આગામી 36 કલાક ગુજરાત માટે ભારે, ક્યાં પહોંચ્યું વાવાઝોડું? Live Tracker માં જુઓ પળેપળની અપડેટ

Gujarat Weather Update: અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડા બિપરજોય ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. બિપરજોય હાલ તો પ્રતિ કલાક 8 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે. ગુજરાતના કાંઠા વિસ્તારોમાં તેની અસરો પણ દેખાવવા લાગી છે. જે જોતા લાગી રહ્યું છે કે ગુજરાત માટે આગામી 36 કલાક અત્યંત ભારે બની શકે છે. હવામાન ખાતાની આગાહી મુજબ આ વાવાઝોડું 15મી જૂને ગુજરાતના કાંઠેથી પસાર થઈ શકે છે. જેને લઈને ગુજરાત સરકાર અલર્ટ મોડમાં છે.ગુજરાત તરફ આગળ વધી રહેલા બિપરજોય વાવાઝોડાની લાઈવ ટ્રેકરમાં મૂવમેન્ટ જૂઓ....

આગામી 36 કલાક ગુજરાત માટે ભારે, ક્યાં પહોંચ્યું વાવાઝોડું? Live Tracker માં જુઓ પળેપળની અપડેટ

Cyclone Biparjoy: અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડા બિપરજોય ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. બિપરજોય હાલ તો પ્રતિ કલાક 8 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે. ગુજરાતના કાંઠા વિસ્તારોમાં તેની અસરો પણ દેખાવવા લાગી છે. જે જોતા લાગી રહ્યું છે કે ગુજરાત માટે આગામી 36 કલાક અત્યંત ભારે બની શકે છે. હવામાન ખાતાની આગાહી મુજબ આ વાવાઝોડું 15મી જૂને ગુજરાતના કાંઠેથી પસાર થઈ શકે છે. જેને લઈને ગુજરાત સરકાર અલર્ટ મોડમાં છે. કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગૂ કરાઈ છે. 

રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાના તોળાઇ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતીની અદ્યતન માહિતી મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં મંગળવારે સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા. દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદ, તીવ્ર ગતિએ પવન ફૂંકાવો તથા વાતાવરણમાં આવેલા બદલાવ સામે તંત્રની સજ્જતા અંગે તેમણે ઉચ્ચસ્તરીય બેઠકમાં વિગતો મેળવી હતી. 

મુખ્ય સચિવ રાજકુમારે જિલ્લા વહીવટીતંત્ર સાથે યોજેલી બેઠકની માહિતી મુખ્યમંત્રીને આપતા જણાવ્યું કે સુરક્ષા અને સલામતીના પગલાંના ભાગરૂપે અત્યાર સુધી કચ્છ, પોરબંદર, જુનાગઢ, જામનગર, દેવભૂમિ-દ્વારકા, ગીર-સોમનાથ, મોરબી અને રાજકોટ એમ કુલ ૮ જિલ્લાઓમાં ૩૭,૭૯૪ લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરાયા છે. આ આઠ જિલ્લાઓમાંથી ૬૨૨૯ અગરિયા ભાઈબહેનોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

— India Meteorological Department (@Indiametdept) June 14, 2023

સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠા વિસ્તારો માટે રેડ અલર્ટ
હવામાન ખાતા (IMD)એ સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠા વિસ્તારો માટે રેડ અલર્ટ જાહેર કર્યું છે. હાલ આ વાવાઝોડું બિપરજોય અરબી સમુદ્રમાં જખૌ બંદરથી 280 કિમી દૂર, દેવભૂમિ દ્વારકાથી 290 કિમી દૂર છે. જે 15 જૂને સાંજે જખૌ બંદર પાસેથી પસાર થાય તેવી શક્યતા છે. 

Live Tracker માં આ રીતે જુઓ પળેપળની અપડેટ
ગુજરાત તરફ આગળ વધી રહેલા બિપરજોય વાવાઝોડાની લાઈવ ટ્રેકરમાં મૂવમેન્ટ જોવા માટે અહીં આપેલી લિંક પર ક્લિક કરો. બિપરજોય વાવાઝોડાને ટ્રેક કરવા માટે Live Tracker. 

ભારતીય સૈન્યએ ‘બિપરજોય’ ત્રાટકે તે પહેલાં તૈયારીઓ
​ભારતીય સૈન્યએ કુદરતી આપદાના સમયે લોકોને થનારી સંભવિત મુશ્કેલીઓને હળવી કરવાના પોતાના મક્કમ સંકલ્પને અનુરૂપ, ગુજરાત તરફ આવી રહેલું ભયંકર ચક્રવાત બિપરજોય જમીન વિસ્તારમાં ત્રાટકે તે પછી સ્થાનિકોને સહાય પૂરી પાડવા માટે તૈયારી કરી લીધી છે. ભુજ, જામનગર, ગાંધીધામ, ધ્રાંગધ્રા, વડોદરા અને ગાંધીનગર ખાતે તેમજ નલિયા, દ્વારકા અને અમરેલીમાં સમુદ્રકાંઠા તરફના સ્થળોએ પૂર રાહત કોલમનું રિહર્સલ કરવામાં આવ્યું છે અને તેને તૈયાર રાખવામાં આવ્યા છે.

કચ્છ, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદથી પૂરની શક્યતા
આઈએમડી મુજબ ગુજરાતમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર જિલ્લાઓમાં 13થી 15 જૂન સુધીમાં 20 સેન્ટીમીટરથી વધુ વરસાદ થઈ શકે છે. તેમણે ચેતવતા કહ્યું કે અમને આશ્ચર્ય નહીં થાય જો આ વિસ્તારોમાં 25 સેમીથી વધુ વરસાદ નોંધાય. સામાન્ય રીતે વર્ષના આ સમયમાં આટલો ભારે વરસાદ પડતો નથી આથી નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ છે. 

15 જૂને જખૌ બંદર પાસે સૌરાષ્ટ્ર બંદર પાસે સૌરાષ્ટ્ર તથા કચ્છના કાંઠા પાસેથી પસાર થાય તેવી શક્યતા છે. આ દરમિયાન વધુમાં વધુ  150 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. આઈએમડીએ કહ્યું કે ચક્રવાત બિપરજોયથી વ્યાપક નુકસાન થવાની શક્યતા છે. ગુજરાતના કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લા સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news