શાળા એક વ્યવસાય છે તેને ધંધો ન બનાવો, સરકાર ફી મુદ્દે વચગાળાનો રસ્તો કાઢે: હાઇકોર્ટ

ગુજરાતમાં શિક્ષણ જાણે વેપાર બની ગયું હોય તેવી સ્થિતી ખાનગી શાળા સંચાલકો દ્વારા ઉત્પન્ન કરવામાં આવી છે. તો બીજી તરફ સરકાર પણ જાણે મજબુર હોય તેવી વર્તણુંક કરી રહી છે. શાળાઓ દ્વારા મનમાની રીતે લોકડાઉન હોવાથી શાળાઓ ચાલુ નહી હોવા છતા ફી વસુલાત ચાલુ કરી દીધી હતી. જેના કારણે વાલીઓમાં ખુબ જ રોષ હતો.
શાળા એક વ્યવસાય છે તેને ધંધો ન બનાવો, સરકાર ફી મુદ્દે વચગાળાનો રસ્તો કાઢે: હાઇકોર્ટ

અમદાવાદ : ગુજરાતમાં શિક્ષણ જાણે વેપાર બની ગયું હોય તેવી સ્થિતી ખાનગી શાળા સંચાલકો દ્વારા ઉત્પન્ન કરવામાં આવી છે. તો બીજી તરફ સરકાર પણ જાણે મજબુર હોય તેવી વર્તણુંક કરી રહી છે. શાળાઓ દ્વારા મનમાની રીતે લોકડાઉન હોવાથી શાળાઓ ચાલુ નહી હોવા છતા ફી વસુલાત ચાલુ કરી દીધી હતી. જેના કારણે વાલીઓમાં ખુબ જ રોષ હતો.

જો કે આ અંગે હંમેશાની જેમ હાઇકોર્ટ ફરી એકવાર તારણહાર સાબિત થઇ છે. હાઇકોર્ટ દ્વારા જાહેર હિતની અરજીની સુનવાણી કરતા ખાનગી શાળાના સંચાલકો અને તેમની લાલચી વૃતિ વિરુદ્ધ આકરી ટિપ્પણી કરવામાં આવી હતી. હાઇકોર્ટે ખાનગી શાળાઓની મનમાની પર રોક લગાવવામાં આવી હતી. શાળાઓ દ્વારા ફી નહી ભરનાર વિદ્યાર્થીઓની હકાલપટ્ટીની ધમકી આપવામાં આવી હતી. જેના પર હાઇકોર્ટે રોક લગાવી હતી.  

હાઇકોર્ટે પોતાનાં ચુકાદામાં ટકોર કરી કે કોઇ પણ શાળા વેપારીઓ જેવું વર્તન ન કરે. આ એક વ્યવસાય છે ધંધો નહી. માટે શિક્ષણને ધંધો ન બનાવો. શિક્ષણ ધંધો ન બને તે જોવાની જવાબદારી સરકારની પણ છે. સરકાર વાલીઓ અને શાળાઓ સાથે વાટાઘાટો કરીને વચ્ચેનો રસ્તો કાઢે. આ મુદ્દે તમામને ન્યાય મળે તેવો ઉકેલ લાવવામાં આવે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news