કોલકત્તામાં JNU હિંસાની અસર, ભાજપ-લેફ્ટ સમર્થકો વચ્ચે ટકરાવ, પોલીસનો લાઠીચાર્જ

દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં થયેલા હુમલાને લઈને વિવાદ દેશના અલગ-અલગ ભાગમાં વધી રહ્યો છે. કોલકત્તામાં લેફ્ટ અને ભાજપના સમર્થકો આમને-સામને આવી ગયા હતા. 

કોલકત્તામાં JNU હિંસાની અસર, ભાજપ-લેફ્ટ સમર્થકો વચ્ચે ટકરાવ, પોલીસનો લાઠીચાર્જ

કોલકત્તાઃ દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં થયેલા હુમલાને લઈને વિવાદ દેશના અલગ-અલગ ભાગમાં વધી રહ્યો છે. કોલકત્તામાં લેફ્ટ અને ભાજપના સમર્થકો આમને-સામને આવી ગયા હતા. દક્ષિણ કોલકત્તામાં ટ્રાફિક ઠપ્પ થઈ ગયો છે અને બંન્ને વચ્ચે કોઈ પ્રકારની અનિચ્છનીય ઘટના રોકવા માટે મોટી સંખ્યામાં પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ વિસ્તારમાં બંન્ને પાર્ટીઓના સમર્થન વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આ સિવાય જાદવપુર યુનિવર્સિટી આસપાસ પણ તણાવ વધી ગયો છે. રિપોર્ટ્સ પ્રમાણે ઝંડાની સાથે લેફ્ટ સમર્થન ત્યાં પહોંચી રહ્યાં છે. 

વિદ્યાર્થીઓના ભારે વિરોધ પ્રદર્શનને કારણે પોલીસે પણ લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. કોલકત્તાના સુલેખા મોર વિસ્તારમાં પોલીસે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. આ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓની પોલીસ સાથે ઝડપ પણ થઈ હતી. પોલીસે રસ્તા પર બેરિકોટ લગાવી દીધા હતા. પોલીસે લાઠીચાર્જ કરતા વિદ્યાર્થીઓના ટોળાએ ભાગવાની ફરજ પડી હતી. 

— ANI (@ANI) January 6, 2020

— ANI (@ANI) January 6, 2020

આ પહેલા જવાહર લાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયૂ) વિદ્યાર્થી સંઘની અધ્યક્ષ આઇશી ઘોષે હિંસા માટે આરએસએસને જવાબદાર ઠેરવ્યું છે. તેણે સોમવારે કહ્યું કે છેલ્લા 4-5 દિવસથી આરએસએસ સાથે જોડાયેલા પ્રોફેસરો અમારા આંદોલનને તોડવા માટે હિંસા ભડકાવી રહ્યાં હતા. આ એક સુયોજીત હુમલો હતો. તે લોકોને બહાર કાઢી-કાઢીને મારી રહ્યાં હતા. આઇશીએ કહ્યું કે, જેએનયૂ સિક્યોરિટી અને હુમલાખોરો વચ્ચે સાઠ-ગાંઢ હતી, જેને કારણે તેમણે હિંસા રોકવા માટે કોઈ પગલા ભર્યા નથી. અમારી માગ છે કે યુનિવર્સિટીના વાઇસ-ચાન્સલરને તાત્કાલિક હટાવવામાં આવે. 

JNU હિંસા પર છાત્ર સંઘની અધ્યક્ષ આઇશી ઘોષનું નિવેદન- પ્લાનિંગથી કરવામાં આવ્યો હુમલો  

દિલ્હી પોલીસના પ્રવક્તા એમએસ રંધાવાએ કહ્યું કે, બધા સીસીટીવી ફુટેજની તપાસ કરવામાં આવી રહી છે. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. રંધાવાએ કહ્યું, પોલીસ પીસીઆર કોલ મળતા સ્થળ પર પહોંચી હતી. તેમણે કહ્યું, જોઈન્ટ કમિશનરની આગેવાનીમાં એક કમિટી બનાવવામાં આવી છે, જેથી તપાસમાં મોડું ન થાય. અમને કેટલાક પૂરાવા મળ્યા છે, જેની તપાસ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં આ મામલાને ઉકેલી લેવામાં આવશે. તેમણે કહ્યું કે, દિલ્હી પોલીસ સાંજે 7.45 કલાકે કેમ્પસની અંદર ગઈ હતી. આ મામલામાં એક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. દિલ્હી સિવાય મુંબઈ સહિત દેશના ઘણા ભાગમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news