રાજનાથ સાથે મુલાકાત બાદ ખેડૂતોએ ખોલી દિલ્હી-નોઇડા બોર્ડર, 12 દિવસથી હતી બંધ

દિલ્હી-નોઇડા ચિલ્લા બોર્ડરને ખોલી દેવામાં આવી છે. તમામ બેરિકેડિંગ હટાવી દીધી છે. ચિલ્લા બોર્ડર 12 દિવસથી બંધ હતી. ખેડૂતોએ આજે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સાથે મુલાકાત કરી હતી.

રાજનાથ સાથે મુલાકાત બાદ ખેડૂતોએ ખોલી દિલ્હી-નોઇડા બોર્ડર, 12 દિવસથી હતી બંધ

નવી દિલ્હી: દિલ્હી-નોઇડા ચિલ્લા બોર્ડરને ખોલી દેવામાં આવી છે. તમામ બેરિકેડિંગ હટાવી દીધી છે. ચિલ્લા બોર્ડર 12 દિવસથી બંધ હતી. ખેડૂતોએ આજે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સાથે મુલાકાત કરી હતી. સહમતિ બનાવ્યા બાદ બોર્ડરને ખોલવામાં આવી છે. ધરણા પર બેઠેલા ખેડૂતોએ રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી. રક્ષા મંત્રીના આવાસ પર 5 સભ્યની ટીમે મુલાકાત કરી હતી. બેઠકમાં કૃષિ મંત્રી પણ હાજર હતા. રક્ષા મંત્રી સામે 18 સૂત્રીય માંગોને રાખવામાં આવી હતી. મુખ્ય માંગ ખેડૂત ગઠન આયોગની રહી. માંગોમાં MSPનો ઉલ્લેખ નથી. 

ખેડૂત આંદોલનને લઇને સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીઓ પર 16 ડિસેમ્બરના રોજ સુનાવણી થશે. CJI એસ એ બોબડે, જસ્ટિસ એ એસ બોપન્ના અને જસ્ટિસ વી રામસુબ્રમણ્યમની બેંચ સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધી ત્રણ અરજીઓ દાખલ કરવામાં આવી છે. 

ખેડૂત નેતા ગુરૂનામ સિંહ ચારણીએ કહ્યું કે પંજાબથી આવનાર ખેડૂતોને રોકવામાં આવી રહ્યા છે. અમે સરકાર સાથે ખેડૂતોને દિલ્હી પહોંચવાની અનુમતિ આપવાની અપીલ કરીએ છીએ. જો સરકાર 19 ડિસેમ્બર પહેલાં અમારી માંગોને સ્વિકારતી નથી, તો અમે તે દિવસે ગુરૂ તેજ બહાદુરના શહીદી દિવસથી ઉપવાસ શરૂ કરીશું. 

14 ડિસેમ્બરના રોજ ભૂખ હડતાલ કરશે ખેડૂત
નવા કૃષિ કાયદાના વિરોધમાં ગત 15 દિવસોથી દિલ્હી-હરિયાણા સિંધુ બોર્ડર (Singhu Boder)પર ધરણા આપી રહેલા હજારો ખેડૂતોએ પોતાનું આંદોલન (Farmers Protest) તેજ કરવાની જાહેરાત કરી છે. શનિવારે સાંજે પત્રકાર પરિષદ કરીને ખેડૂત નેતા કમલપ્રીત પન્નૂ (Kamal Preet Singh Pannu)એ 14 ડિસેમ્બરના રોજ ભૂખ હડતાલની જાહેરાત કરી છે. 

આવતીકાલે દિલ્હી-જયપુર હાઇવે બંધ કરશે ખેડૂત
પન્નૂએ કહ્યું કે અમારા ધરણા દિલ્હીના 4 સ્થળો પર ચાલી રહ્યા છે. રવિવારે રાજસ્થાન બોર્ડરથી હજારો ખેડૂતો ટ્રેક્ટર માર્ચ નિકાળશે અને દિલ્હી-જયપુર હાઇવે બંધ કરશે. 14 ડિસેમ્બરના રોજ ખેડૂત દેશની દરેક ડીસી ઓફિસની બહાર પ્રોટેસ્ટ કરશે. તેમણે કહ્યું કે અમે અમારી માતાઓ-બહેનોને પણ આંદોલનમાં બોલાવી રહ્યા છીએ. તેમના માટે અહીં રોકાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 

મુદ્દો લટકાવવાથી આંદોલન નબળુ નહી થાય
ખેડૂત નેતાએ કહ્યું કે સરકાર વિચારે છે કે કેસ લટકાવી દેવામાં આવે તો આ આંદોલન નબળો પડી જશે. પરંતુ તેમની ભૂલ છે. અમારું આંદોલન શાંતિપૂર્ણ રહેશે. અમે કાયદો રદ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખીશું. 

કાયદો રદ કરવો પડશે, સુધારો મંજૂર નહી
અમે સરકારને સ્પષ્ટ કહી દીધું છે. કાયદો રદ કરવો પડશે. ફેરફાર મંજૂર નથી. સરકાર કહી રહી છે કે આ કાયદો ખેડૂતોની ભલાઇ માટે છે. પરંતુ હકિકતમાં કાયદો, ટ્રેડર, કોર્પોરેટર ઘરાના માટે બનાવવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news