વાસી રોટલી ના ફેંકશો : શુગરથી લઈને પાચનક્રિયા સુધારવાની છે સરળ રીત, જાણો તેના તમામ ફાયદા!

વાસી રોટલી ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થઈ શકે છે, પરંતુ આ વાત બહુ ઓછા લોકો જાણે છે. ચાલો જાણીએ કે વાસી રોટલી ખાવી એ સ્વાસ્થ્ય માટે એટલું હાનિકારક કેમ નથી.

વાસી રોટલી ના ફેંકશો : શુગરથી લઈને પાચનક્રિયા સુધારવાની છે સરળ રીત, જાણો તેના તમામ ફાયદા!

Leftover Roti Health Benefits: રાતનું  ખાવાનું બચે તો લોકો એને ફ્રિઝમાં રાખી લેશે. જો કે, વાસી ખોરાક ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે તેમ કહેવાય છે, જ્યારે બચેલો અથવા વાસી ખોરાક ખાવાથી ક્યારેક ફૂડ પોઇઝનિંગ (Food poisonings) અથવા પેટ ખરાબ થવા જેવી સમસ્યાઓ ઉભી થાય છે. બીજી તરફ, કેટલાક લોકો બીજા દિવસે સવારે ચા સાથે બચેલી રોટલી (leftover roti)ખાવાનું પસંદ કરે છે.  વાસ્તવમાં, લોટની રોટલી વિશે અલગ-અલગ વાતો કહેવામાં આવે છે, તેથી જ તેને ફેંકી દેવાને બદલે કેટલાક લોકો તેને ફરીથી ગરમ કરીને ખાવાની કોશિશ કરે છે. પરંતુ, શું બચેલા કે વાસી રોટલા ખાવા (basi roti khane ke nuksan) સ્વાસ્થ્ય માટે સારા છે? તો આ પ્રશ્નનો જવાબ હા છે.

હા, વાસી રોટલી ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થઈ શકે છે, પરંતુ આ વાત બહુ ઓછા લોકો જાણે છે. ચાલો જાણીએ કે વાસી રોટલી ખાવી એ સ્વાસ્થ્ય માટે એટલું હાનિકારક કેમ નથી. જાણી લો વાસી રોટલી ખાવાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય છે.

જેમ કે આપણા દેશના મોટાભાગના ઘરોમાં ઘઉંના (wheat flour roti) લોટની રોટલી બનાવવામાં આવે છે જે પાતળી હોય છે અને આગ પર રાંધવામાં આવે છે. ઘઉંના લોટમાં પાણી ઉમેરીને લોટ બાંધવામાં આવે છે અને જ્યારે તેને આગ પર રાંધવામાં આવે છે, ત્યારે આ પાણી પણ બાષ્પીભવન થઈ જાય છે. આ રીતે, રોટલીમાં કોઈ ભેજ બાકી રહેતો નથી. આથી, અગ્નિથી પકવેલી રોટલીની સેલ્ફ લાઈફ વધી જાય છે. બીજી તરફ, નિષ્ણાતોના મતે આ રીતે તૈયાર કરાયેલી રોટલી બીજા દિવસ સુધી અથવા 12-15 કલાક સુધી બગડતી નથી અને તેથી, તે બીજા દિવસે પણ આરામથી ખાઈ શકાય છે. આ રોટલી ખાવાથી તમારા સ્વાસ્થ્યને કેવી રીતે ફાયદો થઈ શકે છે (health benefits of eating leftover roti ) તે પણ અહીં વાંચો.

વાસી રોટલી ખાવાથી આ સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે (Baasi roti health benefits)

એસિડિટી ઓછી છે (Basi roti benefits- treats acidity)
ઘણા લોકો વાસી રોટલીનો નાસ્તો દૂધ અથવા છાશ સાથે કરે છે. શું તમે જાણો છો કે એસિડિટીથી છુટકારો મેળવવાનો આ એક ઘરેલું ઉપાય છે. હા, વહેલી સવારે તીખો અને મસાલેદાર ખોરાક ખાવાથી પેટની સમસ્યા વધવાને બદલે મીઠા દૂધ અથવા ઠંડા દહીં અને છાશ સાથે રોટલી ખાવાથી પેટને આરામ મળે છે અને એસિડિટીની સમસ્યા ઓછી થાય છે.

પાચન શક્તિ વધારે છે (Basi roti benefits- boosts digestion)
રોટલીમાં ફાયબરનું પ્રમાણ વધુ હોવાથી તે પાચનશક્તિ વધારે છે. જ્યારે અપચો અથવા પેટ સંબંધિત અન્ય કોઈ સમસ્યા હોય ત્યારે વાસી રોટલી અને દૂધ ખાવાથી આરામ મળે છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક
બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા માટે વાસી રોટલી ખાવી ફાયદાકારક માનવામાં આવે છે. વાસી રોટલીમાં સારા બેક્ટેરિયાની માત્રા વધી જાય છે, જે તેને વધુ સ્વસ્થ બનાવે છે. આ પ્રકારની રોટલીને દૂધમાં પલાળીને ખાવાથી શુગર લેવલ અને બ્લડ પ્રેશર બંનેને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે.

(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news