Corona Update: ત્રીજી લહેર નબળી પડી? કોરોનાના નવા કેસમાં નોંધપાત્ર ઘટાડો

દેશમાં કોરોનાના નવા કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. 

Corona Update: ત્રીજી લહેર નબળી પડી? કોરોનાના નવા કેસમાં નોંધપાત્ર ઘટાડો

નવી દિલ્હી: દેશમાં કોરોનાના નવા કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. નવા 2.09 લાખની આસપાસ કેસ નોંધાયા છે. જો કે મૃત્યુઆંક વધી રહ્યો છે તે ચિંતાજનક છે. ગઈ કાલે દેશમાં કોરોનાના નવા 2,34,281 કેસ નોંધાયા હતા જ્યારે 893 લોકોના એક દિવસમાં મોત નોંધાયા હતા. 

નવા 2.09 લાખ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી નવા 2,09,918 કેસ નોંધાયા છે. આ દરમિયાન 2,62,628 લોકો કોરોનાને માત આપીને રિકવર પણ થયા છે. હાલ દેશમાં 18,31,268 દર્દીઓ સારવાર હેઠળ છે જે કુલ કેસના 4.43% છે. ડેઈલી પોઝિટિવિટી રેટ 15.77% છે. નવા કેસમાં 10.4% નો ઘટાડો જોવા મળ્યો છે. 

Active case: 18,31,268 (4.43%)
Daily positivity rate: 15.77%

Total Vaccination : 1,66,03,96,227 pic.twitter.com/ZTN2OJXQbE

— ANI (@ANI) January 31, 2022

મોતનો આંકડો વધ્યો
નવા કેસ તો ઘટવા માંડ્યા છે પણ મોતનો આંકડો વધી રહ્યો છે તે ચિંતાજનક બાબત કહી શકાય. છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના કારણે 959 લોકોના મૃત્યુ થયા છે. ગઈ કાલે 893 લોકોના મોત નોંધાયા હતા. કોરોનાને નાથવા માટે દેશમાં રસીકરણ અભિયાન પણ મોટાપાયે ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં કોરોના રસીના 1,66,03,96,227 ડોઝ આપવામાં આવેલા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news