Income Tax: સરકારની સૌથી મોટી જાહેરાત! કરોડો લોકોને ટેક્સમાંથી મળશે રાહત, જાણો તમારે કેટલી થશે બચત

Income Tax Return Filling: મોદી સરકાર દ્વારા લોકોના લાભ માટે ઘણી યોજનાઓ પણ ચલાવવામાં આવી રહી છે. જેના દ્વારા સરકાર વિવિધ વર્ગના લોકોને રાહત આપવાનું કામ કરી રહી છે. મોદી સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.  ઈન્કમટેક્સ ભરવાનો હવે સમય શરૂ થયો ગયો છે. લોકો માટે આ સંલગ્ન એક રાહતના સમાચાર આવ્યા છે. 

Income Tax: સરકારની સૌથી મોટી જાહેરાત! કરોડો લોકોને ટેક્સમાંથી મળશે રાહત, જાણો તમારે કેટલી થશે બચત

Income Tax Return : સરકાર દ્વારા લોકોને રાહત આપવા માટે ઘણા કામો કરવામાં આવી રહ્યા છે. આ સાથે લોકોના હિત માટે અનેક યોજનાઓ પણ ચલાવવામાં આવી રહી છે. આના દ્વારા સરકાર વિવિધ વર્ગના લોકોને રાહત આપવાનું કામ કરી રહી છે. મોદી સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. આ પગલાં દ્વારા મોદી સરકારે દેશના કરોડો લોકોને રાહત આપવાનું કામ કર્યું છે. આ સાથે લોકોને ટેક્સમાં છૂટ મળવા જઈ રહી છે.

સરકારી જાહેરાત-
આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2023 રજૂ કરતી વખતે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. આ જાહેરાત દ્વારા નાણામંત્રી નિર્મલા સીતારમણે નવી કર વ્યવસ્થામાં આવકવેરા મુક્તિને વધારીને 7 લાખ રૂપિયા કરી દીધી છે. આ સાથે સીતારમણે કહ્યું કે જે લોકોની વાર્ષિક આવક રૂ. 7 લાખ સુધી છે તેમને હવે ટેક્સ ચૂકવવો પડશે નહીં.

મોદી સરકારે કહ્યું કે જો હવે કોઈ નવી ટેક્સ સિસ્ટમ દ્વારા ટેક્સ ભરે છે, તો કરદાતાઓએ સાત લાખ રૂપિયાની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. અગાઉ આ મર્યાદા 5 લાખ રૂપિયા વાર્ષિક હતી. ટેક્સ મુક્તિ વધારીને દેશના કરોડો લોકોને રાહત આપવાનું કામ મોદી સરકારે કર્યું છે.

સ્ટાન્ડર્ડ ડિડક્શન-
આ સાથે હવે નવા ટેક્સ પ્રણાલીમાં લોકો સ્ટાન્ડર્ડ ડિડક્શનનો પણ લાભ લઈ શકશે. નોકરિયાત અને પેન્શનરો હવે નવી કર વ્યવસ્થા હેઠળ ટેક્સ ભરે છે, તો તેમને 50,000 રૂપિયાનો વધારાનો લાભ મળશે. નવી ટેક્સ સિસ્ટમમાં વાર્ષિક સાત લાખ રૂપિયાની કમાણી કર્યા પછી, સ્ટાન્ડર્ડ ડિડક્શન હેઠળ 50 હજાર રૂપિયાની છૂટ પણ મળશે.

આ પણ ખાસ વાંચોઃ  આવી રીતે સુવા વાળા હોય છે સૌથી નસીબદાર! સુવાની ટેવ પરથી જાણો સ્વભાવ અંગેની ગજબની વાત
આ પણ ખાસ વાંચો:  શું તમારો માથાભારે પાડોશી કરે છે રોજ પરેશાન? આ કાયદો ઠેકાણે લાવી દેશે શાન
આ પણ ખાસ વાંચો:  કાયદાની વાતઃ કૂતરું કરડવાથી તેના માલિક પર કેસ કરી શકાય? જાણો શું છે સજાની જોગવાઈઆ પણ ખાસ વાંચો:  દરેક પગારદાર કર્મચારીઓને જરૂર હોવી જોઈએ આ પાંચ મહત્ત્વના કાયદાઓની જાણકારી

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news