Farmer's Protest: ખેડૂતોની સાથે વાતચીત કરશે સરકાર, કાલે બપોરે 3 વાગે બેઠક

ખેડૂતોના આંદોલન વચ્ચે સરકારે વાતચીત માટે ખેડૂત યૂનિયનના નેતાઓને આમંત્રિત કર્યા છે. કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે ખેડૂતોને મંગળવારે બપોરે 3 વાગે વિજ્ઞાન ભવનમાં વાતચીત માટે બોલાવ્યા છે.  

Farmer's Protest: ખેડૂતોની સાથે વાતચીત કરશે સરકાર, કાલે બપોરે 3 વાગે બેઠક

નવી દિલ્હી: ખેડૂતોના આંદોલન વચ્ચે સરકારે વાતચીત માટે ખેડૂત યૂનિયનના નેતાઓને આમંત્રિત કર્યા છે. કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે ખેડૂતોને મંગળવારે બપોરે 3 વાગે વિજ્ઞાન ભવનમાં વાતચીત માટે બોલાવ્યા છે.  

આ મામલે કૃષિ મંત્રીએ કહ્યું કે ભારત સરકાર ખેડૂતોને લઇને એકદમ ચિંતિત છે. અમારી તરફથી પહેલાં પણ 2 વાર બેઠક થઇ ચૂકી છે. જેમાંથી 1 બેઠકમાં સ્વયં હું અને પીયૂષ ગોયલ પણ ઉપસ્થિત હતા. હવે જ્યારે ખેડૂતો ધરના પર છે એવી પરિસ્થિતિમાં અમે ખેડૂત યૂનિયનના તે નેતાઓને જે ગતવખતની બેઠકમાં હાજર હતા તેમને મંગળવારે બપોરે 3 વાગે વિજ્ઞાન ભવનમાં આમંત્રિત કરીએ છીએ અને વાતચીત માટે તૈયાર છીએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news