બહેનને ઈજા પહોંચી હતી. 

નવસારીમાં વિજલપોર ખાતે ક્રિષ્ણા નગરમાં રહેતો 28 વર્ષીય શિવાપ્રતાપ ગણેશપ્રસાદ સોનકર  શુક્રવારે સાંજે સચિન તલંગપૂર ખાતે તેમના સંબંધીની બાંધકામ સાઈટ પરથી મજૂર કામ કરતો કુમાર લસીયા ડાવર (ઉ.વ.20 અને તેની બહેન કીચપા ડાવર (ઉ.વ.16 -બંને રહે-ખજોદગામ બાંધકામ સાઇડ પર) બાઈક બેસાડીને ખજોદ ખાતે મુકવા જવા નીકળ્યો હતો. તે સમયે સચિન જીઆઇડીસીમાં ગીંજા મીલ તરફથી જતા રામેશ્વર કોલોની ગભેણી રોડ ઉપર બ્લ્યુ કલરની સીટી બસના ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર ઇજા પામેલા શિવાપ્રતાપ અને કુમારને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં ટુંકી સારવાર દરમિયાન શિવાપ્રતાપનું મોત થયુ હતુ. જયારે કુમાર ડાવરને નવી સિવિલમાં દાખલ કર્યો છે. અને તેની બહેનને સામાન્ય ઇજા થઇ હોવાનું સુત્રો જણાવ્યું હતું. જયારે શિવાપ્રતાપ મુળ ઉતરપ્રદેશનો વતની હતો. તેના છ મહિના પહેલા લગ્ન થયા હતા. જયારે 10-15 દિવસ પહેલા સુરત આવ્યો હતો. ઇજા પામેલા ભાઇ-બહેન મુળ મધ્યપ્રદેશના અલીરાજપુરના વતની છે. તે અને તેમના પિતા બાંધકામ સાઇટ ઉપર મજુરી કામ કરે છે. આ અંગે સચિન જીઆઆઈડીસી પોલીસે બસ ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news