કોરોના મુદ્દે રાહતના સમાચાર, નીતિ આયોગનાં CEO એ કહ્યું 112 જિલ્લામાં માત્ર 2% જ કેસ, ડરો નહી

દેશના ગ્રામીણ વિસ્તારોને નબળા પાડવા માટેના સ્વાસ્થય ઢાંચા વચ્ચે કોરોના (Corona Virus) વાયરસના પ્રસારની આશંકાને ફગાવતા નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતનું કહેવું છે કે, પછાત 112 આકાંક્ષી જીલ્લાઓમાં માત્ર 2 ટકા કિસ્સાઓ સામે આવ્યા છે અને ડરવાની કોઇ જ જરૂર નથી. 
કોરોના મુદ્દે રાહતના સમાચાર, નીતિ આયોગનાં CEO એ કહ્યું 112 જિલ્લામાં માત્ર 2% જ કેસ, ડરો નહી

નવી દિલ્હી : દેશના ગ્રામીણ વિસ્તારોને નબળા પાડવા માટેના સ્વાસ્થય ઢાંચા વચ્ચે કોરોના (Corona Virus) વાયરસના પ્રસારની આશંકાને ફગાવતા નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતનું કહેવું છે કે, પછાત 112 આકાંક્ષી જીલ્લાઓમાં માત્ર 2 ટકા કિસ્સાઓ સામે આવ્યા છે અને ડરવાની કોઇ જ જરૂર નથી. 

અમિતાભ કાંતે એમ પણ જણાવ્યું કે, ગ્રામીણ વિસ્તારમાં કોરોના વાયરસ સંક્રમણનાં ફેલાવાને અટકાવવા માટે તમામ તૈયારીઓ પુર્ણ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં કુલ 733 જિલ્લા છે. તેમણે કહ્યું કે, ડરવાની કોઇ જ વાત નથી. દેશનાં 112 પછાત આકાંક્ષી જિલ્લામાં કોવિડ 19 માત્ર 2 ટકા કિસ્સાઓ સામે આવ્યા છે. દેશમાં અલગ અલગ વિસ્તારોમાં 1.5 લાખ આરોગ્ય કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં બેડ પણ વધારવામાં આવ્યા છે. ખાસ કરીને કોવિડ હોસ્પિટલ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે. એવામાં પુરતી તૈયારીઓ કરવામાં આવી છે.

અમિતાભ કાંતે કહ્યું કે, કોરોના વાયરસના સંક્રમણ મુદ્દે પાંચ જિલ્લામાંથી આવ્યા છે અને તેવામાં ભારતીયોની જીત આ સ્થળોમાં મળથી સફળતા પર નિર્ભર કરશે. જ્યાં અમને સંપુર્ણ તૈયારીઓ તત્પરતા સાથે નિગરાની, પરીક્ષણ, સંપર્કની માહિતી લગાવવા પૃથકવાસ અને સારવાર પર ખાસ ધ્યાન આપવું જોઇએ.

અમિતાભ કાંતે કહ્યું કે, દિલ્હી, મુંબઇ અને અમદાવાદ સહિત 15 જિલ્લાઓ સંક્રમણ મુદ્દે મહત્તમ દબાણવાળા ક્ષેત્રોમાંથી એક છે. કોવિડ 19 સામે લડવામાં ભારતની સફળતાની દ્રષ્ટીએ આ વિસ્તાર મહત્વપુર્ણ છે, કારણ કે દેશમાં કોવિડ 19ના કુલ  કેસમાંથી 64 ટકા કેસ આ 15 જિલ્લામાંથી સામે આવ્યા છે.

આ 15 જિલ્લામાંથી 5 જિલ્લાઓમાં કોરોના વાયરસના 50 ટકા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં દિલ્હી, મુંબઇ, અમદાવાદ, પુણે અને ચેન્નાઇ છે. તેને એક જિલ્લા એકમ માનીને અભ્યાસ કરવામાં આવ્યો છે. આ સંક્રણની સંખ્યા દ્રષ્ટીએ ખાસ કરીને વધારે દબાણવાળા વિસ્તારો છે.

કોરોના વાયરસના પ્રસારને અટકાવવામાં ભારતનાં પગલાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ભારત તેની સામે સારી રીતે સફળ રહ્યું છે. આજે સંક્રમણ મુદ્દે આશરે 11 દિવસમાં બમણા થઇ રહ્યા છે અને તેના કારણે મોતનાં કેસ અપેક્ષાકૃત ઘટ્યા છે. સંક્રમણી તપાસ ઝડપથી વધી છે અને હવે આ ક્ષમતા પ્રતિદિન આશરે 1 લાખ થઇ ચુકી છે.

કાંતે કહ્યું કે, બિમારી સામે લડવા માટે કેન્દ્ર સરકારે સમય રહેતા લોકડાઉન લાગુ કરવા, તેને વધારવા સહિત અનેક કડક પગલા ઉઠાવ્યા જેનો નિશ્ચિત રીતે ફાયદો થયો છે. હવે આપણે હાઇપર લોકલાઇઝેશનની રણનીતિ અપનાવવી જોઇએ અને સંપુર્ણ ધ્યાન કંટેનમેન્ટ જોન પર જ આપવી જોઇએ. સાથે જ આર્થિક ગતિવિધિઓને પણ આગળ વધારવી જોઇએ. પુછવામાં આવતા કે શું લોકડાઉન ખોલવું યોગ્ય રહેશે. નીતિ આયોગનાં સીઇઓએ કહ્યું કે, હાલ વેક્સિન તૈયાર થવા અને જાહેર રીતે ઉપલબ્ધ થવામાં થોડો સમય લાગશે પરંતુ ત્યાં સુધીમાં આપણે અર્થવ્યવસ્થાને સંપુર્ણ રીતે બંધ નહી કરી શકીએ.

પુરવઠ્ઠાની શ્રૃંખલાને ખોલવી પડશે અને અનુશાસનની સાથે આગળ વધવું પડશે. અમે રોજિંદા અવસરો જાળવી રાખવી પડશે.  દેશનાં જીડીપીને પણ પાટા પર લાવવો જરૂરી છે. એવામાં સંપુર્ણ સાવધાની વર્તતા આપણે આગળ વધવું જ પડશે. અમિતાભ કાંતે કહ્યું કે, આ વૈશ્વિક દુર્ઘટનાને કારણે આપણી સામે અવસર પણ આવ્યા છે. ચીનની અનેક કંપનીઓ આવવી જોઇે એવામાં આપણે આ દિશામાં પહેલ કરવાની છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news