સુરતમાં કર્ફ્યૂના દાવા વચ્ચે મોડી રાત્રે યુવાનની હત્યા, 6ની ધરપકડ

કતારગામ ફુલપાડા વિસ્તારમાં એક યુવાનની ચપ્પુના અનેક ઘા મારીને હત્યા કરી દેવામાં આવી હતી. રવિવારે રાત્રે થયેલી હત્યા પાછળ  જુની અદાવત અને હપ્તાખોરીનો વિરોધ હોવાનું સામે આવ્યું છે. કતારગામ પોલીસે આ હત્યાકેસમાં એક જ પરિવારનાં 6થી વધારે લોકોની ધરપકડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલું જ નહી આરોપીઓના ઘરમાંથી પોલીસને બે બંદુક પણ મળી આવી હોવાનું સામે આવ્યું છે. હાલ આ હત્યા કેસમાં મહિલા સહિત 8-10 શખ્સોની સંડોવણી હોવાનું મૃતકના ભાઇ સુમિતે આરોપ લગાવ્યો છે. 
સુરતમાં કર્ફ્યૂના દાવા વચ્ચે મોડી રાત્રે યુવાનની હત્યા, 6ની ધરપકડ

સુરત : કતારગામ ફુલપાડા વિસ્તારમાં એક યુવાનની ચપ્પુના અનેક ઘા મારીને હત્યા કરી દેવામાં આવી હતી. રવિવારે રાત્રે થયેલી હત્યા પાછળ  જુની અદાવત અને હપ્તાખોરીનો વિરોધ હોવાનું સામે આવ્યું છે. કતારગામ પોલીસે આ હત્યાકેસમાં એક જ પરિવારનાં 6થી વધારે લોકોની ધરપકડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલું જ નહી આરોપીઓના ઘરમાંથી પોલીસને બે બંદુક પણ મળી આવી હોવાનું સામે આવ્યું છે. હાલ આ હત્યા કેસમાં મહિલા સહિત 8-10 શખ્સોની સંડોવણી હોવાનું મૃતકના ભાઇ સુમિતે આરોપ લગાવ્યો છે. 

મરનારના મોટા ભાઇ સુમિતે જણાવ્યું કે, તેઓ મુળ ઓરિસ્સાના રહેવાસી છે. વર્ષોથી સુરતમાં રહે છે. કતારગામ ગીતાનગરમાં ઘર નજીક પાનનો ગલ્લો ચલાવીને પરિવારનું ગુજરાતન ચલાવે છે. રવિવારે રાત્રે ભોપાલ, તુષાર, અપ્પુ સહિત 8-10 લોકોએ ઘરેથી દુકાજ જઇ રહેલા યુવાનને રસ્તે રોકીને ચપ્પુના ઘા મારી તેની હત્યા કરી દીધી હતી. રસ્તા પર જ્યાં હત્યા થઇ ત્યાં લોહીના ખાબોચીયા ભરાઇ ગયા હતા. સંભીતની છાતીમાં ચપ્પુ ઘુસાડેલી હાલતમાં મૃતદેહ પણ મળી આવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news