કરુણાંતિકા: બાળકોએ નજર સામે જોયું માતાનું મોત, પિતાએ જ હત્યા કરી માથેથી છીનવી છત્રછાયા

જ્યારે સંબંધોમાં તિરાડ પડે છે ત્યારે આપણું નજીકનું અને સૌથી વહાલું પણ આપણને દુશ્મન લાગવા લાગે છે અને વર્તમાન સમયમાં બધા સંબંધ ભૂલીને વ્યક્તિ કોઈ પણ હદ વટાવી જાય છે. આવું જ કઇંક જેતપુરમાં બન્યું કે જ્યાં લાબું લગ્ન જીવન અને એક હસ્તો પરિવાર બરબાદ થયો

કરુણાંતિકા: બાળકોએ નજર સામે જોયું માતાનું મોત, પિતાએ જ હત્યા કરી માથેથી છીનવી છત્રછાયા

નરેશ ભાલીયા, જેતપુર: જ્યારે સંબંધોમાં તિરાડ પડે છે ત્યારે આપણું નજીકનું અને સૌથી વહાલું પણ આપણને દુશ્મન લાગવા લાગે છે અને વર્તમાન સમયમાં બધા સંબંધ ભૂલીને વ્યક્તિ કોઈ પણ હદ વટાવી જાય છે. આવું જ કઇંક જેતપુરમાં બન્યું કે જ્યાં લાબું લગ્ન જીવન અને એક હસ્તો પરિવાર બરબાદ થયો. અહીં એક પતિએ તેની છૂટાછેડા લઇને રહેતી પત્નીને મોતને ઘાત ઉતારી પરિવારને બરબાદ કરી નાખ્યો.

જાણો શું છે સમગ્ર ઘટના
રાજકોટ જિલ્લાના જેતપુરની ગુજરાતી વાડીમાં એક માતા તેના પુત્ર અને પુત્રી સાથે રહેતી હતી. પુત્ર 14 વર્ષનો રવિરાજ અને પુત્રી પાયલ સાથે માતા પ્રસન્નબેન શાન્તુભાઈ કહોર અહીં થોડા સમયથી રહેતા હતા. ગઈકાલ સવારે 9.45 ની આસપાસ તેઓ ઘરે શાંતિથી સુતા હતા ત્યારે તેમના ઘરે તેમનો પૂર્વ પતિ અને ભત્રીજો આવ્યો અને ત્યારબાદ પ્રસન્નબેન સાથે બોલાચાલી કરી હતી. જે બાદ રોષે ભરાઈ જતા ભત્રીજા અને પૂર્વ પતિએ પ્રસન્નબેન ઉપર છરી સાથે તૂટી પડ્યા હતા અને આડેધડ છરીના ઘા માર્યા હતા. જેમાં પેટના ભાગે અને શરીર ઉપર લાગેલા છરીના ઘા સહન ન થતા પ્રસન્નબેન ઢળી પડ્યા હતા. જો કે, તેમને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તેમનું મોત થયું હતું.

ઘરની અંદર ઓરડામાં સુતેલા પ્રસન્નબેનની પુત્રી પાયલ અને પુત્ર રવિરાજને બહારનો અવાજ અવાતા તેઓ જાગી ગયા હતા અને બંને બહાર આવીને તેમની માતાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ તેઓ તેમની માતાને બચાવી શક્યા નહીં. પુત્રી પાયલે જોયું કે બે વ્યક્તિઓ મોઢે રૂમાલ બાંધીને તેની માતા પ્રસન્નબેનને મારી રહ્યા છે ત્યારે તેણીએ મોઢેથી રૂમાલ કાઢવા ઝપાઝપી કરી હતી જેમાં તેના પિતા દેખાયા હતા અને સાથે તેનો ભત્રીજો શિવરાજ પણ જોવા મળ્યો હતો. જે તેની માતાને છરી મારી રહ્યો હતો.

હત્યારા પૂર્વ પતિ અને ભત્રીજાએ હત્યાને અંજામ આપીને ફરાપ થઈ ગયા હતા. જ્યારે હત્યારો પૂર્વ પતિ શાન્તુ અને ભત્રીજો શિવરાજ ઘરમાં જતા અને નીકળતા હતા. ત્યારે CCTV માં કેદ થઈ ગયા હતા. બંને જ્યારે પ્રસન્નબેનની હત્યા કરીને ઘરની બહાર નીકળ્યા ત્યારે ભત્રીજો શિવરાજ લોહીવાળા હાથ લૂછતો જોવા મળ્યો હતો અને પછી તે બંને એક બાઇક ઉપર ત્યાંથી ફરાર થઈ હયા હતા. મૃતક પ્રસન્નબેનના લગ્ન શાન્તુભાઈ કહોર સાથે થયા હતા.

પરિવારમાં એક પુત્ર રવિરાજ અને એક મોટી પુત્રી પાયલ છે. થોડા સમયથી પારિવારીક ઝગડાના પગલે પતિ પત્નીએ છૂટાછેડા લીધા હતા. ત્યારબાદથી બંને અલગ રહેતા હતા. મળતી માહિતી મુજબ પતિ પત્ની વચ્ચે ઝગડા ચાલતા હતા અને પતિને પત્ની ઉપર ચારિત્ર્યની શંકા હતી. જેના પગલે પતિ શાન્તુભાઈએ તેના ભત્રીજા શિવરાજ કહોર સાથે મળીને પ્રસન્નબેનના ઘરે આવી તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા.

હાલ બંને સંતાનોએ માતાપિતાની છત્ર છાયા ગુમાવી છે. એક બાપને માતાની હત્યા માટે જેલમાં જવાનો વારો આવ્યો છે જ્યારે માતા આ બંન્નેને મુકીને સ્વધામ પહોંચી ગઈ છે. હાલ તો એક પરિવારીક ઝગડામાં પતિવાર વેરવિખેર થવા સાથે બે નાદાન નોધારા થયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news