ઉનાળામાં આ 5 વસ્તુઓ શરીરને અંદરથી રાખે છે ઠંડુ, ખાવાથી નથી થતી ડિહાઈડ્રેશન અને લૂ લાગવા જેવી તકલીફ

Summer Special Foods: આકરો તડકો ડિહાઈડ્રેશન સહિતની બીમારીનું કારણ બની શકે છે. તેથી આ ઋતુમાં પ્રયત્ન કરવો જોઈએ કે શરીરમાં પાણીની ખામી ન રહે. સાથે જ શરીરને અંદરથી ઠંડક મળે તેવી વસ્તુઓનું સેવન વધારે કરવું જોઈએ. 

ઉનાળામાં આ 5 વસ્તુઓ શરીરને અંદરથી રાખે છે ઠંડુ, ખાવાથી નથી થતી ડિહાઈડ્રેશન અને લૂ લાગવા જેવી તકલીફ

Summer Special Foods: ઉનાળાની ઋતુમાં આપણા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડે છે. ખાસ કરીને ખાવાપીવાની વસ્તુઓમાં. જો ખાવાપીવામાં બેદરકારી રાખવામાં આવે તો ગરમીના કારણે બીમારી શરીરમાં વધી જાય છે.  આકરો તડકો ડિહાઈડ્રેશન સહિતની બીમારીનું કારણ બની શકે છે. તેથી આ ઋતુમાં પ્રયત્ન કરવો જોઈએ કે શરીરમાં પાણીની ખામી ન રહે. સાથે જ શરીરને અંદરથી ઠંડક મળે તેવી વસ્તુઓનું સેવન વધારે કરવું જોઈએ.  જો આમ ન કરવામાં આવે તો હીટ સ્ટ્રોક અને ડીહાઈડ્રેશનની સમસ્યા ઝડપથી થઈ જાય છે. તેથી આ ઋતુમાં તમારે એવા ખોરાકનું સેવન કરવું જોઈએ જે શરીરને અંદરથી ઠંડક આપે. 

આ પણ વાંચો:

છાશ

જો તમે દહીંમાં સંચળ ઉમેરી છાશ બનાવી અને તેનું સેવન કરો છો તો તેને પીવાથી શરીરને ઠંડક મળે છે. આ સિવાય જો તમે તેલયુક્ત ખોરાક લીધો હોય તો પણ પાચન સંબંધિત સમસ્યા થતી નથી. 

લીલા શાકભાજી

લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ તે ગરમીથી રાહત અપાવવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. તેનાથી પાચનતંત્ર સારી રીતે કામ કરતું રહે છે અને પેટની ગરમીને શાંત કરે છે.

લીંબુ

લીંબુમાં વિટામિન સીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. તે શરીરનું રક્ષણ કરે છે. તેનાથી ગરમીના કારણે થતી સમસ્યાઓ મટે છે અને શરીર અંદરથી ઠંડુ રહે છે. ગરમીથી બચવા માટે તમે લીંબુ પાણી પી શકો છો.

આ પણ વાંચો:

સંતરા

ઉનાળામાં સંતરાનું સેવન વધારે કરવું જોઈએ કારણ કે તેમાં પાણીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, જે શરીરને ડિહાઈડ્રેશનથી બચાવે છે. તેમાં રહેલું વિટામિન સી, ફાઈબર અને કેલ્શિયમ શરીરને ફાયદો કરે છે.

નાળિયેર પાણી

ઉનાળાની ઋતુમાં જો તમે તડકા અને ગરમીથી પરેશાન થઈ જાઓ તો ક્યારેય સોફ્ટ ડ્રિંક્સ ન પીવું તેના બદલે લીલા નારિયેળનું પાણી પીવું જોઈએ. તેને પીવાથી શરીરને ઘણા પોષક તત્વો મળે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news