Ration Card New Rules: આવું થશે તો રદ થઈ શકે છે તમારું રાશન કાર્ડ, જાણી લો નવા નિયમ

Ration Card New Rules: જો કોઈ રાશનકાર્ડ ધારક પાસે પોતાની આવકથી કમાયેલો 100 વર્ગ મીટરનો પ્લોટ, ફ્લેટ કે મકાન, ફોર વ્હીલર/ટ્રેક્ટર, હથિયારનું લાયસન્સ, ગામમાં બે લાખ અને શહેરમાં 3 લાખથી વધુની પારિવારિક આવક છે તો એવા લોકોને પોતાનું રાશન કાર્ડ સરેન્ડર આપી દેવાનું રહેશે.

Ration Card New Rules: આવું થશે તો રદ થઈ શકે છે તમારું રાશન કાર્ડ, જાણી લો નવા નિયમ

Ration Card New Rules: સરકાર લોકોને અપીલ કરી રહી છે કે સમય રહેતા તેઓ પોતાનું રાશન કાર્ડ કેન્સલ કરાવી લે. નહીં તો ખાદ્ય વિભાગની ટીમ તેને રદ કરશે અને આવા લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવશે. આપણા દેશમાં કરોડો રાશન કાર્ડ ધારકો છે.  જેમના માટે એક જરૂરી સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે રાશન કાર્ડના નિયમોમાં ફેરફાર કર્યા છે. સરકારે જાહેર કરી છે કે, આ વર્ષે પણ એટલે કે વર્ષ 2023માં પણ રાશનકાર્ડ ધરાવતા લોકોને ફ્રી રાશનનો ફાયદો મળતો રહેશે. પરંતુ જો એવી ખબર પડશે કે જેઓ લાયક નથી છતા મફતનું રાશન લઈ રહ્યા છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. 

આ પણ ખાસ વાંચોઃ  બદલાઈ ગયા IPL ના નિયમો, હવે ટીમમાં નહીં હોય એ ખેલાડી પણ કરી શકશે બેટિંગ-બોલિંગ!
આ પણ ખાસ વાંચોઃ  ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ અચાનક લીધો મોટો નિર્ણય, હવે તે બીજા દેશમાં રમતો દેખાશે!આ પણ ખાસ વાંચોઃ  ચાલુ મેચમાં કોહલી જોડે બાખડ્યો પંડ્યાં! માથે ચઢ્યો છે કેપ્ટનશીપનો ઘમંડ, Video Viral
આ પણ ખાસ વાંચોઃ  નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે આઈસીસી વન-ડે વર્લ્ડ કપની ફાઈનલ, ક્યાંથી મળશે ટિકિટ?

જાતે જ રદ કરાવો રાશન કાર્ડ-
પાત્રતા ન હોવા છતાં રાશન કાર્ડ મેળવનાર લોકોને સરકારે ચેતવણી આપી છે. સરકાર લોકોને અપીલ કરી રહી છે કે સમય રહેતા તેઓ પોતાનું રાશન કાર્ડ કેન્સલ કરાવી લે. નહીં તો ખાદ્ય વિભાગની ટીમ તેને રદ કરશે અને આવા લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.

આ છે રાશન કાર્ડનો નિયમ-
જો કોઈ રાશનકાર્ડ ધારક પાસે પોતાની આવકથી કમાયેલો 100 વર્ગ મીટરનો પ્લોટ, ફ્લેટ કે મકાન, ફોર વ્હીલર/ટ્રેક્ટર, હથિયારનું લાયસન્સ, ગામમાં બે લાખ અને શહેરમાં 3 લાખથી વધુની પારિવારિક આવક છે તો એવા લોકોને પોતાનું રાશન કાર્ડ સરેન્ડર આપી દેવાનું રહેશે.

સરકારના નિયમ અનુસાર જો કોઈ રાશન કાર્ડ ધારક તેને સરેન્ડર નહીં કરે તો આવા કાર્ડને તપાસ બાદ રદ કરી દેવામાં આવશે. સાથે જ એ પરિવાર પર કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. એટલું જ નહીં આવા લોકો જ્યારથી રાશન લઈ રહ્યા છે, ત્યારથી તેમની પાસેથી વસૂલી કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news