Video: મહારાષ્ટ્રના સિદ્ધિ વિનાયક મંદિરમાં ભક્તોએ લીધા શ્વાનના આશીર્વાદ

મહારાષ્ટ્રના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરની બહાર શ્વાન પાસેથી આશીર્વાદ લેતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. લોકો આ શ્રદ્ધા જોઈને આશ્ચર્યચકિત થઈ રહ્યા છે.

Video: મહારાષ્ટ્રના સિદ્ધિ વિનાયક મંદિરમાં ભક્તોએ લીધા શ્વાનના આશીર્વાદ

મુંબઈઃ ભારતમાં ધર્મ અને આસ્થાથી વધુ કઈ પણ નહીં હોઈ શકે. મહારાષ્ટ્રના સિદ્ધિ વિનાયક મંદિરમાં એક એવો જ કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં લોકો એક શ્વાન પાસેથી આશીર્વાદ લેઈ રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર આ વીડિયો લોકો માટે ચર્ચાનો વિષય બન્યો છે.

ભક્તોને આશીર્વાદ આપી રહ્યો છે શ્વાન
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છે કે, મુંબઈના સુપ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરમાં એક શ્વાન બહાર બેઠો છે. આ શ્વાન કોઈ સામાન્ય શ્વાન નથી. આ શ્વાન મંદિરથી બહાર નીકળી રહેલા લોકોને આશિર્વાદ આપતો નજરે પડી રહ્યો છે. માત્ર આટલું જ નહીં, પણ તે ભક્તો સાથે હાથ પણ મિલાવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો બહુ વાયરલ થઈ રહ્યો છે. સાથે જ લોકો આ વીડિયોને મોટા પ્રમાણમાં પસંદ પણ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ
સિદ્ધિ વિનાયક મંદિરની બહાર બેઠેલા એક વ્યક્તિએ આ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. ત્યારબાદ, આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર મોટી સંખ્યામાં લોકો કમેન્ટ પણ કરી રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે આ શ્વાન મંદિરના ચબૂતરા પર બેઠો છે અને જે પણ ભક્તજન બાહર આવે છે, તેની તરફ પોતાના પંજો આગળ કરી દે છે. જેવી રીતે આ શ્વાન પંજો આગળ કરે છે. તેવી જ રીતે ભક્તો પણ તેની સામે પોતાનું શીશ નમાવી આશીર્વાદ લઈ રહ્યા છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news