કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં મોદી સરકાર વિરુદ્ધ પાસ થયો મહત્વનો પ્રસ્તાવ

જય જવાન જય કિસાન એક નારો નહી પરંતુ કોંગ્રેસ પાર્ટી માટે જીવન પદ્ધતીનો માર્ગ છે

કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં મોદી સરકાર વિરુદ્ધ પાસ થયો મહત્વનો પ્રસ્તાવ

સેવાગ્રામ : કોંગ્રેસ કાર્ય સમિતી (CWC)એ મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીજીની જયંતી પ્રસંગે મંગળવારે કહ્યું કે, વહેંચણી, ભય અને ધૃણાનું વાતાવરણ પેદા કરનારી મોદી સરકારની વિરુદ્ધ નવો સ્વતંત્ર સંગ્રામ ચાલુ કરવામાં આવશે. મુખ્ય વિપક્ષી દળની ટોપ નીતિ નિર્ધારણ એકમે દિલ્હી - ઉત્તરપ્રદેશ સીમા પર ખેડૂતો પર લાઠીચાર્જની નિંદા કરતા કહ્યું કે, અન્નદાતા પર ક્રૂરતા અને અત્યાચારને સ્વીકાર નહી કરવામાં આવી શકે અને પાર્ટી ખેડૂતોની લડાઇ પુરજોશથી લડશે. 

બેઠકમાં બે પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યા
કાર્ય સમિતીની બેઠકમાં બે પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યા. પહેલો પ્રસ્તાવ વહેંચણી, ભય અને વહેંચણીની વિરુદ્ધ અને બીજો પ્રસ્તાવ ખેડૂતો પર ક્રૂરતાની નિંદા કરતા પસાર કરવામાં આવ્યો. 

કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાના અનુસાર કાર્યસમિતીમાં પસાર થયેલ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે હંમેશા બાપૂની વિચારધારા વિરુદ્ધ નિરંતર ષડયંત્ર કર્યું છે. કોંગ્રેસ કાર્યસમિતી આ રેખાંકિત કરે છે કે આજે તે જ પાખંડી શક્તિ, સત્તાના સ્વાર્થ સિદ્ધ કરવા માટે બાપુની વિચારધારાનો ઢોંગ રચી રહ્યા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news