અમદાવાદમાં 45 વર્ષીય કોરોના પોઝિટિવ દર્દીનું મૃત્યુ, ગુજરાતના મૃતકોનો આંકડો પહોંચ્યો 5 સુધી

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસના પોઝિટિવ દર્દીનું મૃત્યુ થયું છે. 45 વર્ષીય આ દર્દી ડાયાબિટીસથી પીડાતો હતો. આ મૃત્યુ સાથે ગુજરાતમાં કોરોના પોઝિટિવ મૃતકોની સંખ્યા 5 થઈ ગઈ છે અને અમદાવાદમાં આ ત્રીજું મોત છે.

અમદાવાદમાં 45 વર્ષીય કોરોના પોઝિટિવ દર્દીનું મૃત્યુ, ગુજરાતના મૃતકોનો આંકડો પહોંચ્યો 5 સુધી

મૌલિક ધામેચા, અમદાવાદ : અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસના પોઝિટિવ દર્દીનું મૃત્યુ થયું છે. 45 વર્ષીય આ દર્દી ડાયાબિટીસથી પીડાતો હતો. આ મૃત્યુ સાથે ગુજરાતમાં કોરોના પોઝિટિવ મૃતકોની સંખ્યા 5 થઈ ગઈ છે અને અમદાવાદમાં આ ત્રીજું મોત છે.

કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યાની વાત કરીએ તો ગીર સોમનાથમાં વધારે એક કોરોનાનો કેસ પોઝિટિવ આવ્યો હતો. મક્કાથી આવેલા 65 વર્ષીય એક વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે ગુજરાતમાં કોરોનાના 7 નવા કેસ પોઝીટીવ આવ્યા છે. જેથી કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 55 પહોંચી ગઇ છે. આ સંજોગોમાં રાજ્યનાં દરેક જિલ્લામાં 100 બેડની આઇસોલેશન હોસ્પિટલ બનાવવાનો આદેશ મુખ્યમંત્રીએ આપ્યો છે. 

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ  આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું છેકે, રાજ્યમાં ઇન્ક્યુબેશન પરિયડ્સ ચાલુ હોવાથી કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઇ શકે છે. આગામી 5 એપ્રિલ સુધી કેસમાં વધારો થાય તેવી સંભાવના છે. હાલ રાજ્યમાં લોકલ ટ્રાન્સમિશન વધ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news